Site icon News Continuous Bureau | Mumbai

બોલીવુડ અને મરાઠી ફિલ્મોમાં અભિનય કરનાર પદ્મશ્રી અભિનેત્રી સુલોચના લાટકર નું નિધન

અભિનેત્રી સુલોચના લાટકરે અસંખ્ય હિન્દી ફિલ્મોમાં સાઈડ રોલ તેમજ મરાઠી ફિલ્મોમાં મુખ્ય રોલ નિભાવ્યા હતા

News Continuous Bureau | Mumbai

મરાઠી ફિલ્મોની પીડ અભિનેત્રી સુલોચના લાટકર નો નિધન થયું છે. તેઓએ 50 વર્ષ સુધી સીને સૃષ્ટિ માં કામ કર્યું તેમજ ઉત્કૃષ્ટ અભિનયને કારણે તેમને પદ્મશ્રી એવોર્ડ પણ આપવામાં આવ્યો છે. હિન્દી ફિલ્મોમાં તેઓ મુખ્યત્વે માં ની ભૂમિકા નિભાવતા હતા. તેમણે 250 જેટલી હિન્દી ફિલ્મોમાં અભિનય કર્યો છે. 40 ના દશકથી તેઓ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કાર્યરત હતા.

Join Our WhatsApp Channel

તેમણે 94 વર્ષની ઉંમરે હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. આવતીકાલે એટલે કે સોમવારે દાદર ખાતે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. તેમની દીકરીએ મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે છેલ્લા થોડા સમયથી તેમની તબિયત બરોબર રહેતી નહોતી. આ ઉપરાંત તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં તેમને વેન્ટિલેટર સપોર્ટ સિસ્ટમ આપવામાં આવી હતી. જોકે વધતી ઉંમરને કારણે તેમનું નિધન થયું.

તેમના નિદાન પર ફિલ્મ ઇન્ડસ્ટ્રી તેમજ રાજકીય હસ્તીઓએ શોક સંદેશ પાઠવ્યો છે.

 

 

Arvind Vekaria Passes Away રંગભૂમિ સૂની થઈ દિગ્ગજ કલાકાર અરવિંદ વેકરિયાનું નિધન, કલા જગતમાં શોકની લહેર
Padma Shri Award કલા જગતમાં ખુશીનો માહોલ; અલ્કા યાગ્નિક અને મમૂટીને પદ્મ ભૂષણ, આર. માધવનને પદ્મશ્રી એવોર્ડ
Amit Bhatt Taarak Mehta Champak Chacha રિયલ લાઈફમાં ૨ બાળકોના પિતા છે ‘બાપુજી’ અમિત ભટ્ટ, ૨૭ વર્ષ પહેલાં કર્યા હતા લગ્ન; લાઈમલાઈટથી કેમ દૂર રહે છે પત્ની?
Dheeraj Dhoopar Lock Upp 2 Entry ટીવીનો ‘ચોકલેટ બોય’ હવે જેલના સળિયા પાછળ! ‘Lock Upp 2’ માં ધીરજ ધૂપરની સરપ્રાઈઝ એન્ટ્રીથી ફેન્સ ચોંક્યા
Exit mobile version