Site icon

ફિલ્મમાંથી બહાર ફેંકાઈ જવાને કારણે બોલિવૂડ ના આ દિગ્ગ્જ અભિનેતા એ મહેશ ભટ્ટને આપ્યો હતો શ્રાપ,આજે છે ઇન્ડસ્ટ્રી માં મોટું નામ; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,

મુંબઈ, 07 માર્ચ  2022          

Join Our WhatsApp Community

સોમવાર

બોલિવૂડ એક્ટર અનુપમ ખેર આજે 67 વર્ષના થઈ ગયા છે. 7 માર્ચ 1955ના રોજ જન્મેલા અનુપમ ખેરે પોતાની કારકિર્દીમાં 500 થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે. તે હજુ પણ ફિલ્મી દુનિયામાં સક્રિય છે. અનુપમ ખેર ટૂંક સમયમાં ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ માં જોવા મળશે. વિવેક અગ્નિહોત્રી દ્વારા નિર્દેશિત આ ફિલ્મ 11 માર્ચે રિલીઝ થશે. અનુપમને આજે જે પ્રસિદ્ધિ મળી છે તેના માટે તેને ઘણો સંઘર્ષ કરવો પડ્યો છે.અનુપમ ખેરે આંતરરાષ્ટ્રીય સ્તરે પણ પોતાની ઓળખ બનાવી છે. અનુપમ ખેર પહેલીવાર મહેશ ભટ્ટની ફિલ્મ ‘સારાંશ’ માં જોવા મળ્યા હતા. આ ફિલ્મ સુપરહિટ સાબિત થઈ હતી. તેની ખાસ વાત એ હતી કે આ ફિલ્મમાં અનુપમ ખેરે  એક વૃદ્ધ પિતાની ભૂમિકા ભજવી હતી અને તે સમયે તેમની ઉંમર 28 વર્ષની હતી.

અનુપમ ખેરે  એક ઈન્ટરવ્યુમાં પોતાના સંઘર્ષ વિશે કહ્યું હતું કે – હું NSDમાંથી અભ્યાસ કરીને કલાકાર બનવા મુંબઈ આવ્યો હતો. તે સમયે મારા ખિસ્સામાં 37 રૂપિયા હતા. એ દિવસોમાં હું રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ પર સૂતો હતો. અનુપમ ને સારાંશ મળી તો ગઈ હતી  પરંતુ જ્યારે તે તેના માટે તૈયાર થયો ત્યારે મહેશ ભટ્ટે તેને ફિલ્મમાંથી બહાર કાઢીને સંજીવ કુમારને કાસ્ટ કર્યો હતો.જ્યારે અનુપમને સારાંશ માંથી હટાવવાની ખબર પડી ત્યારે તેનું હૃદય તૂટી ગયું. ઘણા વર્ષોથી સંઘર્ષ કરી રહેલા અનુપમે મુંબઈ છોડવાનું નક્કી કર્યું અને મહેશ ભટ્ટ ને ભલું બૂરું બોલવા તેમના ઘરે ગયાઅનુપમ ખેરે એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું – મેં મહેશને કહ્યું કે તમે સત્ય પર ફિલ્મ બનાવી રહ્યા છો, તમારા જીવનમાં કોઈ સત્ય નથી. હું બ્રાહ્મણ છું, હું તને શાપ આપું છું. આ જોઈને મહેશ ભટ્ટ આશ્ચર્યચકિત થઈ ગયા અને અનુપમને મુંબઈ છોડતા રોક્યા.

સંજય લીલા ભણસાલીએ ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ માં શા માટે દીપિકા પાદુકોણને ન કરી કાસ્ટ, પોતે કર્યો આ વાત નો ખુલાસો; જાણો વિગત

સારાંશ પછી, 'કર્મા', 'તેઝાબ', 'રામ લખન', 'દિલ', 'સૌદાગર', '1942 અ લવ સ્ટોરી', 'રૂપ કી રાની ચોરોં કા રાજા' અને 'હમ આપકે હૈ કૌન' જેવી સફળ ફિલ્મોમાં અનુપમ ખેરનો રોલ અલગ હતો. તેણે 'બેન્ડ ઈટ લાઈક બેકહામ', 'બ્રાઈડ એન્ડ પ્રેજ્યુડિસ', 'ધ મિસ્ટ્રેસ ઓફ સ્પાઈસિસ' અને 'ધ અધર એન્ડ ઓફ ધ લાઈન' જેવી વિશ્વ વિખ્યાત ફિલ્મોમાં કામ કર્યું છે.મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અનુપમ ખેરની કુલ સંપત્તિ 400 કરોડથી વધુ છે. ફિલ્મો સિવાય તે જાહેરાતો અને ટીવી શો દ્વારા પણ કરોડોની કમાણી કરે છે. 

Dhurandhar 2: ‘ધુરંધર 2’ મુશ્કેલીમાં! તમિલનાડુમાં ફિલ્મ પર પ્રતિબંધ મૂકવાની ઉઠી માંગ; મદ્રાસ હાઈકોર્ટમાં અરજી દાખલ થતા ખળભળાટ
Rajinikanth Dhurandhar 2 Review: રજનીકાંતે ‘ધુરંધર 2’ જોઈને શું કહ્યું? આદિત્ય ધરને આપ્યું નવું બિરુદ, સોશિયલ મીડિયા પર ફેન્સમાં ભારે ઉત્સાહ.
Anupamaa New Promo: અનુપમા-દિગ્વિજયનો ‘માસ્ટરપ્લાન’! મુશ્કેલ સમયમાં એકબીજાનો સાથ આપી રચશે નવો ઇતિહાસ; ફેન્સમાં ભારે ઉત્સાહ.
Arjun Rampal : ૨૬/૧૧ની એ ખૌફનાક રાત જ્યારે અર્જુન રામપાલની નજર સામે હતું મોત! ‘ધુરંધર’ ના શૂટિંગ દરમિયાન કેમ તાજી થઈ જૂની યાદો? જાણો સત્ય.
Exit mobile version