Site icon News Continuous Bureau | Mumbai

‘મેં કઈ ખોટું નથી કહ્યું’ ચેતન ભગતે ઉર્ફી જાવેદને આપ્યો પલટવાર જવાબ.

ચેતન ભગત અને ઉર્ફી જાવેદ વચ્ચે આજકાલ શાબ્દિક યુદ્ધ ચાલી રહ્યું છે. પહેલા ચેતને ઉર્ફી વિશે કંઈક કહ્યું, જેના પર અભિનેત્રીએ તેને ઉગ્ર ઝાટકણી કાઢી. હવે લેખકે આનો જવાબ આપ્યો છે.

News Continuous Bureau | Mumbai

બિગ બોસ ઓટીટી ફેમ ઉર્ફી જાવેદ ને કોઈ ઓળખ ની જરૂર નથી. તે હંમેશા એક યા બીજા કારણોસર ચર્ચામાં રહે છે. આ દિવસોમાં ઉર્ફી જાવેદ અને ચેતન ભગત વચ્ચે શબ્દોની લડાઈ ચાલી રહી છે. સૌથી પહેલા ચેતન ભગતે ઉર્ફી પર ટિપ્પણી કરી.ત્યારબાદ ઉર્ફી ચેતન ભગત પર ભડકી. તે જ સમયે, ચેતને ઉર્ફી જાવેદ વિશે એક નવું ટ્વિટ કર્યું છે.

Join Our WhatsApp Channel

ચેતન ભગતે ટ્વીટ કરીને લખ્યું, મેં ક્યારેય કોઈની સાથે વાત કરી નથી. ન તો મળ્યો કે નથી કોઈ ની સાથે ઓળખાણ.જે પણ કહેવામાં આવી રહ્યું છે કે મેં આ કર્યું છે. તે નકલી છે, તે ખોટું છે.આ બાબત પ્રચાર કરવા યોગ્ય નથી. મેં ક્યારેય કોઈની ટીકા કરી નથી.મને નથી લાગતું કે ઇન્સ્ટાગ્રામ પર સમય બગાડવાને બદલે ફિટનેસ અને કરિયર પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે લોકોને સલાડ આપીને મેં ખોટું કર્યું છે. આ ટ્વીટમાં તેણે ક્યાંય ઉર્ફી જાવેદના નામનો ઉલ્લેખ કર્યો નથી. ચેતન ભગતની ટિપ્પણીના જવાબમાં ઉર્ફીએ પાપારાઝીને કહ્યું, તે સમજી શકતી નથી કે ચેતન ભગત શું વિચારી રહ્યા હતા કે તેમને અભિનેત્રી વિશે વાત કરી.તેમણે સાહિત્યિક કાર્યક્રમમાં ઉર્ફી વિશે બોલવું નહોતું જોઈતું. આ પછી ઉર્ફીએ એક ઇન્સ્ટાગ્રામ સ્ટોરી શેર કરી.. આ પોસ્ટમાં તેણે લખ્યું, ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપ પર તેની અડધી ઉંમરની છોકરીને મેસેજ કરતી વખતે ત્યારે તમને કોણ ગેરમાર્ગે દોરી રહ્યું હતું?’ આ પોસ્ટ દ્વારા ઉર્ફીએ ચેતન ભગતને રેપ કલ્ચરને પ્રોત્સાહન ન આપવા જણાવ્યું હતું.

આ સમાચાર પણ વાંચો: નોરા ફતેહીનું વર્ષો પછી બહાર આવ્યું દર્દ, ઝલક દિખલાજા ના…

 ઉલ્લેખનીય છે કે, કાર્યક્રમમાં ચેતન ભગતે આજના યુવાનોને પુસ્તકો વાંચવાની સલાહ આપી હતી.તેમણે કહ્યું હતું કે ઈન્ટરનેટ સારી વસ્તુ છે, પરંતુ તેણે આપણા યુવાનોને નબળા બનાવી દીધા છે. છોકરાઓ આખો દિવસ ફોન પર રીલ જોતા રહે છે. ફોટા લાઈક કરતા રહે છે.ઉર્ફી જાવેદના ફોટાને યુવાનો પસંદ કરી રહ્યા છે. હું ઉર્ફીના તમામ ડ્રેસ જાણું છું. આમાં ઉર્ફીનો વાંક નથી.તે પોતાની કારકિર્દી બનાવી રહી છે. લોકો પથારીમાં ઘુસી ને ઉર્ફીની તસવીરો જોઈ રહ્યા છે. આજે હું પણ ઉર્ફીની તસવીરો જોઈને આવ્યો છું. આજે તેણીએ બે ફોન નો ડ્રેસ પહેર્યો છે.ચેતન ભગતે એમ પણ કહ્યું કે ઉર્ફી જાવેદ જેવા લોકો મળતા રહે છે. આના પર વાર્તાઓ બનાવવામાં આવે છે. ચેતનની આ કોમેન્ટ આગની જેમ બધે ફેલાઈ ગઈ. હવે ઉર્ફી જાવેદ અને ચેતન ભગત વચ્ચે શીતયુદ્ધ ચાલુ છે.

 

Ramleela Mahasangh Opposes Ranbir Kapoor Ramayana Casting રણબીર કપૂરના ‘રામ’ બનવા સામે શ્રી રામલીલા મહાસંઘનો તીવ્ર વિરોધ, ફિલ્મમાંથી હટાવવાની કરી માગણી
Dipika Chikhlia Supports Ranbir Kapoor Ramayana Casting રણબીર કપૂરના ‘રામ’ બનવાના વિવાદ વચ્ચે સીતા માતા ફેમ દીપિકા ચિખલિયાનું સમર્થન, કહ્યું ‘તે એક ઉત્તમ કલાકાર છે’
Salman Khan Alliance Show ‘અલાયન્સ’ શોમાં સલમાન ખાનની સરપ્રાઈઝ એન્ટ્રી ભાઈ સોહેલ ખાનને ભેટીને ભાવુક થયા દબંગ સ્ટાર, નવો પ્રોમો વાયરલ
Love and War Promotion Sanjay Leela Bhansali સંજય લીલા ભંસાલીની ફિલ્મ ‘લવ એન્ડ વોર’ માટે નહીં બને કોઈ ટીઝર કે મોશન પોસ્ટર, મેકર્સે બનાવ્યો ખાસ પ્લાન
Exit mobile version