News Continuous Bureau | Mumbai
Dhurandhar 3| બોક્સ ઓફિસ પર ધૂમ મચાવનાર ફિલ્મ ‘ધુરંધર’ અને ‘ધુરંધર ધ રિવવેન્જ’ બાદ હવે આ ફ્રેન્ચાઈઝીના ત્રીજા ભાગને લઈને ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. ફિલ્મની સહનિર્માતા જ્યોતિ દેશપાંડેએ ખુલાસો કર્યો છે કે આ વર્ષના અંત સુધીમાં ચાહકો માટે કંઈક ઘણું ખાસ પ્લાન કરવામાં આવ્યું છે. જોકે તેમણે સત્તાવાર રીતે ‘ધુરંધર 3’ની જાહેરાત નથી કરી, પરંતુ તેમના નિવેદનથી ચાહકોમાં ભારે ઉત્તેજના જોવા મળી રહી છે.
જ્યોતિ દેશપાંડેનો સૂચક ઈશારો
એક ઈન્ટરવ્યુ દરમિયાન જ્યોતિ દેશપાંડેએ જણાવ્યું હતું કે, “ધુરંધરનું કામ હજુ પૂરું થયું નથી. આશા છે કે આ વર્ષના અંત સુધીમાં અમે દર્શકો માટે કંઈક વિશેષ લઈને આવીશું. અમે કેટલીક ખાસ યોજનાઓ તૈયાર કરી છે.” આ નિવેદન બાદ સોશિયલ મીડિયા પર ફિલ્મની આગામી કડીને લઈને અટકળો તેજ થઈ ગઈ છે.
ચાહકો શું અટકળો લગાવી રહ્યા છે?
સોશિયલ મીડિયા પર ચાહકો આ ‘સરપ્રાઈઝ’ ને લઈને વિવિધ શક્યતાઓ વ્યક્ત કરી રહ્યા છે. કેટલાકનું માનવું છે કે ફિલ્મની મેકિંગ પર આધારિત એક ડોક્યુમેન્ટરી રિલીઝ થઈ શકે છે, જ્યારે અન્ય લોકો માને છે કે નિર્માતાઓ પાર્ટ 1 અને 2 નું ‘8 કલાકનું અનકટ વર્ઝન’ રજૂ કરી શકે છે. જોકે, સૌથી વધુ ચર્ચા ‘ધુરંધર 3’ અથવા આદિત્ય ધરના ‘ધુરંધર યુનિવર્સ’ ની આગામી ફિલ્મની જાહેરાતને લઈને થઈ રહી છે.
‘ધુરંધર’ ફ્રેન્ચાઈઝીની સફળતા
‘ધુરંધર: ધ રિવવેન્જ’ ૧૯ માર્ચ ૨૦૨૬ના રોજ રિલીઝ થઈ હતી, જેમાં રણવીર સિંહ, અર્જુન રામપાલ, આર. માધવન અને સંજય દત્ત જેવા દિગ્ગજ કલાકારો જોવા મળ્યા હતા. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર ૧૦૦૦ કરોડથી વધુની કમાણી કરીને ઈતિહાસ રચ્યો છે. આદિત્ય ધર અને રણવીર સિંહની જોડી ફરી એકવાર સાથે કામ કરવા માટે ઉત્સાહિત છે, જે દર્શકો માટે ચોક્કસપણે એક મોટી ટ્રીટ સાબિત થશે.
👉 આ સમાચાર વાચો:
Ghatkopar Gutka Raid। ઘાટકોપરમાં ગુટખા માફિયાઓ પર ત્રાટકી પોલીસ 12 લાખનો પ્રતિબંધિત જથ્થો ઝડપાયો, મીરા રોડનો શખ્સ જેલભેગો
