Site icon News Continuous Bureau | Mumbai

સમૃદ્ધ પરિવારોની દીકરીઓ સાથે લગ્ન કરીને, આ ચાર કલાકારો બન્યા સૌથી ધનિક જમાઈ; જાણો કોણ છે તે કલાકારો

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો    

મુંબઈ, 6 સપ્ટેમ્બર, 2021

Join Our WhatsApp Channel

સોમવાર

 

ભારતીય સંસ્કૃતિમાં પુત્રવધૂ માટે ઘણો સ્નેહ અને આદર છે, કારણ કે જ્યારે તે વહુ લગ્ન કરી સાસરીમાં આવે છે ત્યારે તેની પુત્રીની જેમ કાળજી લેવામાં આવે છે. બૉલિવુડમાં એવા ઘણા કલાકારો છે જેઓ સમૃદ્ધ પરિવારોના જમાઈ બની ગયા છે.

અમે જે કલાકારોની વાત કરી રહ્યા છીએ તે તમામ કલાકારોએ તેમની પસંદગી મુજબ જીવનસાથી પસંદ કર્યા છે અને હવે એક સમૃદ્ધ પરિવારના જમાઈ તરીકે સુખી જીવન જીવી રહ્યા છે. આજના લેખમાં અમે આવા અભિનેતાઓ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. તેઓ ખૂબ જ પ્રખ્યાત છે. તેઓ આજે પણ કરોડો રૂપિયા કમાય છે. આજે પણ લોકો તેમને સારી રીતે જાણે છે, પણ શ્રીમંતના જમાઈ સાથે તેમનું જીવન થોડું સુખી બન્યું છે. 

 ધનુષ

દક્ષિણનો જાણીતો અભિનેતા ધનુષ દક્ષિણનો પ્રથમ અભિનેતા રજનીકાંતનો જમાઈ છે. ધનુષનું ગીત 'કોલાવેરી ડી' થોડાં વર્ષો પહેલાં વિશ્વ વિખ્યાત બન્યું હતું. પછી થોડાં વર્ષો પછી તેણે ફિલ્મ 'રાંઝણા'માં અભિનય કર્યો અને રજનીકાંતની પુત્રી ઐશ્વર્યા સાથે લગ્ન કર્યાં હતાં.

 અક્ષયકુમાર

બૉલિવુડમાં ખિલાડી તરીકે જાણીતો અક્ષયકુમાર જાણીતા અભિનેતા રાજેશ ખન્નાનો જમાઈ છે. 17 જાન્યુઆરી, 2001ના અક્ષયકુમારે રાજેશ ખન્નાની પુત્રી ટ્વિંકલ સાથે લગ્ન કર્યાં હતાં.

શર્મન જોશી

શર્મન જોશી વિખ્યાત વિલન પ્રેમ ચોપરાનો જમાઈ છે. તેણે ‘થ્રી ઇડિયટ્સ’, ‘ગોલમાલ’  જેવી જાણીતી ફિલ્મોમાં કામ કર્યું છે. 2000માં શર્મને પ્રેરણા ચોપરા સાથે લગ્ન કરેલાં.

અજય દેવગણ

સિંઘમ તરીકે ઓળખાતા અજય દેવગણે માત્ર ઍક્શન હીરો તરીકે પોતાની ઓળખ બનાવી નથી, પરંતુ કૉમેડી ફિલ્મ્સ ગોલમાલ જેવી ફિલ્મોમાં પણ પોતાની ઓળખ બનાવી છે. અજય દેવગણે 1999માં અભિનેત્રી કાજોલ સાથે લગ્ન કર્યાં હતાં. અજય તે સમયે અભિનેત્રી તનુજાનો જમાઈ બન્યો હતો. તે બંને હાલમાં બોલિવુડ ફિલ્મોમાં સક્રિય છે. 

‘સુપર ડાન્સર 4’ના મંચ પર ગીતા કપૂર અને શિલ્પા શેટ્ટી સામે ખૂબ રડી ફરાહ ખાન; જાણો વિગત

Dhurandhar 2| ‘ધુરંધર 2’ નો એક એવો અંત જે ફિલ્મના ડાયરેક્ટરે પણ નહીં વિચાર્યો હોય! ફેન્સના AI વીડિયોએ ખોલ્યા રહસ્યો
Shah Rukh Khan Oscar Post| કિંગ ખાન ભાવુક! ઓસ્કર ટીમનો આભાર માનતા શાહરૂખે લખ્યું ‘આજે મને ગર્વ છે’, જાણો શું છે આખી વાત
Prakash Raj Controversy Ramayana| પ્રકાશ રાજે વટાવી હદ! રામલક્ષ્મણ વિશે એવું તે શું બોલ્યા કે મચ્યો ખળભળાટ
Sukesh Chandrashekhar| મહાઠગ સુકેશ ચંદ્રશેખરને જેકલીન આપશે સૌથી મોટો ફટકો! 200 કરોડના કેસમાં સરકારી સાક્ષી બનીને ખોલશે ઠગના રહસ્યો
Exit mobile version