Site icon News Continuous Bureau | Mumbai

Prakash Raj Controversy Ramayana| પ્રકાશ રાજે વટાવી હદ! રામલક્ષ્મણ વિશે એવું તે શું બોલ્યા કે મચ્યો ખળભળાટ

Prakash Raj Controversy Ramayana| વાયરલ વીડિયોમાં રામાયણની વાર્તાની મજાક ઉડાવતા દેખાયા પ્રકાશ રાજ; ભગવાન લક્ષ્મણને 'લકી' કહી GST અને બીફ પર આપ્યા નિવેદન.

Prakash Raj Controversy Ramayana| પ્રકાશ રાજે વટાવી હદ! રામલક્ષ્મણ વિશે એવું તે શું બોલ્યા કે મચ્યો ખળભળાટ

Prakash Raj Controversy Ramayana| પ્રકાશ રાજે વટાવી હદ! રામલક્ષ્મણ વિશે એવું તે શું બોલ્યા કે મચ્યો ખળભળાટ

 

News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Channel

Prakash Raj Controversy Ramayana| અભિનેતા પ્રકાશ રાજ ફરી એકવાર પોતાના વિવાદાસ્પદ નિવેદનોને કારણે મુશ્કેલીમાં મુકાયા છે. આ વખતે તેમણે હિન્દુ ધર્મના પવિત્ર ગ્રંથ ‘રામાયણ’ (Ramayana) વિશે કરેલી ટિપ્પણીને લઈને ભારે વિવાદ સર્જાયો છે. એક કાર્યક્રમ દરમિયાન રામાયણની વાર્તાનું પોતાનું વર્ઝન રજૂ કરવા બદલ અને દેવીદેવતાઓ પર કટાક્ષ કરવા બદલ પ્રકાશ રાજ વિરુદ્ધ ક્રિમિનલ ફરિયાદ નોંધવામાં આવી છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો વાયરલ થયા બાદ લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

રામાયણની વાર્તાનું વિચિત્ર વર્ઝન રજૂ કર્યું

વાયરલ વીડિયોમાં પ્રકાશ રાજ રામાયણની કથા સંભળાવતા કહે છે કે, જ્યારે રામ અને લક્ષ્મણ દક્ષિણ તરફ આવી રહ્યા હતા, ત્યારે તેમને ભૂખ લાગી અને તેમણે રાવણના ખેતરમાંથી ફળ ચોર્યા. તેમણે ભગવાન લક્ષ્મણને મજાકમાં ‘લકી’ (Lucky) કહીને સંબોધ્યા હતા. વાર્તામાં તેમણે આગળ ઉમેર્યું કે રાવણ અને શૂર્પણખા ત્યાં આવ્યા અને શૂર્પણખાએ ફળના બદલામાં GST સાથે 2000 ડોલરની માંગણી કરી. આ પ્રકારની મનઘડંત વાર્તા અને વ્યંગાત્મક ટિપ્પણીઓને કારણે તેમની આકરી ટીકા થઈ રહી છે.

ઉત્તર-દક્ષિણ વિવાદ અને બીફ પર ટિપ્પણી

પ્રકાશ રાજે આ વાર્તાના માધ્યમથી ઉત્તર અને દક્ષિણ ભારત ના વિવાદ પર તંજ કસ્યો હતો. તેમણે કહ્યું કે ઉત્તર ભારતથી દક્ષિણમાં આવતા લોકોએ અમારા પર હિન્દી થોપવી જોઈએ નહીં. એટલું જ નહીં, તેમણે બીફ (Beef) ખાવા અંગે પણ વિવાદાસ્પદ નિવેદન આપતા કહ્યું કે, “કોઈ બેંક મેનેજર બનીને અમને બીફ ખાતા રોકશો નહીં, અમે બીફ ફેસ્ટિવલ પણ કરીશું.” તેમણે ‘વન નેશન-વન ઇલેક્શન’ જેવી વાતો પર પણ પ્રહારો કર્યા હતા.આ વીડિયો સામે આવ્યા બાદ યુઝર્સ પ્રકાશ રાજ પર ધાર્મિક ભાવનાઓ દુભાવવાનો આરોપ લગાવી રહ્યા છે. લોકો હવે તેમને આગામી ફિલ્મ ‘વારાણસી’ માંથી હટાવવાની માંગ કરી રહ્યા છે, જેમાં તેઓ એક શિવ ભક્તની ભૂમિકા ભજવી રહ્યા છે.

👉 આ સમાચાર વાચો:
Sukesh Chandrashekhar| મહાઠગ સુકેશ ચંદ્રશેખરને જેકલીન આપશે સૌથી મોટો ફટકો! 200 કરોડના કેસમાં સરકારી સાક્ષી બનીને ખોલશે ઠગના રહસ્યો

Sukesh Chandrashekhar| મહાઠગ સુકેશ ચંદ્રશેખરને જેકલીન આપશે સૌથી મોટો ફટકો! 200 કરોડના કેસમાં સરકારી સાક્ષી બનીને ખોલશે ઠગના રહસ્યો
Bhooth Bangla on OTT| સિનેમાઘરો બાદ આ OTT પર ધમાલ મચાવશે અક્ષય કુમારની ‘ભૂત બંગલા’! જાણો ક્યારે થશે સ્ટ્રીમ
Urvashi Dholakia vs Asit Modi | ‘TMKOC વિવાદમાં નવો વળાંક ઉર્વશી ધોળકિયાએ અસિત મોદી વિરુદ્ધ કેમ લીધું કડક પગલું? જાણો શું છે ‘અડધી રાતના આતંક’ પાછળની વાર્તા
Kyunki Saas Bhi Kabhi Bahu Thi 2| ક્યોંકિ સાસ ભી કભી બહૂ થી 2: મિહિર-તુલસીનો પુત્ર બનશે શાંતિનિકેતનના પતનનું કારણ, ફરી તૂટશે નંદિનીનું દિલ
Exit mobile version