Site icon News Continuous Bureau | Mumbai

Emergency Movie: પંગા કવીન કંગના રનૌતની ‘ઇમરજન્સી’ વિવાદમાં ઘેરાઈ, ફિલ્મ નિર્માતાઓને મળી કાનૂની નોટિસ..

Emergency Movie: બોલિવૂડ અભિનેત્રી અને બીજેપી સાંસદ કંગના રનૌત ખેડૂતોના આંદોલન પર પોતાના નિવેદન બાદ નવી મુશ્કેલીમાં છે. તેની આગામી ફિલ્મ ઈમરજન્સીનો પંજાબમાં ભારે વિરોધ થઈ રહ્યો છે. ફિલ્મમાં શીખોના ખોટા ચિત્રણને લઈને શીખો નારાજ છે. હવે આ ફિલ્મ રિલીઝ પહેલા જ કાયદાકીય મુશ્કેલીમાં ફસાઈ ગઈ છે.

Emergency MovieSGPC sends legal notice to producers of Kangana’s ‘Emergency’

Emergency MovieSGPC sends legal notice to producers of Kangana’s ‘Emergency’

News Continuous Bureau | Mumbai

Emergency Movie:બીજેપી સાંસદ અને અભિનેત્રી કંગના રનૌતની આગામી ફિલ્મ ‘ઇમરજન્સી’ રિલીઝ પહેલા જ વિવાદોમાં ઘેરાઈ ગઈ છે. શિરોમણી ગુરુદ્વારા પ્રબંધન સમિતિ આ ફિલ્મથી નારાજ દેખાઈ રહી છે. આ માટે ગુરુદ્વારા મેનેજમેન્ટ કમિટી દ્વારા કંગના રનૌત અને ફિલ્મ મેકર્સને લીગલ નોટિસ મોકલવામાં આવી છે. નોટિસ દ્વારા ફિલ્મમાં શીખોને ખોટી રીતે દર્શાવતા દ્રશ્યો હટાવવા માટે કહેવામાં આવ્યું છે.

Join Our WhatsApp Channel

Emergency Movie: હરિયાણા કોર્ટમાં આ ફિલ્મ વિરુદ્ધ અરજી દાખલ

આ પહેલા પંજાબ અને હરિયાણા કોર્ટમાં આ ફિલ્મ વિરુદ્ધ અરજી દાખલ કરવામાં આવી હતી. અરજી દ્વારા એવી માંગ કરવામાં આવી છે કે પંજાબમાં આ ફિલ્મની રિલીઝ પર રોક લગાવવામાં આવે, કારણ કે તેમાં શીખોને ખોટી રીતે દર્શાવવામાં આવ્યા છે.

Emergency Movie: ઈમરજન્સી ફિલ્મની રિલીઝના વિરોધ

 જણાવી દઈએ કે શિરોમણી ગુરુદ્વારા પ્રબંધન સમિતિની સાથે સાથે એવા ઘણા સંગઠનો છે જે આ ઈમરજન્સી ફિલ્મની રિલીઝના વિરોધમાં છે. એવો આરોપ છે કે આ ફિલ્મ ‘શિખ વિરોધી’ કથાને પ્રોત્સાહન આપી રહી છે અને શીખોને ‘અલગતાવાદી’ બતાવી રહી છે. તેથી ફિલ્મ રિલીઝ ન થવી જોઈએ અથવા તેમાંથી વાંધાજનક દ્રશ્યો હટાવવા જોઈએ.

 

 

King Teaser| કિંગ ઇઝ બેક! શાહરૂખ ખાનની ‘કિંગ’ ની રિલીઝ ડેટ જાહેર, ટીઝરમાં જોવા મળ્યો ખતરનાક લુક
Ramayana Movie| “૪૦૦૦ કરોડના બજેટમાં બનતી ફિલ્મ ‘રામાયણ’ વિશે નવી માહિતી ફિલ્મની વાર્તામાં આ હશે મુખ્ય આકર્ષણ
Lawrence of Punjab| ‘લૉરેન્સ ઓફ પંજાબ’ પર મોટું સંકટ હવે ZEE5 પર નહીં રિલીઝ થાય લૉરેન્સ બિશ્નોઈ પર આધારિત સીરીઝ, સરકારનો મોટો નિર્ણય
Aakhiri Sawaal| વિવાદોમાં ‘આખરી સવાલ’! ફિલ્મના પ્રોમોમાં ૧૯૯૨ની અયોધ્યા ઘટનાનો ઉલ્લેખ થતા લોકોમાં રોષ, જાણો શું છે વિવાદ
Exit mobile version