Site icon News Continuous Bureau | Mumbai

Ramayan fame Renu Dhariwal| રામાયણ’ ફેમ અભિનેત્રી ની ફિલ્મોથી રાજનીતિ સુધીની સફર જાણો કેટલી કરોડોની છે તેમની નેટવર્થ!

Ramayan fame Renu Dhariwal|રામાનંદ સાગરની રામાયણની શૂર્પણખા એટલે કે રેણુ ધારીવાલ આજે એક સફળ બિઝનેસ વુમન અને રાજનેત્રી તરીકે પોતાની ઓળખ ધરાવે છે

Ramayan fame Renu Dhariwal| રામાયણ' ફેમ અભિનેત્રી ની ફિલ્મોથી રાજનીતિ સુધીની સફર જાણો કેટલી કરોડોની છે તેમની નેટવર્થ!

Ramayan fame Renu Dhariwal| રામાયણ' ફેમ અભિનેત્રી ની ફિલ્મોથી રાજનીતિ સુધીની સફર જાણો કેટલી કરોડોની છે તેમની નેટવર્થ!

 

News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Channel

Ramayan fame Renu Dhariwal| રામાનંદ સાગરની ઐતિહાસિક સિરીયલ ‘રામાયણ’ ના દરેક પાત્રને દર્શકો આજે પણ યાદ કરે છે. આ શોમાં શૂર્પણખાનું પાત્ર ભજવનારી અભિનેત્રી રેણુ ધારીવાલની ચર્ચા હાલમાં ખૂબ થઈ રહી છે. લાંબા સમયથી લાઈમલાઈટથી દૂર રહેલી રેણુ આજે ગ્લેમરસ અને લક્ઝરી લાઈફ જીવી રહી છે. અભિનય જગત છોડ્યા બાદ તેમણે રાજનીતિ અને બિઝનેસની દુનિયામાં મોટી સફળતા મેળવી છે.

રાજનીતિ અને રિયલ એસ્ટેટમાં સફળતા

ટેલિવિઝન સિરીયલ રામાયણથી લોકપ્રિયતા મેળવનાર રેણુ ધારીવાલ હવે રાજકારણમાં ખૂબ જ સક્રિય છે. અભિનયથી નાતો તોડીને તેમણે રાજનીતિમાં પોતાનું કરિયર બનાવ્યું છે. આ ઉપરાંત, તેઓ તેમના પતિ સાથે મળીને રિયલ એસ્ટેટના વ્યવસાયમાં પણ સંકળાયેલા છે અને કરોડોનું સામ્રાજ્ય સંભાળી રહ્યા છે. મુંબઈમાં કોંગ્રેસ પાર્ટીની નેત્રી તરીકે કામ કરવા ઉપરાંત, તેઓ અનેક સામાજિક સંસ્થાઓ (NGO) દ્વારા ગરીબ બાળકો માટે પણ કામ કરી રહ્યા છે.

કેવી રીતે મળ્યો રામાયણમાં બ્રેક?

વાત વર્ષ 1985 ની છે, જ્યારે રામાનંદ સાગર તેમના ડ્રીમ પ્રોજેક્ટ રામાયણ પર કામ કરી રહ્યા હતા. શૂર્પણખાના પાત્ર માટે તેમને યોગ્ય કલાકારની શોધ હતી. જ્યારે રેણુ ધારીવાલ ઓડિશન આપવા પહોંચ્યા, ત્યારે તેમની હસવાની અદા જોઈને રામાનંદ સાગર એટલા પ્રભાવિત થયા કે તેમણે તરત જ તેમને આ પાત્ર માટે સાઈન કરી લીધા. આ રોલે તેમને એવી ઓળખ અપાવી કે આજે પણ લોકો તેમને શૂર્પણખાના નામથી જ ઓળખે છે.

મુંબઈમાં રહે છે રેણુ

રેણુ ધારીવાલ હાલમાં મુંબઈમાં પોતાના પરિવાર સાથે વૈભવી જીવન જીવી રહ્યા છે. વર્ષો વીત્યા બાદ તેમનો લુક અને જીવનશૈલી સંપૂર્ણપણે બદલાઈ ગઈ છે. એક સફળ રાજનેત્રી અને બિઝનેસ વુમન તરીકે તેમણે સમાજમાં પોતાની એક અલગ છાપ છોડી છે.મીડિયા રિપોર્ટ મુજબ તેમની સંપત્તિ કરોડો માં છે. આજે તેઓ એક સફળ અને લક્ઝરી લાઈફ સ્ટાઈલ ધરાવતા વ્યક્તિ તરીકે પોતાનું જીવન વ્યતીત કરી રહ્યા છે.

👉 આ સમાચાર વાચો:
Dhurandhar 3| રણવીર સિંહ ફરી એકવાર ‘ધુરંધર’ બનીને આવશે?જમીલ જમાલીના નિવેદન બાદ અટકળોનું બજાર ગરમ.

Mirzapur The Movie Review વેબ સિરીઝ કરતાં પણ વધુ દમદાર! ‘મિર્ઝાપુર ધ મૂવી’ જોઈને દર્શકો થયા ખુશખુશાલ; જાણો કેવો છે રિવ્યૂ?
Love And War Shooting Wrap રણબીરઆલિયાવિકીની બહુચર્ચિત ફિલ્મનું શૂટિંગ પૂર્ણ! જાણો ક્યારે સિનેમાઘરોમાં રિલીઝ થશે ‘લવ એન્ડ વોર’?
Mirzapur The Movie Advance Booking ‘મિર્ઝાપુર ધ મૂવી’ ની એડવાન્સ બુકિંગમાં તબાહી, વેચાઈ ગઈ 1 લાખથી વધુ ટિકિટ્સ, જાણો શાનદાર કલેક્શન
Hanuman Ansh Worldwide Release હવે દુનિયાભરમાં ચમત્કાર કરશે ‘હનુમાન અંશ’, જાણો કયા દિવસે થશે વર્લ્ડવાઇડ રિલીઝ
Exit mobile version