Site icon News Continuous Bureau | Mumbai

શું સૌથી સુરક્ષિત એવા ‘બિગ બોસ 15’ ના ઘર માં પણ થયો કોરોના નો હુમલો? જાણો શું છે હકીકત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,

મુંબઈ, 7 જાન્યુઆરી 2022

Join Our WhatsApp Channel

શુક્રવાર

શું બિગ બોસના ઘરમાં પણ કોરોનાનો હુમલો થયો છે? શું સલમાન ખાનના શો બિગ બોસ 15ના સેફ હાઉસમાં કોરોના વાયરસે દસ્તક આપી છે? શું પરિવારના સભ્યો કોવિડની ઝપેટમાં આવી ગયા છે? સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવનાર કોરોના વાયરસ આ સમયે દરેકને પોતાની ઝપેટમાં લઈ રહ્યો છે. આવી સ્થિતિમાં હવે સમાચાર આવી રહ્યા છે કે બિગ બોસ 15ના સ્પર્ધકો પણ તેનો શિકાર બની શકે છે. સાવચેતીના ભાગરૂપે પરિવારના તમામ સભ્યોનો કોવિડ ટેસ્ટ પણ કરવામાં આવ્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, દેવોલિના ની  તબિયત ઘણા સમયથી બગડી રહી હતી, ત્યારબાદ જ તમામ સ્પર્ધકોનો RT-PCR ટેસ્ટ કરવામાં આવ્યો છે.

મીડિયા રિપોર્ટ્સ દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, દેવોલિના ની તબિયત ઘણા દિવસોથી ખરાબ ચાલી રહી હતી. દેવોલિના ભટ્ટાચારજી સહિત બાકીના સ્પર્ધકોનું પણ સાવચેતી તરીકે પરીક્ષણ કરવામાં આવ્યું છે. હજુ સુધી કોઈ રિપોર્ટ આવ્યો નથી અને હાલમાં રિપોર્ટની રાહ જોવાઈ રહી છે.આ શોના ફોર્મેટ મુજબ તમામ સ્પર્ધકો ઘરમાં બંધ છે અને બહાર ની દુનિયાથી અલગ થઈ ગયા છે. આવી સ્થિતિમાં, જો ઘરમાં કોરોનાવાયરસનો હુમલો આવે છે, તો તે ખરેખર આશ્ચર્યજનક હશે. કારણ કે આ શોના ક્રૂ મેમ્બર્સ સિવાય ઘરમાં કોઈ પ્રવેશતું નથી. અને તેઓ પણ ખૂબ કાળજી લે છે.

સલમાન ખાન સાથે ના લગ્ન ને લઇ ને તેની ભૂતપૂર્વ ગર્લફ્રેન્ડ એ કર્યો ખુલાસો; જાણો વિગત

આ સમયે કોરોનાનો ખતરો  ફિલ્મી દુનિયાના સ્ટાર્સ પર તોળાઈ  રહ્યો છે. ઘણા  સેલેબ કોરોનાની ઝપેટમાં આવી રહ્યા છે. નાના પડદાથી લઈને મોટા પડદા સુધીના કલાકારો કોરોનાની ઝપેટમાં આવી ચુક્યા છે. જો કે, હજી સુધી કોઈ પણ સેલેબને હોસ્પિટલમાં દાખલ થવાની જરૂર પડી નથી , તે બધા હોમ ક્વોરેન્ટાઇનમાં રહીને સાજા થઈ રહ્યા છે. હવે જોવું એ રહ્યું કે બિગ બોસ 15 ના ઘરના સદસ્યો ના રિપોર્ટ શું આવે છે.

Why did Kajal distance from Bollywood? કાજલ અગ્રવાલે બોલિવૂડથી કેમ બનાવી લીધી દૂરી? અભિનેત્રીએ પોતે કર્યો ખુલાસો
Jennifer Winget Wedding જેનિફર વિન્ગેટ બની દુલ્હન વિલિયમ ઈસ્માઈલ સાથે યુકેમાં કર્યા સાદગીભર્યા લગ્ન, તસવીરો વાયરલ
Ranbir Kapoor Health Update આંખમાં ઈન્ફેક્શન હોવા છતાં રણબીર કપૂર ‘રામાયણ’ના ‘પ્રથમ સંકલ્પ’ કાર્યક્રમમાં આપશે હાજરી
Rahil Azam Anupamaa News ‘અનુપમા’ છોડવાની અફવાઓ પર રાહિલ આઝમે તોડ્યું મૌન, કહ્યું ક્યારે થશે વાપસી?
Exit mobile version