Site icon News Continuous Bureau | Mumbai

પ્રિયંકા ચોપરાના સમર્થનમાં આવ્યા અપૂર્વ અસરાની, કહ્યું-કેવી રીતે ચલાવવામાં આવ્યું પ્રિયંકા-સુશાંત વિરુદ્ધ અભિયાન

પ્રિયંકા ચોપરાએ ભૂતકાળમાં ઘણા ખુલાસા કર્યા હતા. અભિનેત્રીએ જણાવ્યું કે શા માટે તેણે હોલીવુડમાં કામ શોધવાનું શરૂ કર્યું. પ્રિયંકાએ કહ્યું હતું કે તે ઈન્ડસ્ટ્રીની રાજનીતિથી નારાજ છે. કારણ કે તે આ પ્રકારની રમતો રમી શકતી ન હતી. હવે ફિલ્મ નિર્માતા અપૂર્વ અસરાની પ્રિયંકા ચોપરાના સમર્થનમાં સામે આવ્યા છે. તેણે અનેક ખુલાસા કર્યા છે.

film maker apurva asrani supports priyanka chopra says bollywood mafia planned to corner sushant singh rajput

પ્રિયંકા ચોપરાના સમર્થનમાં આવ્યા અપૂર્વ અસરાની, કહ્યું-કેવી રીતે ચલાવવામાં આવ્યું પ્રિયંકા-સુશાંત વિરુદ્ધ અભિયાન

News Continuous Bureau | Mumbai

પ્રિયંકા ચોપરા જોનાસે હાલમાં જ તેણે બોલિવૂડ છોડીને અહીં થઈ રહેલી રાજનીતિ અંગે નિવેદન આપ્યું હતું, જેના પછી ઈન્ડસ્ટ્રીમાં ખળભળાટ મચી ગયો હતો. ઘણા સેલેબ્સે પ્રિયંકાને ટેકો આપ્યો અને ઘણાએ પોતાના વાંધાઓ પણ જણાવ્યા. હવે ફિલ્મ નિર્માતા અપૂર્વ અસરાની પ્રિયંકાના સમર્થનમાં બહાર આવ્યા છે અને બોલિવૂડમાં ચાલતી ગેંગ વિશે ખુલ્લેઆમ વાત કરી છે જે કલાકારોની પ્રતિભાને અવગણે છે અને નકારે છે જેઓ તેમને સાંભળવાનો ઇનકાર કરે છે.

Join Our WhatsApp Channel

 

અપૂર્વ એ કર્યો ખુલાસો 

અપૂર્વ એ તેના ટ્વિટર પર પોસ્ટ શેર કરતા કહ્યું કે તે સુશાંત સિંહ રાજપૂતની સાથે હતા અને હવે તે પ્રિયંકા ચોપરાની સાથે જ ઉભા રહેશે, પછી ભલે મને પરિણામોનો સામનો કરવો પડે. અપૂર્વાએ ટ્વિટ કર્યું, ‘મેં જ્યારે સુશાંત અને અંધ વસ્તુઓની અશુભ સંસ્કૃતિ માટે વાત કરી ત્યારે મેં કિંમત ચૂકવી. હું પ્રિયંકા ચોપરા માટે ઊભા રહેવાની કિંમત ચૂકવીશ. ‘લિબ્રલ’ મીડિયા મારો બહિષ્કાર કરનાર પ્રથમ હશે, પરંતુ હું હંમેશા સત્ય બોલીશ, ભલે મારે એકલા ઊભા રહેવું પડે.’

 

તાજેતરના એક ઈન્ટરવ્યુમાં પ્રિયંકા ચોપરા વિશે વાત કરતા અપૂર્વ એ કહ્યું કે પ્રિયંકાએ 2012માં હિટ ફિલ્મો આપ્યા બાદ તેને બોલિવૂડમાં સાઇડલાઈન કરવા માટે એક અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. પ્રિયંકાની એક વર્ષમાં બે મોટી હિટ ફિલ્મો ‘બરફી’ અને ‘અગ્નિપથ’ આવી હતી, પરંતુ એક અખબારના પહેલા પાના પર એવું કહેવામાં આવ્યું હતું કે કોઈ હીરો તેની સાથે કામ કરવા માંગતો નથી. વાસ્તવમાં પ્રિયંકાને તે સન્માન નહોતું મળતું જેની તે હકદાર હતી. આ જ કારણ છે કે તે અભિનેત્રી અને સ્ટાર તરીકે આગળ વધી શકી નથી.

