Site icon News Continuous Bureau | Mumbai

આંધળો પ્રેમ:જે વિદ્યાર્થીની ને સાધ્વી પ્રજ્ઞાએ ફિલ્મ ‘ધ કેરળ સ્ટોરી’ બતાવી હતી તે મુસ્લિમ પ્રેમી સાથે થઈ ગઈ ફરાર, બીજેપી સાંસદે આપી હતી આ સલાહ

ભોપાલમાં 19 વર્ષની નર્સિંગની વિદ્યાર્થિની તેના બોયફ્રેન્ડ યુસુફ સાથે લગ્ન પહેલા જ ભાગી ગઈ હતી. આ યુવતીને બીજેપી સાંસદ સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુરે યુસુફથી અંતર રાખવાની સલાહ આપી હતી.

girl elopes with her muslim lover pragya singh thakur shows her the kerala story

આંધળો પ્રેમ:જે વિદ્યાર્થીની ને સાધ્વી પ્રજ્ઞાએ ફિલ્મ 'ધ કેરળ સ્ટોરી' બતાવી હતી તે મુસ્લિમ પ્રેમી સાથે થઈ ગઈ ફરાર, બીજેપી સાંસદે આપી હતી આ સલાહ

News Continuous Bureau | Mumbai

ભોપાલમાં 19 વર્ષની નર્સિંગની વિદ્યાર્થિની તેના બોયફ્રેન્ડ યુસુફ સાથે લગ્ન પહેલા જ ભાગી ગઈ હતી. આ છોકરીને બીજેપી સાંસદ સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુરે યુસુફથી દૂર રહેવા અને પોતાનો વિચાર બદલવાની સલાહ આપી હતી, સાધ્વી તેને ફિલ્મ ‘ધ કેરળ સ્ટોરી’ જોવા પણ લઈ ગઈ હતી. આ ફિલ્મમાં બતાવવામાં આવ્યું છે કે કેવી રીતે એક હિન્દુ યુવતીને પ્રેમના નામે ઈસ્લામ કબૂલ કરવા માટે બ્રેઈનવોશ કરવામાં આવે છે અને પછી તેને સીરિયા મોકલી દેવામાં આવે છે. ત્યાં તેને આતંકવાદી સંગઠન ઈસ્લામિક ઓર્ગેનાઈઝેશનના લડવૈયાઓની નિર્દયતાનો શિકાર બનવું પડે છે.

Join Our WhatsApp Channel

 

ભોપાલ ની યુવતી યુસુફ સાથે ભાગી ગઈ હતી 

ભોપાલના નયા બસેરા વિસ્તારમાં રહેતી યુવતીના પરિવારના જણાવ્યા અનુસાર યુસુફ તેમનો પાડોશી છે. યુવતીના 30 મેના રોજ લગ્ન થવાના હતા અને તે પહેલા જ તે યુસુફ સાથે ભાગી ગઈ હતી. પરિવારના જણાવ્યા મુજબ, તેણીએ રોકડ અને ઘરેણાં પણ લઈ લીધા હતા, જે તેના સાથી માટે ઘરે લાવવામાં આવ્યા હતા. ભોપાલના કમલા નગર પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં પરિવારનો આરોપ છે કે યુસુફે તેમની પુત્રીને મીઠી વાતો કરીને ફસાવી હતી અને પછી ફરાર થઈ ગયો હતો.

 

સાધ્વી પ્રજ્ઞા એ આપી આ સલાહ 

તેમણે એવો પણ આક્ષેપ કર્યો છે કે યુસુફે તેની પુત્રીના નામે બેંક લોન લીધી હતી અને તેણીને EMI ચૂકવવા દબાણ કર્યું હતું. જો કે, પરિવારના આક્ષેપોથી વિપરીત, યુવતીએ પોલીસને જણાવ્યું કે તે પોતાની મરજીથી યુસુફ સાથે ભાગી ગઈ હતી. યુસુફ આ વિસ્તારમાં હિસ્ટ્રીશીટર છે અને તેની સામે અડધો ડઝન કેસ નોંધાયેલા છે. દરમિયાન સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુરે છોકરીઓને લવ જેહાદમાં ન ફસાવાની સલાહ આપી છે. મીડિયા સાથે વાત કરતાં તેમણે કહ્યું, ‘આપણી દીકરીઓએ સતર્ક રહેવું જોઈએ. આપણી નાની છોકરીઓ જે નિર્દોષ છે, તે હવે સમજી શકતી નથી. પરંતુ તેનો જીવ સુરક્ષિત નથી. આ જીવનને સુરક્ષિત કરવા માટે, હું મજબૂત રીતે આગળ આવીશ, અને આવતી રહીશ. લવ જેહાદમાં ફસાશો નહીં અને તમારા માતા-પિતાને માન આપો, તેમના પર વિશ્વાસ કરો.

આ સમાચાર પણ વાંચો: ઇન્ટરનેશનલ લેવલની ફિલ્મ હશે ‘શક્તિમાન’ મુકેશ ખન્નાએ કર્યો ખુલાસો,અધધ આટલા કરોડ નું હશે બજેટ

Dhurandhar 2| ‘ધુરંધર 2’ નો એક એવો અંત જે ફિલ્મના ડાયરેક્ટરે પણ નહીં વિચાર્યો હોય! ફેન્સના AI વીડિયોએ ખોલ્યા રહસ્યો
Shah Rukh Khan Oscar Post| કિંગ ખાન ભાવુક! ઓસ્કર ટીમનો આભાર માનતા શાહરૂખે લખ્યું ‘આજે મને ગર્વ છે’, જાણો શું છે આખી વાત
Prakash Raj Controversy Ramayana| પ્રકાશ રાજે વટાવી હદ! રામલક્ષ્મણ વિશે એવું તે શું બોલ્યા કે મચ્યો ખળભળાટ
Sukesh Chandrashekhar| મહાઠગ સુકેશ ચંદ્રશેખરને જેકલીન આપશે સૌથી મોટો ફટકો! 200 કરોડના કેસમાં સરકારી સાક્ષી બનીને ખોલશે ઠગના રહસ્યો
Exit mobile version