Site icon News Continuous Bureau | Mumbai

Nitin Desai Suicide : દેવદાસ-હમ દિલ દે ચુકે સનમ ના આર્ટ ડિરેક્ટર નીતિન દેસાઈ એ કરી આત્મહત્યા, સ્ટુડિયો માંથી મળી લાશ

Nitin Desai Suicide : નીતિન દેસાઈએ લિજેન્ડ ઓફ ભગત સિંહ, દેવદાસ અને જોધા અકબર જેવી ફિલ્મોમાં આર્ટ ડિરેક્ટર તરીકે કામ કર્યું છે. તેની આત્મહત્યાના સમાચારે બોલિવૂડને આંચકો આપ્યો છે.

art director nitin desai suicide

art director nitin desai suicide

News Continuous Bureau | Mumbai

Nitin Desai Suicide : પ્રખ્યાત આર્ટ ડિરેક્ટર(art director) નીતિન દેસાઈએ આત્મહત્યા(suicide) કરી હોવાની ચોંકાવનારી માહિતી બહાર આવી રહી છે. કર્જત(karjat) ના એનડી સ્ટુડિયોમાં જીવનનો અંત આણ્યો હતો. જોકે, આપઘાતનું કારણ હજુ અસ્પષ્ટ છે. તેમના નિધનથી બધાને આઘાત લાગ્યો છે. તેઓએ આવું આત્યંતિક પગલું કેમ ભર્યું તેની તપાસ કરવામાં આવી રહી છે.

Join Our WhatsApp Channel

નીતિન દેસાઈ એ જીત્યા હતા ઘણા એવોર્ડ

 નીતિન ચંદ્રકાન્ત દેસાઈ કલા જગતનું સૌથી મોટું નામ છે. 2005માં તેણે કહ્યું હતું કે તેનો ખાનગી સ્ટુડિયો હિન્દી સાથે સ્પર્ધા કરશે અને તેમને ભવ્ય ‘ND સ્ટુડિયો’ શરૂ કર્યો જે મરાઠી પ્રેક્ષકોને ગૌરવ અપાવશે. અહીં ઘણી સુપરહિટ હિન્દી ફિલ્મોનું શૂટિંગ થયું છે. નીતિન દેસાઈ એ ઘણી સુપરહિટ ફિલ્મોનું આર્ટ ડિરેક્શન કર્યું હતું. તેણે ‘પરિંદા’, ‘ડોન’, ‘લગાન’, ‘દેવદાસ’, ‘જોધા અકબર’, ‘હમ દિલ દે ચૂકે નામ’ જેવી ઘણી શાનદાર ફિલ્મોનું આર્ટ ડિરેક્શન કર્યું. તેણે ‘બાલગંધર્વ’ જેવી મરાઠી ફિલ્મોનું દિગ્દર્શન પણ કર્યું હતું. તેમણે ‘દેવદાસ’, ‘ખામોશી’ ફિલ્મો માટે ફિલ્મફેર એવોર્ડ પણ જીત્યો હતો.નીતિન દેસાઈનો જન્મ દાપોલીમાં થયો હતો. તેમણે મુંબઈના સર જે. જે. આર્ટસ કોલેજમાંથી તાલીમ લીધી. તેમણે 1987 થી કલા જગતમાં કારકિર્દીની શરૂઆત કરી હતી.

આ સમાચાર પણ વાંચો : Mumbai Rains: હવામાન વિભાગની આગાહી.. શહેરમાં આજે યેલો એલર્ટ જારી…જાણો રાજ્યમાં ક્યાં કેટલો વરસાદ….

TMKOC vs Yeh Duniya Hai Rangeen શું ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ કોઈ શોની કોપી છે? ૨૭ વર્ષ પહેલાના આ શોની સમાનતા જાણીને તમે ચોંકી જશો
Real Estate Acquisition દિલ્હીના પંચશીલ પાર્કમાં શાહરૂખ ખાને ખરીદી પ્રોપર્ટી, ૨ ફ્લોર માટે ચૂકવ્યા ૩૭ કરોડ
Operation Sindoor ઓપરેશન સિંદૂરના ધમાકા આતંકી અડ્ડાઓ પર થઈ રહ્યા હતા, જેની ગુંજ દુનિયાએ સાંભળી મેલબોર્નમાં PM મોદી
ICJ Proceedings ગાઝામાં ૨૦ હજાર બાળકોના મૃત્યુ પર ભારતીય જજનું કડક વલણ, ઇઝરાયલના કૃત્યો પર ઉઠાવ્યા ગંભીર સવાલ
Exit mobile version