Site icon News Continuous Bureau | Mumbai

કરોડોની સંપત્તિ ના માલિક હોવા છતાં બોલિવૂડના આ ટોચના કલાકારો રહે છે ભાડાના ઘરમાં; ભાડા પેટે ચૂકવે છે અધધ આટલા રૂપિયા

News Continuous Bureau | Mumbai

બોલીવૂડ (Bollywood) કલાકારો પોતાની ફિલ્મોની સાથેસાથે રહેણી-કહેણી, ફેશન ને લઈને પણ લોકોમાં ચર્ચાનો વિષય બનતા હોય છે. એક ફિલ્મ માટે કરોડો રૂપિયા મહેનતાણું લેનારા ઘણા સિતારાઓ પોતાના મકાનમાં નહિ પરંતુ ભાડાના ઘર માં રહેવાનું પસંદ કરે છે. આ કલાકારો પાસે કરોડોની સંપત્તિ છે તેમ છતાં તેઓ  ભાડાના ઘરમાં રહેવાનું પસંદ કરે છે. જેમાં હૃતિક રોશન, (Hritik Roshan) દીપિકા પદુકોણ,(Deepika Padukone) કેટરિના કૈફ (Katrina Kaif) તેમજ બીજા ઘણા કલાકારો સામેલ છે.

Join Our WhatsApp Channel

દીપિકા પદુકોણ (Deepika Padukone) અને રણવીર સિંહ (Ranveer Singh) જે બોલિવૂડ ના ટોચ ના કલાકારો છે તેઓ  મુંબઇમાં (Mumbai) રેન્ટ પર ઘર લઇને રહે છે. રિપોર્ટનું માનીએ તો  આ કપલ દર મહિને ભાડા પેટ લગભગ ૭.૫૦ લાખ રૂપિયા ચુકવે છે.

કેટરિના કૈફ (Katrina Kaif) અને વિક્કી કૌશલ (Vicky Kaushal) ગયા વર્ષે ડિસેમ્બરમાં લગ્નના બંધનમાં બંધાયા હતા. બોલીવૂડ સ્ટાર કપલ મુંબઇમાં (Mumbai) જુહુમાં (Juhu) આવેલા રાજ મહલ બિલ્ડિંગમાં આઠમા માળના એક ફ્લેટમાં રહે છે. જેના માટે કપલ  દર મહિને આઠ લાખ રૂપિયા ભાડા પેટે આપે છે.

બોલીવૂડનો હેન્ડસમ હંક તરીકે લોકપ્રિયતા મેળવનાર હૃતિક રોશન (Hritik  Roshan) કરોડોની સંપત્તિ ધરાવે છે. તેનો એક આલિશાન બંગલો પણ છે. છતાં હૃતિક ભાડાના ઘરમાં રહે છે. અભિનેતા ૨૦૨૦ના જૂન મહિનાથી આ ઘરમાં રહે છે. જેના માટે એકટર ૮.૫૦લાખ રૂપિયા ભાડા તરીકે આપે છે.

બોલિવૂડ ની ધકધક ગર્લ માધુરી દીક્ષિત નેને (Madhuri Dixit) પરિવાર સાથે મુંબઇના (Mumbai) વરલી (worli) એરિયામાં એક શાનદાર અને આલિશાન ઘરમાં રહે છે. તેઓ આ ઘરમાં રહેવા માટે રૂપિયા ૧૨.૫૦ લાખ ભાડા પેટે આપે છે.હાલમાંજ અભિનેત્રી એ તેના આ આલિશાન ઘરની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી હતી.

આ સમાચાર પણ વાંચો :  કેજીએફ ચેપ્ટર ૨ બની 1000 કરોડના ક્લબમાં સામેલ થનારી ચોથી ફિલ્મ, જાણો કઈ કઈ ફિલ્મો છે સામેલ

Why did Kajal distance from Bollywood? કાજલ અગ્રવાલે બોલિવૂડથી કેમ બનાવી લીધી દૂરી? અભિનેત્રીએ પોતે કર્યો ખુલાસો
Jennifer Winget Wedding જેનિફર વિન્ગેટ બની દુલ્હન વિલિયમ ઈસ્માઈલ સાથે યુકેમાં કર્યા સાદગીભર્યા લગ્ન, તસવીરો વાયરલ
Ranbir Kapoor Health Update આંખમાં ઈન્ફેક્શન હોવા છતાં રણબીર કપૂર ‘રામાયણ’ના ‘પ્રથમ સંકલ્પ’ કાર્યક્રમમાં આપશે હાજરી
Rahil Azam Anupamaa News ‘અનુપમા’ છોડવાની અફવાઓ પર રાહિલ આઝમે તોડ્યું મૌન, કહ્યું ક્યારે થશે વાપસી?
Exit mobile version