Site icon

આલિયા ભટ્ટે સંજય લીલા ભણસાલીની ફિલ્મ ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ માં પોતાના પાત્ર ને ન્યાય આપવા આ રીતે કરી હતી તૈયારી, અભિનેત્રી એ કર્યો ખુલાસો; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 12 ફેબ્રુઆરી 2022          

Join Our WhatsApp Community

શનિવાર

આલિયા ભટ્ટની ફિલ્મ ગંગુબાઈ કાઠિયાવાડી ટૂંક સમયમાં દર્શકો સામે આવવાની છે. આલિયાએ આ પાત્રને પડદા પર જાદુઈ બનાવવા માટે ઘણી મહેનત કરી છે. અભિનેત્રીએ પોતે આ વિશે જણાવ્યું છે કે આ ફિલ્મમાં કામ કરતી વખતે જૂની ક્લાસિક ફિલ્મોએ તેને ઘણો સપોર્ટ આપ્યો હતો.ગંગુબાઈની તૈયારી માટે આલિયાએ લિજેન્ડ અભિનેત્રી મીના કુમારીની ઘણી બધી ફિલ્મો જોઈ. વાસ્તવમાં, સંજય લીલા ભણસાલી ઇચ્છતા હતા કે આલિયા આ પાત્રમાં સંપૂર્ણ રીતે પોતાની જાત ને ઢાળી દે, સંજય લીલા ભણસાલી એ જમાનાની અભિનેત્રીના ચહેરા પર જે ચાર્મ દેખાવા જોઈએ તે વિશે થોડાક વિચારમાં હતા, આવી સ્થિતિમાં આલિયાને કામ કરાવવાનું મળ્યું. આ દરમિયાન તેણે અભિનેત્રીને સૂચન કર્યું કે તેણે મીના કુમારીની ફિલ્મો જોવી જોઈએ.

મીના કુમારીની ફિલ્મો ઉપરાંત આલિયાએ શબાના આઝમી અભિનીત ફિલ્મ મંડી પણ જોઈ હતી. શ્યામ બેનેગલની ફિલ્મમાં આલિયાની મમ્મી સોની રાઝદાન, અમેરિકન પિરિયડ ડ્રામા 'મેમોઇર્સ ઑફ અ ગીશા' વગેરે જેવી ફિલ્મો આલિયાની તૈયારીનો ભાગ હતી.એક ન્યૂઝ એજન્સી ને આપેલા ઈન્ટરવ્યુમાં આલિયાએ કહ્યું – 'સંજય લીલા ભણસાલી  ઈચ્છતા હતા કે હું મીના કુમારીની ફિલ્મો જોઉં. તેણીના અભિવ્યક્તિઓ, તેણીની ગાવાની શૈલી, જોકે હું આ  ફિલ્મમાં ગાતી જોવા નહીં મળું. પણ તેની આંખોમાં નિરાશા હતી, પણ તેના ચહેરા પરની ચમક એક શક્તિ હતી. સંજય સર કેહતા હતા કે તેનો ચહેરો જુઓ. શું વાત છે. મેં મંડી પણ જોઈ.

દીપિકા પાદુકોણ અને સિદ્ધાંત ચતુર્વેદીની ફિલ્મમાં કેટલી છે ‘ગહેરાઈયા’? જાણો મૂવી નો રીવ્યુ

આલિયાએ વધુમાં જણાવ્યું કે – સંજય લીલા ભણસાલીએ તેને સેટ પર સારું ખાવા અને હંમેશા ખુશ રહેવાની સૂચના આપી હતી. તેણે કહ્યું- 'સેટ પર મારી પાસે સૌથી વધુ ખાવાનું રહેતું હતું. શૂટિંગ વખતે હું ઘરનું ખાવાનું લાવતી હતી . તેથી મેં તે સમય ખૂબ જ માણ્યો હતો.'' આલિયાએ કહ્યું કે તે ગોવિંદાની ફિલ્મો જોઈને મોટી થઈ છે. તેમણે હિન્દી સિનેમામાં એક કરતાં વધુ કલાકારોનો શાનદાર અભિનય જોયો છે, જે તેમને ગંગુબાઈમાં ખૂબ જ ઉપયોગી થયો હતો.

Asha Bhosle Passed Away: સંગીત જગતમાં શોકનું મોજું: સુપ્રસિદ્ધ ગાયિકા આશા ભોંસલેનું 92 વર્ષની વયે નિધન, આવતીકાલે શિવાજી પાર્કમાં અંતિમ સંસ્કાર
‘Oye Oye’ Song Trivia: શું ‘ત્રિદેવ’નું આઈકોનિક ગીત ‘ઓયે-ઓયે’ પણ ઓરિજિનલ નહોતું? પાઈરેસી અને વિવાદો વચ્ચે જૂના ગીતનું સત્ય આવ્યું સામે
Anant Ambani Birthday: અંબાણી પરિવારના લાડલાનો જન્મદિવસ: રણવીર-જાનહવીના ગરબા અને ગૌરી ખાનની ભક્તિ, જુઓ જામનગરની ઝાકઝમાળ
Aditya Dhar Net Worth : ‘ધુરંધર 2’ ના ડિરેક્ટર આદિત્ય ધરનું આલીશાન સામ્રાજ્ય! નેટવર્થથી લઈને લક્ઝરી કાર સુધીના આંકડાઓ આવ્યા સામે
Exit mobile version