Site icon News Continuous Bureau | Mumbai

નહેરુ-ગાંધી પરિવાર પરના ‘બદનક્ષીભર્યા’ વીડિયો માટે પાયલ રોહતગી વિરુદ્ધ FIR; જાણો શું છે સમગ્ર મામલો

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 1 સપ્ટેમ્બર, 2021

Join Our WhatsApp Channel

બુધવાર

પુણેમાં અભિનેત્રી પાયલ રોહતગી સામે મહાત્મા ગાંધી, જવાહરલાલ નહેરુ, ઇન્દિરા ગાંધી અને રાજીવ ગાંધી વિરુદ્ધ અપમાનજનક શબ્દોનો ઉપયોગ કરવા બદલ કેસ નોંધવામાં આવ્યો છે. હકીકતમાં, પાયલ રોહતગીએ એક વીડિયોમાં આ લોકો વિશે વાંધાજનક શબ્દોનો ઉપયોગ કર્યો હતો, જેના કારણે તેમની વિરુદ્ધ IPC કલમ 153A, 500, 505 (2) અને 34 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

તેમજ, અગાઉ તેમણે સ્વાતંત્ર્ય સેનાની મોતીલાલ નેહરુ વિશે વાંધાજનક ટિપ્પણી કરી હતી, જેના વિશે મોટો વિવાદ ઉભો થયો હતો. પાયલે એક વીડિયો જાહેર કરીને દાવો કર્યો હતો કે, 'મને લાગે છે કે કોંગ્રેસ પરિવાર ત્રિપલ તલાકની વિરુદ્ધ હતો કારણ કે મોતીલાલ નહેરુને પાંચ પત્નીઓ હતી. તેમજ  મોતીલાલ જવાહરલાલ નહેરુના સાવકા પિતા હતા. તેમણે પોતાના દાવા પાછળ એલેના રામકૃષ્ણ ની બાયોગ્રાફી નો હવાલો આપ્યો હતો. તેના આ વીડિયો પર ભારે હંગામો કર્યા બાદ રાજસ્થાન પોલીસે IT એક્ટની કલમ 66 અને 67 હેઠળ કેસ નોંધ્યો હતો.

દીપિકા પાદુકોણ હૉલિવુડમાં સિક્કો જમાવવાની તૈયારીમાં, બીજી હૉલિવુડ ફિલ્મ કરી સાઇન

જો કે, આ પહેલીવાર નથી જ્યારે પાયલ મુશ્કેલીમાં હોય અથવા તેના વિવાદાસ્પદ નિવેદનને કારણે તેની સામે કેસ નોંધવામાં આવ્યો હોય. આ પહેલા પણ અભિનેત્રીની અનેક વખત ધરપકડ કરવામાં આવી છે. થોડા મહિના પહેલા પાયલ પર સોસાયટીના ચેરમેન સાથે દુર્વ્યવહાર અને જાનથી મારી નાખવાની ધમકી આપવાનો આરોપ લાગ્યા બાદ તેની ધરપકડ કરવામાં આવી હતી. જોકે બાદમાં તેને જામીન પર મુક્ત કરવામાં આવી હતી.

Dhurandhar 2| ‘ધુરંધર 2’ નો એક એવો અંત જે ફિલ્મના ડાયરેક્ટરે પણ નહીં વિચાર્યો હોય! ફેન્સના AI વીડિયોએ ખોલ્યા રહસ્યો
Shah Rukh Khan Oscar Post| કિંગ ખાન ભાવુક! ઓસ્કર ટીમનો આભાર માનતા શાહરૂખે લખ્યું ‘આજે મને ગર્વ છે’, જાણો શું છે આખી વાત
Prakash Raj Controversy Ramayana| પ્રકાશ રાજે વટાવી હદ! રામલક્ષ્મણ વિશે એવું તે શું બોલ્યા કે મચ્યો ખળભળાટ
Sukesh Chandrashekhar| મહાઠગ સુકેશ ચંદ્રશેખરને જેકલીન આપશે સૌથી મોટો ફટકો! 200 કરોડના કેસમાં સરકારી સાક્ષી બનીને ખોલશે ઠગના રહસ્યો
Exit mobile version