Site icon

આગામી 3 મહિના સુધી નહિ જારી થાય ન્યુઝ ચેનલોનું રેટીંગ… જાણો શું કામ….

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો 
મુંબઈ
15 ઓક્ટોબર 2020
ન્યૂઝ ચેનલોનું ટીઆરપી કૌભાંડ બહાર આવ્યા બાદ ટેલિવિઝન રેટિંગ માપનારી સંસ્થા એટલે કે બાર્કએ મોટો નિર્ણય લીધો છે. બાર્કે આગામી 12 અઠવાડિયા (ત્રણ મહિના) માટે ટીઆરપી માપવા પર રોક લગાવી છે. એટલે કે આગામી 12 અઠવાડિયા સુધી ન્યૂઝ ચેનલોની ટીઆરપી રેટિંગ નહીં આવે. બાર્કએ મુંબઈ પોલીસ દ્વારા ટીઆરપી કૌભાંડના ભાંડાફોડ બાદ આ પગલું ભર્યું છે. બાર્ક તરફથી કહેવાયું છે કે હિન્દી, સ્થાનિક, અંગ્રેજીની સાથે સાથે તમામ બિઝનેસ ચેનલો પણ તેના નિર્ણય હેઠળ આવશે. જોકે ટેક્નિકલ સમિતિની નિગરાણીમાં રાજ્ય અને ભાષાના આધારે દર્શકોની સાપ્તાહિક અંદાજિત સંખ્યા બતાવવાનું ચાલું રહેશે.


બાર્ક ઈન્ડિયા બોર્ડના ચેરમેનએ કહ્યું હતું કે, હાલના ઘટનાક્રમને જોતા આ નિર્ણય લેવો ખુબ જરૂરી બન્યો હતો. બોર્ડનું માનવું છે કે બાર્કે પહેલેથી કડક પ્રોટોકોલની સમીક્ષા કરવી જોઈએ અને એ દિશામાં સકારાત્મક પગલું ભરવું જોઈએ કે નકલી ટીઆરપી જેવી ઘટનાઓ ફરીથી સામે ન આવે.
 
શું છે બાર્ક ??(BARC)
બ્રોડકાસ્ટ ઓડિયન્સ રિસર્ચ કાઉન્સિલ એટલે કે ‘બાર્ક’ ટેલિવિઝન રેટિંગ બતાવતી એજન્સી છે. જે સંયુક્ત ઉદ્યોગ ઉપક્રમ છે. તે દુનિયાની સૌથી મોટી ટેલિવિઝન મેજરમેન્ટ સંસ્થા છે. બાર્ક ઈન્ડિયા વર્ષ 2010માં શરૂ થઈ હતી અને તેનું હેડક્વાર્ટર મુંબઈમાં છે.

Join Our WhatsApp Community
Kantara: કાંતારા 2 નું ટ્રેલર આજે થશે લોન્ચ, નાનું બજેટ અને બોક્સ ઓફિસ પર સુનામી, ફિલ્મે આટલા ટકા નફા સાથે મચાવી ધૂમ
Akshay Kumar: બોલિવૂડ ના આ સુપરસ્ટાર ની ફિલ્મ ને કારણે થયા હતા અક્ષય અને ટ્વિંકલ ના લગ્ન, ખિલાડી કુમારે કર્યો ખુલાસો
Amitabh Bachchan: ‘જલસા’ બહાર ફેન્સને મળ્યા અમિતાભ બચ્ચન, ફેન્સ ને ભેટ માં આપી દાંડિયા ની સાથે આ વસ્તુ
Kalki 2898 AD: ‘કલ્કી 2898 એડી’ ની સીક્વલમાંથી દીપિકા બહાર, હવે 600 કરોડ ની ફિલ્મ માટે આ એક્ટ્રેસ નું નામ ચર્ચામાં
Exit mobile version