Site icon News Continuous Bureau | Mumbai

સુશાંતસિંહ રાજપૂત પર આધારિત વેબ સિરીઝ ‘સુસાઈડ? હકીકત યા ષડ્યંત્ર’ આ દિવસે થવા જઈ રહી છે રિલીઝ

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૧૮ જૂન ૨૦૨૧

Join Our WhatsApp Channel

શુક્રવાર

બૉલિવુડના દિવંગત અભિનેતા સુશાંતસિંહ રાજપૂતના શંકાસ્પદ મૃત્યુને એક વર્ષ વીતી ગયું છે. તેની પ્રથમ પુણ્યતિથિ 14 જૂન, 2021ના રોજ હતી. આ પ્રસંગે, આગામી વેબ સિરીઝ 'સુસાઈડ? હકીકત યા ષડ્યંત્ર' ના કલાકાર અને દિગ્દર્શકે એનું પહેલું પોસ્ટર લૉન્ચ કર્યું હતું. આ વેબ સિરીઝ અંતમાં અભિનેતા સુશાંતના જન્મદિવસ પર એટલે કે આવતા વર્ષે 21 જાન્યુઆરીએ રિલીઝ થશે.

જોકે વેબ સિરીઝના ડિરેક્ટર અવિનાશ કહે છે કે આ વેબ સિરીઝની વાર્તા સુશાંતસિંહ રાજપૂતના જીવન પર આધારિત નથી. હા, તેઓ કહે છે કે આ એક કાલ્પનિક વાર્તા પર આધારિત વેબ સિરીઝ છે. જોકે એમાં ચોક્કસપણે શશાંક નામનું પાત્ર છે, જેનું પાત્ર સુશાંતના પાત્ર સાથે મેળ ખાય છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ વેબ સિરીઝ આઠ એપિસોડની હોઈ શકે છે.

જાણો વિદ્યા બાલન સ્ટારર ફિલ્મ ‘શેરની’નો રિવ્યૂ

વેબ સિરીઝ 'સુસાઈડ? હકીકત યા ષડ્યંત્ર' દેશના વર્તમાન રાજકારણથી અલગ છે. સિરીઝના એક એપિસોડમાં એક સંઘર્ષશીલ અભિનેતાની વાર્તા પણ બતાવવામાં આવશે, જે બોલિવુડમાં હાજર ભત્રીજાવાદ વચ્ચે, તેમના જીવનને અકાળે સમાપ્ત કરવાની દિશામાં આગળ વધે છે અને આખરે એનું જીવન સમાપ્ત કરે છે. આ વેબ સિરીઝના દરેક એપિસોડની વાર્તા પોતાનામાં અલગ અને અનોખી હશે.

Jennifer Winget Wedding જેનિફર વિન્ગેટ બની દુલ્હન વિલિયમ ઈસ્માઈલ સાથે યુકેમાં કર્યા સાદગીભર્યા લગ્ન, તસવીરો વાયરલ
Ranbir Kapoor Health Update આંખમાં ઈન્ફેક્શન હોવા છતાં રણબીર કપૂર ‘રામાયણ’ના ‘પ્રથમ સંકલ્પ’ કાર્યક્રમમાં આપશે હાજરી
Rahil Azam Anupamaa News ‘અનુપમા’ છોડવાની અફવાઓ પર રાહિલ આઝમે તોડ્યું મૌન, કહ્યું ક્યારે થશે વાપસી?
KBC 18 Announcement ‘કૌન બનેગા કરોડપતિ’ની 18મી સીઝનનું એલાન, અમિતાભ બચ્ચને આપ્યું ખાસ સરપ્રાઈઝ
Exit mobile version