Site icon News Continuous Bureau | Mumbai

સુશાંતસિંહ રાજપૂત પર આધારિત વેબ સિરીઝ ‘સુસાઈડ? હકીકત યા ષડ્યંત્ર’ આ દિવસે થવા જઈ રહી છે રિલીઝ

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૧૮ જૂન ૨૦૨૧

Join Our WhatsApp Channel

શુક્રવાર

બૉલિવુડના દિવંગત અભિનેતા સુશાંતસિંહ રાજપૂતના શંકાસ્પદ મૃત્યુને એક વર્ષ વીતી ગયું છે. તેની પ્રથમ પુણ્યતિથિ 14 જૂન, 2021ના રોજ હતી. આ પ્રસંગે, આગામી વેબ સિરીઝ 'સુસાઈડ? હકીકત યા ષડ્યંત્ર' ના કલાકાર અને દિગ્દર્શકે એનું પહેલું પોસ્ટર લૉન્ચ કર્યું હતું. આ વેબ સિરીઝ અંતમાં અભિનેતા સુશાંતના જન્મદિવસ પર એટલે કે આવતા વર્ષે 21 જાન્યુઆરીએ રિલીઝ થશે.

જોકે વેબ સિરીઝના ડિરેક્ટર અવિનાશ કહે છે કે આ વેબ સિરીઝની વાર્તા સુશાંતસિંહ રાજપૂતના જીવન પર આધારિત નથી. હા, તેઓ કહે છે કે આ એક કાલ્પનિક વાર્તા પર આધારિત વેબ સિરીઝ છે. જોકે એમાં ચોક્કસપણે શશાંક નામનું પાત્ર છે, જેનું પાત્ર સુશાંતના પાત્ર સાથે મેળ ખાય છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ વેબ સિરીઝ આઠ એપિસોડની હોઈ શકે છે.

જાણો વિદ્યા બાલન સ્ટારર ફિલ્મ ‘શેરની’નો રિવ્યૂ

વેબ સિરીઝ 'સુસાઈડ? હકીકત યા ષડ્યંત્ર' દેશના વર્તમાન રાજકારણથી અલગ છે. સિરીઝના એક એપિસોડમાં એક સંઘર્ષશીલ અભિનેતાની વાર્તા પણ બતાવવામાં આવશે, જે બોલિવુડમાં હાજર ભત્રીજાવાદ વચ્ચે, તેમના જીવનને અકાળે સમાપ્ત કરવાની દિશામાં આગળ વધે છે અને આખરે એનું જીવન સમાપ્ત કરે છે. આ વેબ સિરીઝના દરેક એપિસોડની વાર્તા પોતાનામાં અલગ અને અનોખી હશે.

‘3 Idiots’ Sequel Update| ‘થ્રી ઇડિયટ્સ’ ના સિક્વલની વાર્તા પરથી ઉઠ્યો પડદો આમિર ખાનની ફિલ્મમાં થશે મોટા ટ્વિસ્ટ સાથે નવા સુપરસ્ટારની એન્ટ્રી!
‘Kaala Hiran’ Controversy| ‘કાલા હિરન’ નામથી બની રહી હતી ફિલ્મ અને વચ્ચે આવી ગયા સલમાન ખાન! નોટિસ મોકલીને આપ્યો આ મોટો આદેશ
‘Don 3’ Controversy| રણવીર સિંહની ‘ડોન ૩’ નો મામલો કોર્ટમાં પહોંચ્યો; ફિલ્મમેકરે એસોસિએશન સામે જ ઠોકી દીધો કેસ
‘Hai Jawani To Ishq Hona Hai’| વરુણ ધવનની ‘હૈ જવાની તો ઇશ્ક હોના હૈ’ અડધા ભાવે જોવા મળશે! એડવાન્સ બુકિંગ કરાવતા જ મળશે આ મોટો ફાયદો
Exit mobile version