Site icon

અભિનેતા દિલીપ કુમારના વધુ એક ભાઈનું કોરોનાના કારણે નિધન

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Community

03 સપ્ટેમ્બર 2020

અભિનેતા દિલીપકુમારનાં વધુ એક ભાઈનું કોરોનાને લીધે નિધન થયું છે. દિલીપ કુમારના નાનાભાઈ એહસાન ખાન કોરોનાની મહામારીમાં સપડાયા હતા. તેમની લીલાવતી હોસ્પિટલમાં સારવાર પણ ચાલી રહી હતી પરંતુ તેમણે ગઇકાલે રાત્રે અંતિમ શ્વાસ લીધા હતા. એહસાન ખાનની કોરોનાની સાથે હૃદયની બિમારી, હાઈપર ટેન્શન અને અલ્ઝાઇમર જેવી બિમારીઓની સારવાર પણ ચાલી રહી હતી.

તેમના નિધનથી પરિવાર શોકમાં ગરક થઇ ગયો હતો. નોંધનીય છે કે ગત 21 ઓગસ્ટનાં રોજ દિલીપકુમારના નાનાભાઈ અસલમ ખાનનું પણ કોરોનાને લીધે નિધન થયું હતું. દિલીપકુમારના આ બંને ભાઈઓને શ્વાસની તકલીફ થતાં બંનેને લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. બંનેને વેન્ટીલેટર પર રાખવામાં આવ્યા હતા જ્યાં બંને ભાઈઓના એક પછી એક મોત થતા પરિવાર આઘાતમાં ગરક થઇ ગયો છે..

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…

https://bit.ly/353bjR8 

O Romeo OTT Release: OTT પર રાજ કરવા તૈયાર છે શાહિદ કપૂરની ‘ઓ રોમિયો’: એપ્રિલના બીજા સપ્તાહમાં થઈ શકે છે રિલીઝ; જાણો કયા પ્લેટફોર્મ પર જોઈ શકાશે ઓનલાઈન
Thalapathy Vijay Divorce Case: શું વિજય અને સંગીતાના ૨૭ વર્ષના લગ્નજીવનનો અંત આવશે? ₹૨૫૦ કરોડની ઓફર સાથે મામલો થાળે પાડવાનો પ્રયાસ; ફેન્સમાં ભારે ચર્ચા.
Janhvi Kapoor on Arjun Kapoor Trolling: ટ્રોલ્સના નિશાના પર અર્જુન કપૂર અને વ્હારે આવી બહેન જ્હાન્વી! ‘બલિનો બકરો’ વાળા નિવેદને સોશિયલ મીડિયામાં જગાવી ચર્ચા; જુઓ શું છે પૂરો મામલો
Kartik Aaryan: મોટા પડદે ફરી જોવા મળશે કાર્તિક આર્યનનો જાદુ! આ સુપરહિટ ફિલ્મે તોડ્યા હતા રેકોર્ડ, હવે થીયેટરોમાં ફરી મચાવશે ધૂમ
Exit mobile version