 

સુશાંત સિંહ રાજપૂત નો પણ કર્યો ઉલ્લેખ 

અપૂર્વ અસરાની એ સુશાંત સિંહ રાજપૂતનો પણ ઉલ્લેખ કર્યો હતો. અસરાનીએ કહ્યું- નિર્દેશક અભિષેક કપૂરે સુશાંત ની સ્થિતિને ખૂબ જ યોગ્ય રીતે વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું – એક નાજુક મનનું વ્યવસ્થિત વિસર્જન. આ એક અભિનેતાની કારકિર્દી સાથે રમવાની શરૂઆત છે. સમગ્ર તંત્રએ તેને ઘેરી લીધો હતો. સુશાંત એવોર્ડથી અલગ થઈ ગયો હતો. તેની છેલ્લી ફિલ્મે 100 કરોડનો બિઝનેસ કર્યો હતો. પરંતુ તેને ફ્લોપ જાહેર કરવામાં આવી હતી. તે લોજીક વાતો તો બહુ કરતો પણ તેની વાતોને તેનું ગાંડપણ કહેવામાં આવતું . તેને છેવટ સુધી હેરાન કરવામાં આવ્યો હતો. તેના પર Metoo લગાવવામાં આવ્યું હતું. સૌથી ખરાબ વાત એ છે કે આ બધું આપણી સામે હતું, પણ આપણે જોઈ શક્યા નહીં.અપૂર્વ એ વધુ માં કહ્યું કે જો કોઈ અભિનેતા કોઈની ફિલ્મ કરવાનો ઇનકાર કરે છે અથવા કોઈ કારણસર ફિલ્મ કરવા નથી ઈચ્છતો તો આવી સ્થિતિમાં લોકોના અહંકારને ઠેસ પહોંચે છે. આ પછી તે અન્ય લોકોને તે અભિનેતા કે અભિનેત્રી સાથે ફિલ્મો ન કરવા કહે છે. એટલું જ નહીં, તે કલાકાર ને બદનામ કરવા માટે કેમ્પેઈન ચલાવવામાં આવે છે. આ માટે મીડિયા અને જાણીતા પત્રકારોનો ઉપયોગ કરવામાં આવે છે. મોટા અને ભ્રષ્ટ લેખકો તેમની વિરુદ્ધ લેખો લખે છે. આ લેખો દ્વારા તે વ્યક્તિ પર ઘણા પ્રકારના ખોટા આક્ષેપો કરવામાં આવે છે.

 

Swara Bhasker Ram Janmabhoomi Remarks અયોધ્યા ચુકાદા બાદ બોલિવૂડના ત્રણેય ખાન્સને કર્યા હતા મેસેજ! સ્વરા ભાસ્કરે વર્ષો જૂના રહસ્ય પરથી પડદો ઊંચક્યો
Hanuman Ansh Tax Free Announcement હવે આ રાજ્યમાં પણ ટેક્સ ફ્રી થઈ ‘હનુમાન અંશ’ બોક્સ ઓફિસ પર ₹૨૩૦ કરોડથી વધુ કમાણી કરનારી ફિલ્મને મોટો સરકારી ટેકો
Amitabh Bachchan Ayodhya Dharamshala બિગ બીની રામનગરીને અનોખી ભેટ! પિતાની સ્મૃતિમાં અયોધ્યામાં આલીશાન ધર્મશાળાનું નિર્માણ કરશે અમિતાભ બચ્ચન
Sridevi Property Dispute Supreme Court અબજોની પ્રોપર્ટી પર કાનૂની ખેંચતાણ, શ્રીદેવીના પારિવારિક વિવાદમાં સુપ્રીમ કોર્ટે આ માર્ગ બતાવ્યો
Exit mobile version