બોલીવુડના દિગ્ગજ અભિનેતા દિલીપ કુમારની તબિયત અંગે ઉડતી અફવાઓ વચ્ચે સાયરાબાનુએ અભિનેતાનાના સ્વાસ્થ્ય અંગે જાણકારી આપી છે.
સાયરાબાનુએ જણાવ્યું કે, તેમની તબિયત હાલ સારી છે. જોકે તેઓ હજુ પણ ICU માં જ છે. પરંતુ જયારે ડોક્ટર્સ સલાહ આપશે, ત્યારે અમે તેને ઘરે લઇ આવીશું.
દિલીપ કુમારને શ્વાસ લેવામાં તકલીફ થતી હોવાથી ગત તા. 30 જૂનના રોજ મુંબઈ ખાતે પી ડી હિન્દુજા હોસ્પીટલમાં દાખલ કરાયા હતા.
