Site icon

Celebs Reaction On Pahalgam Attack: પહેલગામ હુમલા પર આવ્યું સલમાન ખાન, શાહરુખ ખાન નું રિએક્શન, આલિયા ભટ્ટે પણ કહી આવી વાત

Celebs Reaction On Pahalgam Attack: બોલિવૂડના દિગ્ગજ કલાકારો એ પહેલગામ આતંકી હુમલાને લઈ ને ગુસ્સો વ્યક્ત કર્યો છે. તેમજ સરકાર પાસે થી ન્યાય ની માંગણી પણ કરી છે.

film industry stars reactions on pahalgam terrorist attack

film industry stars reactions on pahalgam terrorist attack

News Continuous Bureau | Mumbai

Celebs Reaction On Pahalgam Attack: જમ્મુ-કશ્મીરના પહેલગામ માં થયેલા ભયંકર આતંકી હુમલાએ આખા દેશમાં ખળભળાટ મચાવી દીધો છે. કહેવામાં આવી રહ્યું છે કે આ હુમલા માં 26 લોકો ના નિધન થયા છે. આ ઘટનાને લઇને લોકો પોતાનો ગુસ્સો પ્રગટ કરી રહ્યા છે. બોલિવૂડના દિગ્ગજ સિતારાઓ પણ આ હિંસાની કડક નિંદા કરી રહ્યા છે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો: Rupali Ganguly Behavior: શું ખરેખર સેટ પર બધાની સાથે ખરાબ વર્તન કરે છે રૂપાલી ગાંગુલી? અનુપમા ના જમાઈ એ કર્યો આ વાત નો ખુલાસો

સલમાન ખાન અને શાહરુખ ખાનના ભાવુક સંદેશા

સલમાન ખાન એ પોતાનું દુ:ખ વ્યક્ત કરતા કહ્યું કે, “ધરતીનું સ્વર્ગ સમાન કાશ્મીર નરક બની રહ્યું છે. નિર્દોષ લોકોને નિશાન બનાવીને હત્યા કરવામાં આવી રહી છે, જે ખૂબ જ દુ:ખદ છે. એક નિર્દોષને મારવું એ આખી સૃષ્ટિને મારવા જેવું છે.”


શાહરુખ ખાન એ પણ પોતાના એક્સ (X) હેન્ડલ પર લખ્યું કે, ” ‘પહેલગામમાં થયેલા વિશ્વાસઘાત અને અમાનવીય કૃત્ય પરના દુ:ખ અને ગુસ્સાને શબ્દોમાં વ્યક્ત કરવો મુશ્કેલ છે. આવા સમયમાં, આપણે ફક્ત ભગવાનનું ધ્યાન કરી શકીએ છીએ અને અસરગ્રસ્ત પરિવારો માટે પ્રાર્થના કરી શકીએ છીએ. તમે તમારી ઊંડી સંવેદના પણ વ્યક્ત કરી શકો છો. ચાલો આપણે એક રાષ્ટ્ર તરીકે મજબૂત બનીએ અને આ ઘૃણાસ્પદ કૃત્ય માટે ન્યાય માંગીએ.”


અલિયા ભટ્ટ એ આ ઘટનાને “દિલ દહલાવનારી” કહી અને કહ્યું કે, “લોકો શાંતિ માટે પહલગામ જાય છે, પરંતુ આજ એક દુ:ખદ ઘટના બની ગઈ છે.”


આ ઘટના અંગે આખા દેશમાં લોકોમાં આક્રોશ ફાટી નીકળ્યો છે. સોશિયલ મીડિયા પર લોકો ન્યાય માટે પોતાની માંગ રજૂ કરી રહ્યા છે. બોલિવૂડ અને દેશના નાગરિકો આ કૃત્યની ચોટદાર ભલામણ કરી રહ્યા છે અને પીડિતોને ન્યાય મળવો જોઈએ એવી માંગ કરી રહ્યા છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Arijit singh: મુંબઈના બંગલા નહીં, પણ અરિજીત સિંહનું આ રેસ્ટોરન્ટ છે ચર્ચામાં; માત્ર ૪૦ રૂપિયામાં મળે છે ઘર જેવું સ્વાદિષ્ટ ભોજન!
Arijit Singh: અરિજીત સિંહે પ્લેબેક સિંગિંગમાંથી લીધી નિવૃત્તિ, ઇન્સ્ટાગ્રામ પોસ્ટથી ચાહકો સ્તબ્ધ; જાણો શું છે કારણ
KRK Sent to Jail: ઓશિવારા ફાયરિંગ કેસમાં કેઆરકેની મુશ્કેલી વધી, મુંબઈ કોર્ટે જામીન નકારતા ૧૪ દિવસની જ્યુડિશિયલ કસ્ટડી
Adrija Roy Engagement: તમિલ રીતિ-રિવાજ મુજબ અદ્રિજા રોયની રિંગ સેરેમની; સોશિયલ મીડિયા પર વાયરલ થઈ સગાઈની સુંદર તસવીરો
Exit mobile version