Site icon News Continuous Bureau | Mumbai

Asha Bhosle’s Last Rites: સૂરોની રાણીને અંતિમ વિદાય: મહારાષ્ટ્ર સરકાર આશા તાઈના અંતિમ સંસ્કાર રાજકીય સન્માન સાથે કરશે

Asha Bhosle’s Last Rites: સંગીત સામ્રાજ્ઞીના સન્માનમાં મુખ્યમંત્રીનો આદેશ; આવતીકાલે સવારે 11 થી 3 વાગ્યા સુધી લોઅર પરેલમાં કરી શકાશે અંતિમ દર્શન, સાંજે શિવાજી પાર્કમાં થશે અંતિમ વિધિ

Asha Bhosle’s Last Rites: Legendary singer to be cremated with full state honours at Shivaji Park

Asha Bhosle’s Last Rites: Legendary singer to be cremated with full state honours at Shivaji Park

News Continuous Bureau | Mumbai

Asha Bhosle’s Last Rites: ભારતીય સંગીત જગતના દિગ્ગજ ગાયિકા આશા ભોંસલેના નિધનથી દેશભરમાં શોકનું મોજું ફરી વળ્યું છે. ૯૨ વર્ષની વયે અંતિમ શ્વાસ લેનારા આશા તાઈના અંતિમ સંસ્કાર પૂર્ણ રાજકીય સન્માન  સાથે કરવામાં આવશે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ સાથેની ચર્ચા બાદ રાજ્ય સરકારે આ જાહેરાત કરી છે. સંગીત ક્ષેત્રે તેમના અતુલનીય યોગદાન બદલ તેમને આ વિશેષ સન્માન આપવામાં આવશે.આશા ભોંસલેના પુત્ર આનંદ ભોંસલેએ હોસ્પિટલની બહાર મીડિયા સાથે વાત કરતા અંતિમ વિદાયના કાર્યક્રમની વિગતો આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, ગાયિકાના શરીરના અનેક અંગોએ કામ કરવાનું બંધ કરી દેતા રવિવારે તેમનું નિધન થયું હતું.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Mahavatar Casting Update: વિકી કૌશલની ‘મહાવતાર’માં દીપિકા પાદુકોણ આઉટ? 800 કરોડની ફિલ્મની આ એક્ટ્રેસ લેશે જગ્યા

કાસા ગ્રાન્ડ ખાતે થશે અંતિમ દર્શન

આશા તાઈના અંતિમ દર્શન માટેના સમય અને સ્થળની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે, જે મુજબ મુંબઈના લોઅર પરેલ સ્થિત તેમના નિવાસસ્થાન ‘કાસા ગ્રાન્ડ’ ખાતે પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે રાખવામાં આવશે. આવતીકાલે, ૧૩ એપ્રિલ સોમવારના રોજ સવારે ૧૧:૦૦ વાગ્યાથી બપોરે ૩:૦૦ વાગ્યા સુધીનો સમય નક્કી કરવામાં આવ્યો છે. આ ૪ કલાકના નિર્ધારિત સમયગાળા દરમિયાન દેશભરના ચાહકો, સંગીતપ્રેમીઓ અને વિવિધ ક્ષેત્રના મહાનુભાવો દિવંગત ગાયિકાના અંતિમ દર્શન કરી તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી શકશે. વહીવટીતંત્ર દ્વારા આ સ્થળે ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને ભીડને નિયંત્રિત કરવા માટેની ખાસ વ્યવસ્થા પણ કરવામાં આવી છે.


ગાયિકાના અંતિમ સંસ્કાર સોમવારે સાંજે ૪:૦૦ વાગ્યે મુંબઈના ઐતિહાસિક શિવાજી પાર્ક સ્મશાનભૂમિ ખાતે કરવામાં આવશે. નોંધનીય છે કે આ એ જ સ્થળ છે જ્યાં ૨૦૨૨માં તેમની મોટી બહેન લતા મંગેશકરના પણ રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. ભાજપના નેતા આશિષ શેલારે આ દુખદ ઘડીમાં પરિવાર સાથે મુલાકાત લીધી હતી.મીડિયા સાથે વાત કરતા આશિષ શેલારે જણાવ્યું હતું કે, “આશા તાઈનું જવું એ એક યુગનો અંત છે. તેમણે પોતે અનેક દુખો વેઠ્યા છે, પરંતુ પોતાની અવાજથી વિશ્વને હંમેશા સુખ આપ્યું છે. તેમનું સંગીત માત્ર ભારતની જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વની ધરોહર છે.” મહારાષ્ટ્ર સરકાર દ્વારા તેમના સન્માનમાં શોકની પણ જાહેરાત કરવામાં આવી શકે છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Dhurandhar 2 Box Office Collection: બાહુબલી પરાસ્ત અને પુષ્પા-KGF પણ પાછળ: 3000 કરોડની કમાણી સાથે ‘ધુરંધર’ બની ભારતની સૌથી મોટી ફિલ્મ ફ્રેન્ચાઈઝી, તોડ્યા તમામ રેકોર્ડ્સ!
Asha Bhosle Govinda Viral Video: ગોવિંદાના ડાન્સ સ્ટેપ્સ અને આશા તાઈનો અવાજ: એક જ મંચ પર બે દિગ્ગજોએ મચાવી ધૂમ, વીડિયો થયો વાયરલ
Allu Arjun Raaka Movie: અલ્લુ અર્જુનની ‘રાકા’માં શાહરૂખ ખાનનો મોટો ધડાકો! કિંગ ખાનના કેમિયોથી બોક્સ ઓફિસ પર આવશે ‘સુનામી’, દીપિકા સાથે જામશે જોડી!
Operation Sindoor: ઓપરેશન સિંદૂર’ માટે વિવેક અગ્નિહોત્રીને મળ્યો લીડ હીરો! આ એક્ટરનું નામ રેસમાં સૌથી આગળ, જાણો કોણ છે આ નવો સ્ટાર?
Exit mobile version