Site icon News Continuous Bureau | Mumbai

ગોવિંદાની પત્ની સુનીતા આહુજા એ મહાકાલ મંદિરના ગર્ભગૃહમાં કર્યું એવું કામ કે ત્યાં થયો વિવાદ, જાણો સમગ્ર મામલો

બોલિવૂડ એક્ટર ગોવિંદાની પત્ની સુનીતા આહુજા હાલ માં જ ઉજ્જૈનના મહાકાલ મંદિર માં દર્શન માટે પહોંચી હતી, પરંતુ ગર્ભગૃહમાં બેગ લઈને જવાથી વિવાદ થયો હતો.

govinda wife sunita ahuja has landed in trouble due to carrying a handbag to mahakal temple

ગોવિંદાની પત્ની સુનીતા આહુજા મહાકાલ મંદિરના ગર્ભગૃહમાં કર્યું એવું કામ કે, ત્યાં થયો વિવાદ, જાણો સમગ્ર મામલો

News Continuous Bureau | Mumbai

બોલિવૂડ એક્ટર ગોવિંદાની પત્ની સુનીતા આહુજા હાલમાં જ ઉજ્જૈનના મહાકાલ મંદિર ની મુલાકાત લીધી હતી, જેની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર સામે આવી હતી, પરંતુ આ દરમિયાન કંઈક આવું બન્યું હતું.જેના કારણે વિવાદ શરૂ થયો છે. આ તસવીરોમાં સુનિતા મહાકાલ મંદિરના ગર્ભગૃહમાં હેન્ડબેગ સાથે જોવા મળે છે.

Join Our WhatsApp Channel

શું છે સમગ્ર મામલો

તાજેતર માં ગોવિંદાની પત્ની સુનીત મહાકાલ મંદિર પહોંચી હતી અને તેના સોશિયલ મીડિયા પર કેટલાક ફોટા સામે આવ્યા હતા. આ તસવીરોમાં સુનિતા મહાકાલ મંદિરના ગર્ભગૃહમાં હેન્ડબેગ સાથે જોવા મળે છે. તમને જણાવી દઈએ કે મંદિરની અંદર પર્સ, બેગ વગેરે લઈ જવાની સખત મનાઈ છે. આવી સ્થિતિમાં સુનીતાની બેગ લઈને અંદર જવાને લઈને વિવાદ થયો હતો. તસવીરોમાં સુનીતાએ ગુલાબી સાડી પહેરી છે અને તેણે કપાળ પર તિલક પણ લગાવ્યું છે.

 જવાબદાર વ્યક્તિ સામે થશે કાર્યવાહી 

નોંધપાત્ર વાત એ છે કે આ કારણે મંદિરની સુરક્ષા વ્યવસ્થા પર પણ સવાલ ઉઠી રહ્યા છે અને પૂછવામાં આવી રહ્યું છે કે સુનીતા આ રીતે હેન્ડબેગ લઈને અંદર કેવી રીતે જઈ શકે છે. સેલેબ્સ માટે નિયમો અલગ છે કે સુરક્ષાએ આ મોટી વાતને નજરઅંદાજ કરી? મીડિયા માં પ્રકાશિત થયેલા એક અહેવાલ મુજબ, મંદિરના પ્રશાસકે જણાવ્યું હતું કે જ્યારે સુનીતા બેગ લઈને અંદર ગઈ ત્યારે સુરક્ષા ટીમ ગેટ પર વ્યસ્ત હતી.આ સાથે તેમણે કહ્યું કે આ ઘટના માટે જવાબદાર વ્યક્તિ સામે કાર્યવાહી કરવામાં આવી છે, જ્યારે અન્ય લોકો સામે પણ સીસીટીવી ફૂટેજ જોયા બાદ કાર્યવાહી કરવામાં આવશે. તેમણે એમ પણ કહ્યું કે ક્ષતિ કરનારા અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. સુનીતાની વાયરલ તસવીરોમાં તે પંડિત સાથે ફોટો ક્લિક કરતી જોવા મળે છે.

Aamir Khan Third Marriage બોલિવૂડના ‘મિસ્ટર પરફેક્શનિસ્ટ’ આમિર ખાન ફરી એકવાર બંધાશે લગ્નના તાંતણે, ગૌરી સ્પ્રેટ સાથે આ દિવસે લેશે ફેરા…
Ranveer Singh| લલિત મોદીની બાયોપિકમાં રણવીર સિંહની એન્ટ્રી? પૂર્વ IPL ચીફના એક ખુલાસાથી સોશિયલ મીડિયા પર ગરમાયું વાતાવરણ
Jaya Bachchan| ‘બાવર્ચી’ પછી જયા બચ્ચને કેમ ક્યારેય રાજેશ ખન્ના સાથે ન કર્યું કામ? અમિતાભ બચ્ચન સાથે જોડાયેલું છે આ મોટું કારણ
Aamir Khan Wedding। આમિર ખાને સત્તાવાર રીતે કન્ફર્મ કર્યા ત્રીજા લગ્ન, ગૌરી સ્પ્રેટ સાથે આ તારીખે લેશે સાત ફેરા
Exit mobile version