Site icon News Continuous Bureau | Mumbai

શાહરૂખ સાથે લગ્નના વિરોધમાં હતા ગૌરીના માતા-પિતા, ‘કિંગ ખાન’ની પત્ની બનવા અપનાવ્યો આ પેંતરો

શાહરૂખ ખાન અને ગૌરીના લગ્નમાં ઘણી સમસ્યાઓ આવી હતી. બન્ને ના ધર્મ અલગ હોવાને કારણે ગૌરીના માતા-પિતા તેમના આ લગ્નની વિરુદ્ધ હતા

gauri khan reveals changing shah rukh khan name to abhinav because of parents

શાહરૂખ સાથે લગ્નના વિરોધમાં હતા ગૌરીના માતા-પિતા, 'કિંગ ખાન'ની પત્ની બનવા અપનાવ્યો આ પેંતરો

News Continuous Bureau | Mumbai

 બોલિવૂડનું પાવર કપલ શાહરૂખ ખાન અને ગૌરી ખાન ઘણીવાર પોતાની લવ લાઈફને લઈને ચર્ચામાં રહે છે. બંનેના લગ્નને 30 વર્ષથી વધુ સમય વીતી ગયો છે, પરંતુ આજે પણ દરેક તેમની લવ સ્ટોરી વિશે જાણવા માંગે છે. જેમ તમે જાણો છો કે ગૌરી ખાન હિંદુ પરિવારમાંથી આવે છે અને કિંગ ખાન મુસ્લિમ છે પરંતુ બંનેએ આ સંબંધને ખૂબ જ સારી રીતે સંભાળ્યો છે, પરંતુ શું તમે જાણો છો કે શરૂઆતમાં અલગ-અલગ ધર્મના કારણે ગૌરીના માતા-પિતા આ લગ્ન માટે તૈયાર નહોતા.. એટલું જ નહીં, ગૌરીએ તેના માતા-પિતાની સામે શાહરૂખનું નામ બદલીને અભિનવ રાખ્યું, જેથી તે તેને હિન્દુ છોકરો માને. ગૌરીએ પોતે વર્ષ 2008માં એક ઈન્ટરવ્યુમાં આ ખુલાસો કર્યો હતો.

Join Our WhatsApp Channel

 

ગૌરીએ બદલ્યું હતું શાહરુખ ખાન નું નામ 

ગૌરી ખાને એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે તેના માતા-પિતા શાહરૂખ ખાન સાથેના લગ્નની વિરુદ્ધ હતા. તેણે કહ્યું હતું કે, ‘લગ્ન સમયે હું અને શાહરૂખ ખાન ઘણા નાના હતા અને આ ઉંમરે માતા-પિતાને લગ્ન કરવાનો નિર્ણય પસંદ ન હતો. આ સિવાય શાહરૂખ ખાન તે સમયે ફિલ્મી દુનિયામાં જઈ રહ્યો હતો અને તેનો ધર્મ અલગ હતો તેથી મારા માતા-પિતા આ લગ્નની વિરુદ્ધ હતા. ગૌરી ખાને વધુમાં જણાવ્યું કે તેણે શાહરૂખ ખાનનું નામ બદલીને અભિનવ રાખ્યું હતું જેથી માતા-પિતાને લાગે કે તે હિંદુ છે પરંતુ આ એક મૂર્ખ અને ખૂબ જ બાલિશ વિચાર હતો.જણાવી દઈએ કે ગૌરી અને શાહરૂખ ખાને 1991માં લગ્ન કર્યા હતા અને તે સમયે ગૌરી 21 વર્ષની હતી અને કિંગ ખાન 26 વર્ષનો હતો.

 

કોલેજ થી ચાલુ હતો રોમાન્સ 

ગૌરી અને શાહરૂખ કૉલેજના દિવસોથી સાથે છે, તેઓ લગ્ન પહેલા થોડા વર્ષો સુધી એકબીજાને ડેટ પણ કર્યા હતા. વર્ષ 1991માં લગ્ન બાદ શાહરૂખે 1992માં ફિલ્મ ‘દીવાના’ થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. અગાઉ તેણે ટીવી પર ‘ફૌજી’ અને ‘સર્કસ’ જેવા ટીવી શોમાં કામ કર્યું હતું. લગ્નના પાંચ વર્ષ બાદ 1997 માં પુત્ર આર્યન ખાનનો જન્મ થયો હતો. આ પછી 2000માં દીકરી સુહાનાનો જન્મ થયો અને પછી 2013માં સરોગસી દ્વારા દંપતીના ત્રીજા સંતાન અબરામનો જન્મ થયો.

Rajpal Yadav Supreme Court Hearing ‘તમારું આચરણ વિશ્વાસપાત્ર રહ્યું નથી, છતાં…’, અભિનેતા રાજપાલ યાદવ પર સુપ્રીમ કોર્ટની આકરી ટિપ્પણી
Jacqueline Fernandez MCOCA Case ૨૦૦ કરોડના ખંડણી કેસમાં જેકલીન ફર્નાન્ડિસ સામે મકોકા હેઠળ આરોપ ઘડાશે? અદાલતે ચુકાદો અનામત રાખ્યો
Amitabh Bachchan Retirement Rumors નિવૃત્તિની અફવાઓ પર અમિતાભ બચ્ચને પૂર્ણવિરામ મૂક્યું ‘હું કામમાંથી નહીં, સૂવા જઈ રહ્યો હતો’
Sooraj Pancholi on Disha Salian death case સીબીઆઈ તપાસ વચ્ચે અભિનેતા સૂરજ પંચોલીએ મૌન તોડ્યું, ખોટા આરોપો સામે વ્યક્ત કરી નારાજગી
Exit mobile version