Site icon News Continuous Bureau | Mumbai

દાદાસાહેબ ફાળકે પુરસ્કાર વિજેતા દિગ્દર્શક કે વિશ્વનાથનું થયું નિધન, 92 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

તેલુગુ સિનેમાના મહાન દિગ્દર્શકો માંના એક અને દાદાસાહેબ ફાળકે એવોર્ડ વિજેતા કે વિશ્વનાથનું ગુરુવારે રાત્રે વય સંબંધિત સમસ્યાઓને કારણે નિધન થયું હતું.

dada saseh phalke award winner director k vishwanath passed away at the age of 92

દાદાસાહેબ ફાળકે પુરસ્કાર વિજેતા દિગ્દર્શક કે વિશ્વનાથનું થયું નિધન, 92 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

News Continuous Bureau | Mumbai

તેલુગુ સિનેમાના મહાન દિગ્દર્શકો માંના એક કે વિશ્વનાથનું ગુરુવારે રાત્રે નિધન થયું. કે વિશ્વનાથ વય સંબંધિત ગંભીર બિમારીથી પીડિત હતા. તેમણે 92 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા. કે વિશ્વનાથને વર્ષ 2017માં ભારતીય સિનેમાના સર્વોચ્ચ એવોર્ડ દાદાસાહેબ ફાળકે એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. કે વિશ્વનાથને કલા તપસ્વી તરીકે પણ ઓળખવામાં આવતા હતા. તેઓ પાંચ રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારો, તેમજ રાજ્ય નંદી પુરસ્કાર, 10 ફિલ્મફેર પુરસ્કાર દક્ષિણ અને એક હિન્દીમાં ફિલ્મફેર પુરસ્કાર પ્રાપ્તકર્તા પણ હતા.વર્ષ 1992 માં, કે વિશ્વનાથને આંધ્ર પ્રદેશ રાજ્ય રઘુપતિ વેંકૈયા પુરસ્કાર અને કલાના ક્ષેત્રમાં તેમના યોગદાન માટે નાગરિક સન્માન પદ પણ મળ્યું. 

Join Our WhatsApp Channel

 

કે વિશ્વનાથ ની કારકિર્દી 

કે વિશ્વનાથે તેમની ફિલ્મ કારકિર્દી ઑડિયોગ્રાફર તરીકે શરૂ કરી હતી અને 60 વર્ષના ગાળામાં તેમણે પર્ફોર્મન્સ આર્ટ, વિઝ્યુઅલ આર્ટ અને સૌંદર્ય શાસ્ત્ર આધારિત ફિલ્મો સહિત વિવિધ શૈલીઓ માં 53 ફીચર ફિલ્મોનું નિર્દેશન કર્યું હતું.કે વિશ્વનાથની દિગ્દર્શક તરીકે ની પ્રથમ ફિલ્મ 1965માં અભિનેતા અક્કીનેની નાગેશ્વર રાવ અભિનીત ‘ગોવરમ’ હતી. તેમની સૌથી મોટી ફિલ્મોમાં શંકરાભરનમ,સ્વાથીનુંય્યમ , સાગર સંગમમ અને સ્વયમકૃષિ નો સમાવેશ થાય છે. દિગ્દર્શકની છેલ્લી ફિલ્મ વર્ષ 2010માં આવેલી ‘સુભાપ્રદમ’ હતી. આ સાથે તેણે ‘કાલીસુંદરમ રા’, ‘નરસિમ્હા નાયડુ’, ‘ટાગોર’ અને ‘મિસ્ટર પરફેક્ટ’ જેવી ઘણી બ્લોકબસ્ટર ફિલ્મોમાં પણ કામ કર્યું હતું.

 

કે વિશ્વનાથ ને મળી હતી આંતરરાષ્ટ્રીય માન્યતા 

કે વિશ્વનાથને તેમના કાર્યો માટે આંતરરાષ્ટ્રીય માન્યતા મળી. કે વિશ્વનાથની ફિલ્મગ્રાફી ઉદાર કલાના માધ્યમ દ્વારા જાતિ, રંગ, અપંગતા, લિંગ ભેદભાવ, દુષ્કર્મ, મદ્યપાન અને સામાજિક-આર્થિક પડકારો ના મુદ્દાને સંબોધવા માટે જાણીતી છે. આજે તે મહાન દિગ્દર્શક આપણી વચ્ચે નથી રહ્યા, પરંતુ કે વિશ્વનાથનું સિનેમા જગતમાં મહત્વનું યોગદાન હંમેશા યાદ રહેશે.

Mirzapur The Movie Review વેબ સિરીઝ કરતાં પણ વધુ દમદાર! ‘મિર્ઝાપુર ધ મૂવી’ જોઈને દર્શકો થયા ખુશખુશાલ; જાણો કેવો છે રિવ્યૂ?
Love And War Shooting Wrap રણબીરઆલિયાવિકીની બહુચર્ચિત ફિલ્મનું શૂટિંગ પૂર્ણ! જાણો ક્યારે સિનેમાઘરોમાં રિલીઝ થશે ‘લવ એન્ડ વોર’?
Mirzapur The Movie Advance Booking ‘મિર્ઝાપુર ધ મૂવી’ ની એડવાન્સ બુકિંગમાં તબાહી, વેચાઈ ગઈ 1 લાખથી વધુ ટિકિટ્સ, જાણો શાનદાર કલેક્શન
Hanuman Ansh Worldwide Release હવે દુનિયાભરમાં ચમત્કાર કરશે ‘હનુમાન અંશ’, જાણો કયા દિવસે થશે વર્લ્ડવાઇડ રિલીઝ
Exit mobile version