Site icon News Continuous Bureau | Mumbai

મોટા પડદા પર ધૂમ મચાવવા આવી રહી છે બાબુરાવ રાજુ અને શ્યામની તિકડી -ફિરોઝ નડિયાદવાલા એ હેરા ફેરી 3 ને લઇને કરી આ વાત

News Continuous Bureau | Mumbai 

અક્ષય કુમાર, સુનીલ શેટ્ટી અને પરેશ રાવલ અભિનીત આઇકોનિક કોમેડી ડ્રામા (comedy drama film)હેરાફેરી તેના ત્રીજા પ્રકરણ માટે તૈયાર છે. આ સમાચાર તેના ચાહકો માટે કોઈ સરપ્રાઈઝ થી (surprise)ઓછા નથી. નિર્માતા ફિરોઝ નડિયાદવાલાએ તાજેતરમાં એક ઇન્ટરવ્યુમાં હેરાફેરી 3 પર કામ કરવાની પુષ્ટિ કરી હતી અને એ પણ જાહેર કર્યું હતું કે તેમાં મૂળ કલાકારો પણ હશે.

Join Our WhatsApp Channel

એક ન્યૂઝ પોર્ટલ સાથે એક્સક્લુઝિવ વાતચીતમાં નિર્માતા એ કહ્યું, "તમને આ જ સ્ટાર કાસ્ટ – અક્ષય જી, પરેશ ભાઈ અને સુનિલ જી સાથે ખૂબ જ જલ્દી જોવા મળશે. વાર્તા તેની જગ્યાએ છે, અને અમે કેટલીક અન્ય વસ્તુઓ પર કામ કરી રહ્યા છીએ. પાત્રો ની નિર્દોષતા જાળવીને આ રીતે બનાવવામાં આવશે. અમે ભૂતકાળની સિદ્ધિઓને હળવાશથી લઈ શકતા નથી. તેથી અમારે અમારી સામગ્રી, વાર્તા, સ્ક્રિપ્ટ, પાત્રો પ્રત્યે વધુ સાવચેત રહેવું જોઈશે." ‘હેરા ફેરી’(Hera pheri) 2000માં રીલિઝ થઈ હતી અને ત્યારબાદ 2006માં ‘ફીર હેરાફેરી’ (Phir hera pheri)રિલીઝ થઈ હતી. બંને ફિલ્મો સર્વોચ્ચ દરજ્જો હાંસલ કરવામાં સફળ રહી છે. જો કે નિર્માતાઓએ વધુ ખુલાસો કર્યો ન હતો, તેઓએ સંકેત આપ્યો કે તેઓ પહેલાથી જ આગામી સિક્વલ માટે નિર્દેશકને શોર્ટલિસ્ટ (shortlist)કરી ચૂક્યા છે. તેમણે આ વિશે કહ્યું, "અમારી વાતચીત ચાલી રહી છે. અમે ટૂંક સમયમાં જાહેરાત કરીશું."

આ સમાચાર પણ વાંચો : સૈફ ના પુત્ર ઇબ્રાહિમ અલી ખાન ને નહિ પરંતુ ધ આર્ચીસ ના આ અભિનેતા ને ડેટ કરી રહી છે પલક તિવારી-માતા શ્વેતાને પણ પસંદ છે તેમના સંબંધ

પ્રથમ ભાગનું દિગ્દર્શન પ્રિયદર્શને(priyadarshan) કર્યું હતું, જ્યારે સિક્વલનું દિગ્દર્શન સ્વર્ગસ્થ નીરજ વોરાએ (Niraj Vora)કર્યું હતું. તાજેતરમાં એવી અફવા હતી કે ડ્રીમ ગર્લ ડિરેક્ટર રાજ શાંડિલ્યા હેરા ફેરી 3નું નિર્દેશન કરશે. જો કે ફિરોઝ નડિયાદવાલાએ કહ્યું કે આ ચર્ચા સાચી નથી. તેણે એ પણ શેર કર્યું કે ટીમે 2014 માં જ હેરા ફેરા 3 (Hera Pheri 3)પર કામ કરવાનું શરૂ કર્યું હતું, પરંતુ નીરજ વોરા બીમાર પડ્યા પછી તેને બંધ કરવું પડ્યું હતું. જો કે નવી ફિલ્મમાં વાર્તા અને પાત્રોની બાબતમાં ઘણો બદલાવ જોવા મળશે.

Aishwarya Rai| સેટ પર સર્જાયો હતો ભયાનક અકસ્માત ઐશ્વર્યા રાયને બચાવવા માટે અમિતાભ બચ્ચને કરી હતી આ મોટી મદદ, જાણો શું હતી ઘટના
Dhurandhar 2| VFX તો માત્ર બહાનું છે! ‘ધુરંધર 2’ ના ક્લાઇમેક્સ માટે કરવામાં આવ્યો અસલી ધડાકો, ૫૦૦ લીટર પેટ્રોલનો થયો ઉપયોગ
Kalki 2| પ્રભાસનો ત્રિપલ રોલ કે ત્રિપલ ધમાકો? ‘કલ્કિ 2’ ના પ્લોટ વિશે જાણીને ચોંકી જશો, મેકર્સે ખોલ્યા રહસ્યના દ્વાર!
Amrita Shergill| કોણ હતા અમૃતા શેરગિલ? જેમની જીવનગાથાને પડદા પર જીવંત કરશે પ્રિયંકા ચોપરા, બાયોપિકને લઈને ભારે ઉત્સુકતા!
Exit mobile version