Site icon

લતા મંગેશકર સાથે શ્રદ્ધા કપૂરનો છે આ ખાસ સંબંધ, દરેક મુશ્કેલ સમયમાં ગાયિકા ની સાથે હતી અભિનેત્રી ; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો, 

મુંબઈ, 7 ફેબ્રુઆરી 2022      

Join Our WhatsApp Community

સોમવાર

સિનેમા અને સંગીત જગતના સ્વરકોકિલા લતા મંગેશકર હવે આપણી વચ્ચે નથી. લાંબી માંદગીના કારણે 92 વર્ષની વયે તેમણે આ દુનિયાને અલવિદા કહી દીધું. આ સમાચારે સૌને હચમચાવી દીધા છે.તે જ સમયે, લતાજીના નિધનના સમાચારને કારણે મનોરંજન જગતમાં મૌન છે. તેમના નિધનના શોકથી દરેક વ્યક્તિ દુખી છે. દરેક લોકો તેમને યાદ કરી રહ્યા છે અને સોશિયલ મીડિયા પર શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. જ્યારે લતાજીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા ત્યારે તેમની નાની બહેન અને પીઢ ગાયિકા આશા ભોસલે, ભાઈ અને શ્રદ્ધા કપૂર તેમની તબિયત જાણવા માટે બ્રીચ કેન્ડી હોસ્પિટલ પહોંચ્યા હતા. આખરે, શ્રદ્ધા કપૂર અને લતા મંગેશકર વચ્ચે એવો કયો ખાસ સંબંધ છે કે તે દરેક ક્ષણે તેમની સાથે ઉભી જોવા મળી હતી. જો તમે નથી જાણતા તો અમે જણાવી દઈએ છીએ કે બંને વચ્ચે ગાઢ સંબંધ છે. તો ચાલો જાણીએ…

શ્રદ્ધા કપૂર વિશે બહુ ઓછા લોકો જાણે છે કે તેના અને લતા મંગેશકર વચ્ચે ગાઢ સંબંધ છે. ખરેખર, શ્રદ્ધા કપૂરના અવાજને કોકિલા લતા મંગેશકર સાથે ખાસ સંબંધ છે. શ્રદ્ધા કપૂર અને લતા સગાં-સંબંધી છે. શ્રદ્ધા કપૂરના દાદા અને લતા મંગેશકર પિતરાઈ ભાઈઓ છે એટલે કે શ્રદ્ધાની માતા શિવાંગી કપૂર લતા મંગેશકરની ભત્રીજી છે. આ અર્થમાં, શ્રદ્ધા લતા મંગેશકરની પૌત્રી બની.

લતાજીનું એ ગીત, જેને સાંભળીને નેહરુ પણ રડી પડ્યા હતા, તેને આ રીતે લખવામાં આવ્યું હતું; જાણો વિગત

તમને જણાવી દઈએ કે શ્રદ્ધા કપૂરના દાદા પંઢરીનાથ કોલ્હાપુરેની માતા દીનાનાથ મંગેશકરની સાવકી બહેનનો આખા મંગેશકર પરિવાર સાથે સંબંધ હતો. તે દીનાનાથ મંગેશકર, લતા મંગેશકર, આશા ભોસલે, મીના, ઉષા અને હૃદયનાથ મંગેશકરનીફોઈ ની સાવકી બહેન છે.કદાચ આ જ કારણ છે કે લતા મંગેશકરની પૌત્રી હોવાને કારણે, શ્રદ્ધાને પણ ગાવામાં રસ પડ્યો અને તે પણ સંગીતની યુક્તિઓથી ભરપૂર છે. શ્રદ્ધા કપૂર લતા મંગેશકર સાથે અનેક પ્રસંગોએ જોવા મળી છે. આ સાથે જ તેના ફેમિલી ફોટો પણ સામે આવ્યા છે.
 

Rashmika Mandanna 30th Birthday: નેશનલ ક્રશ રશ્મિકા મંદાનાનો બર્થડે બન્યો ખાસ, પિતાએ ભેટમાં આપી અનમોલ વસ્તુ
Anant Ambani Birthday Celebrations: અનંત અંબાણીના બર્થડે પર રોશનીથી ઝળહળી ઉઠ્યો મુંબઈનો સી-લિંક, જામનગરમાં સિતારાઓનો મેળાવડો
Dhurandhar 1 & 2 Music: ‘ધુરંધર’ ના સંગીતનો જાદુ: 25 ગીતોની સફરમાં આ 5 ગીતો રહ્યા ફેન્સના ફેવરિટ, જાણો કોણ છે નંબર-1.
Nitesh Tiwari’s Ramayana: શું ‘રામાયણ’માં રાવણનો અલગ અંદાજ જોવા મળશે? નિતેશ તિવારીએ રાવણના પાત્રને લઈને કર્યો મોટો ખુલાસો
Exit mobile version