Site icon News Continuous Bureau | Mumbai

સુશાંતસિંહ રાજપૂત પર આધારિત વેબ સિરીઝ ‘સુસાઈડ? હકીકત યા ષડ્યંત્ર’ આ દિવસે થવા જઈ રહી છે રિલીઝ

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૧૮ જૂન ૨૦૨૧

Join Our WhatsApp Channel

શુક્રવાર

બૉલિવુડના દિવંગત અભિનેતા સુશાંતસિંહ રાજપૂતના શંકાસ્પદ મૃત્યુને એક વર્ષ વીતી ગયું છે. તેની પ્રથમ પુણ્યતિથિ 14 જૂન, 2021ના રોજ હતી. આ પ્રસંગે, આગામી વેબ સિરીઝ 'સુસાઈડ? હકીકત યા ષડ્યંત્ર' ના કલાકાર અને દિગ્દર્શકે એનું પહેલું પોસ્ટર લૉન્ચ કર્યું હતું. આ વેબ સિરીઝ અંતમાં અભિનેતા સુશાંતના જન્મદિવસ પર એટલે કે આવતા વર્ષે 21 જાન્યુઆરીએ રિલીઝ થશે.

જોકે વેબ સિરીઝના ડિરેક્ટર અવિનાશ કહે છે કે આ વેબ સિરીઝની વાર્તા સુશાંતસિંહ રાજપૂતના જીવન પર આધારિત નથી. હા, તેઓ કહે છે કે આ એક કાલ્પનિક વાર્તા પર આધારિત વેબ સિરીઝ છે. જોકે એમાં ચોક્કસપણે શશાંક નામનું પાત્ર છે, જેનું પાત્ર સુશાંતના પાત્ર સાથે મેળ ખાય છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ વેબ સિરીઝ આઠ એપિસોડની હોઈ શકે છે.

જાણો વિદ્યા બાલન સ્ટારર ફિલ્મ ‘શેરની’નો રિવ્યૂ

વેબ સિરીઝ 'સુસાઈડ? હકીકત યા ષડ્યંત્ર' દેશના વર્તમાન રાજકારણથી અલગ છે. સિરીઝના એક એપિસોડમાં એક સંઘર્ષશીલ અભિનેતાની વાર્તા પણ બતાવવામાં આવશે, જે બોલિવુડમાં હાજર ભત્રીજાવાદ વચ્ચે, તેમના જીવનને અકાળે સમાપ્ત કરવાની દિશામાં આગળ વધે છે અને આખરે એનું જીવન સમાપ્ત કરે છે. આ વેબ સિરીઝના દરેક એપિસોડની વાર્તા પોતાનામાં અલગ અને અનોખી હશે.

Mirzapur The Movie ‘મિર્ઝાપુર ધ મૂવી’ ને સેન્સર બોર્ડ તરફથી મળ્યું ‘A’ સર્ટિફિકેટ, ૩ કલાક ૧૭ મિનિટ છે ફિલ્મનો રનટાઇમ…
Mirzapur The Movie Advance Booking રિલીઝ પહેલાં જ ‘મિર્ઝાપુર ધ મૂર્વી’ ફિલ્મની જબરદસ્ત કમાણી, એડવાન્સ બુકિંગમાં વેચાયા હજારો ટિકિટો
Govinda Rise And Fall 2 ‘રાઈઝ એન્ડ ફોલ ૨’ શોમાં અભિનેતા ગોવિંદાની એન્ટ્રીની ચર્ચા, હોસ્ટ નહીં પરંતુ સ્પર્ધક તરીકે લેશે ભાગ
Salman Khan Bigg Boss 20 Fee બિગ બોસ ૨૦ માટે સલમાન ખાનને મળશે તગડી ફી, આંકડો જાણીને આંખો થઈ જશે પહોળી
Exit mobile version