Site icon News Continuous Bureau | Mumbai

સુશાંત રાજપૂત કેસ: રિયા પહોંચી ભાયખલા જેલ, એનસીબી ઓફિસમાં જ રાત વિતાવી પડી

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Channel

09 સપ્ટેમ્બર 2020

અભિનેતા સુશાંતસિંહ રાજપુતના મોતમાં ડ્રગ્સના મામલે રિયા ચક્રવર્તીની 3 દિવસની પુછપરછ પછી મંગળવારે તેની ધરપકડ કરવામાં આવી હતી. NDCP કાયદાની કલમ 8C, 20B, 27A અને 29 અંતર્ગત રિયાની ધરપકડ કરવામાં આવી હતી. જે પછી રિયાનું મેડીકલ ચેકઅપ કર્યા પછી વિડીયો કોન્ફરન્સીંગ દ્વારા મુંબઇ સ્થિત અદાલત સમક્ષ રજુ કરવામાં આવી હતી.

જયાં રિયાની જામીન અરજી ફગાવી 22 સપ્ટેમ્બર સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવી હતી. હવે રિયાને 14 દિવસ સુધી જેલમાં રહેવું પડશે. જેલના નિયમ અનુસાર સુર્યાસ્ત પછી જેલમાં કોઇ કેદીની એન્ટ્રી કરવામાં આવતી નથી. તેથી રિયાને મંગળવારની રાત્રી રિયાએ એનસીબીની ઓફિસમાં વુમેન સેલમાં રાખવામાં આવી હતી અને આજે એનસીબી ઓફિસથી ભાયખલા જેલ ખસેડવામાં આવી હતી.

નોંધનીય છે કે રિયા ચક્રવર્તીએ એનસીબીની પૂછપરછમાં સ્વીકાર્યું હતું કે તે ડ્રગ્સનું સેવન કરતી હતી. રિયાની જામીન અરજી પણ ફગાવી દેવાઈ છે. આ સાથે જ રિયાને સેશન કોર્ડમાં જામીન અરજી કરવા માટેની છૂટ અપાઈ છે. જેલમાં રિયાનો મેડિકલ ટેસ્ટ કરાઈને તેને ક્વોરન્ટાઈનમાં રાખવામાં આવશે.

Riddhima Kapoor| રિદ્ધિમા કપૂર કેમ ન બની અભિનેત્રી? નીતુ કપૂરે જણાવ્યું એ કારણ, જેને જાણીને તમે પણ ચોંકી જશો
Mayur Raj Verma। ‘એક્ટિંગ છોડી બન્યા બિઝનેસ ટાયકૂન મહાભારતના અભિમન્યુની આ સફળતા જોઈને ચોંકી જશો
‘Golmaal 5’ Update| ગોપાલ અને તેની ગેંગ પાછી ફરી! ‘ગોલમાલ 5’ નું શૂટિંગ થયું પૂરું, જાણો ક્યારે સિનેમાઘરોમાં આવશે આ ધમાકેદાર ફિલ્મ
The Family Man 4| તમારી રાહનો આવ્યો અંત! ‘ધ ફેમિલી મેન 4’ કન્ફર્મ, મનોજ બાજપેયીનું આ નિવેદન ચાહકોમાં જગાવશે રોમાંચ
Exit mobile version