News Continuous Bureau | Mumbai
Govinda Divorce: બોલીવૂડના જાણીતા અભિનેતા ગોવિંદા અને તેમની પત્ની સુનિતા આહૂજાની ૩૮ વર્ષ જૂની લગ્નજીવનની કહાની હવે તૂટવાની અણી પર છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સુનિતાએ ૫ ડિસેમ્બર ૨૦૨૪ના રોજ બાંદ્રા ફેમિલી કોર્ટમાં છૂટાછેડા માટે અરજી કરી હતી. તેણે Hindu Marriage Act 1955 હેઠળ ક્રૂરતા, છેતરપિંડી અને અલગ રહેવું જેવા આરોપ લગાવ્યા છે.
આ સમાચાર પણ વાંચો : War 2: શું વોર 2 નિષ્ફળ જતા નિરાશ થયેલા તેલુગુ વિતરક એ છોડી ઇન્ડસ્ટ્રી? નાગા વામસી એ જણાવી હકીકત
કોર્ટમાં સુનિતાની હાજરી, ગોવિંદાની ગેરહાજરી
કોર્ટ દ્વારા ગોવિંદાને સમન મોકલવામાં આવ્યા હતા, પરંતુ તે કોઈ પણ સુનવણી માં હાજર રહ્યો નથી. બીજી તરફ, સુનિતા નિયમિત રીતે તમામ સુનવણી અને કાઉન્સેલિંગ સેશન માં હાજર રહી છે. મે ૨૦૨૫માં કોર્ટ દ્વારા ‘Show Cause Notice’ (કારણ બતાવો નોટિસ) પણ જારી કરવામાં આવી હતી.સુનિતાએ તેના યૂટ્યુબ ચેનલ પર એક ભાવુક વલોગ શેર કર્યો હતો જેમાં તેણે કહ્યું કે, “હું જ્યારે ગોવિંદાને મળી ત્યારે મેં માતા પાસે પ્રાર્થના કરી કે મારુ લગ્નજીવન સુખદ રહે. આજે જો કોઈ મારા ઘરને તોડવાની કોશિશ કરે છે, તો ‘Maa Kali’ (માતા કાળી) તેમને સજા આપશે.”
ગોવિંદા તાજેતરમાં મુંબઈ એરપોર્ટ પર જોવા મળ્યો હતો જ્યાં તેણે પાપારાઝી માટે પોઝ આપ્યા અને ફ્લાઈંગ કિસ પણ આપી. તેણે હજુ સુધી છૂટાછેડા ના મામલે કોઈ જાહેર નિવેદન આપ્યું નથી.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)