Site icon News Continuous Bureau | Mumbai

Dhurandhar| હોલીવુડમાં પણ રણવીર સિંહના નામના સિક્કા પડ્યા! જોન ક્રાસિન્સ્કીએ ‘ધુરંધર’ મૂવીને લઈને આપ્યું મોટું નિવેદન

Dhurandhar| બોક્સ ઓફિસ પર ધૂમ મચાવનાર ફિલ્મ 'ધુરંધર' અને 'ધુરંધર 2' ની સફળતા બાદ હોલીવુડ અભિનેતાએ ભારતીય સિનેમા અને તેની લેખન શૈલીના જોરદાર વખાણ કર્યા છે.

Dhurandhar| હોલીવુડમાં પણ રણવીર સિંહના નામના સિક્કા પડ્યા! જોન ક્રાસિન્સ્કીએ 'ધુરંધર' મૂવીને લઈને આપ્યું મોટું નિવેદન

Dhurandhar| હોલીવુડમાં પણ રણવીર સિંહના નામના સિક્કા પડ્યા! જોન ક્રાસિન્સ્કીએ 'ધુરંધર' મૂવીને લઈને આપ્યું મોટું નિવેદન

 

News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Channel

Dhurandhar| બોલિવૂડના સુપરસ્ટાર રણવીર સિંહની થોડા મહિના પહેલા રિલીઝ થયેલી ફિલ્મ ‘ધુરંધર’ હાલમાં વૈશ્વિક સ્તરે ચર્ચાનો વિષય બની છે. આ ફિલ્મના બંને ભાગે બોક્સ ઓફિસ પર કમાણીના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. આ શાનદાર સફળતા વચ્ચે હવે હોલીવુડના પ્રખ્યાત અભિનેતા જોન ક્રાસિન્સ્કીએ આ ફિલ્મ અંગે મોટું નિવેદન આપ્યું છે, જેના કારણે સોશિયલ મીડિયા પર ફરી એકવાર આ ફિલ્મ ટ્રેન્ડ થવા લાગી છે. જોન ક્રાસિન્સ્કીએ તાજેતરમાં જ આપેલા એક ઇન્ટરવ્યુમાં રણવીર સિંહની આ શાનદાર મૂવી જોવાની તીવ્ર ઈચ્છા જાહેર કરી છે.

જોન ક્રાસિન્સ્કીએ ભારતીય સિનેમાની પ્રશંસા કરી

એક ખાસ વાતચીત દરમિયાન હોલીવુડ અભિનેતા જોન ક્રાસિન્સ્કીએ ભારતીય ફિલ્મો, તેની વાર્તા લખવાની પદ્ધતિ અને આજના સમયમાં વાસ્તવિકતાના મહત્વ પર ખુલીને વાત કરી હતી. જ્યારે તેમને ભારતની સુપરહિટ ફિલ્મ ‘ધુરંધર’ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે જણાવ્યું કે, ભારતમાં આજકાલ ખૂબ જ અદભુત અને પ્રભાવશાળી ફિલ્મો બની રહી છે. હોલીવુડના તેમના ઘણા ફિલ્મમેકર મિત્રો પણ ભારતીય સિનેમાનું કામ જોઈને ખૂબ જ પ્રભાવિત થયા છે. તેમણે ઉમેર્યું કે તેમને દરેક પ્રકારની ફિલ્મો જોવી ગમે છે કારણ કે તેનાથી હંમેશા કંઈક નવું શીખવા મળે છે. જોન ક્રાસિન્સ્કીએ સ્પષ્ટ કહ્યું કે જો તક મળશે તો તેઓ ‘ધુરંધર’ ચોક્કસ જોશે.

નેટફ્લિક્સ પર પણ ફિલ્મનો દબદબો

રણવીર સિંહ અભિનીત આ ફિલ્મે માત્ર થિયેટરોમાં જ નહીં, પરંતુ ઓટીટી પ્લેટફોર્મ પર પણ નવો ઈતિહાસ રચ્યો છે. પાકિસ્તાનમાં રિલીઝ થતાંની સાથે જ ‘ધુરંધર 2’ એ એટલી લોકપ્રિયતા મેળવી કે તેના કારણે નેટફ્લિક્સનું સર્વર પણ ક્રેશ થઈ ગયું હતું. આ ફિલ્મ ત્યાં નંબર 1 ના સ્થાને ટ્રેન્ડ કરી રહી હતી. હવે આ ફિલ્મના વખાણ છેક હોલીવુડ સુધી પહોંચી ગયા છે, જે ભારતીય સિનેમા માટે ગર્વની વાત છે.

પોતાની રાઇટિંગ પ્રોસેસ વિશે વાત કરી

ઇન્ટરવ્યુ દરમિયાન જોન ક્રાસિન્સ્કીએ પોતાની વાર્તા લેખનની પ્રક્રિયા વિશે પણ રસપ્રદ ખુલાસો કર્યો હતો. તેમણે જણાવ્યું કે તેઓ ફિલ્મોની વાર્તા સૌથી પહેલા પોતાના મગજમાં સંપૂર્ણ રીતે તૈયાર કરે છે. તેઓ દરરોજ ફિલ્મની કથા વિશે ઊંડાણપૂર્વક વિચારે છે અને જ્યારે આખી વાર્તા મગજમાં એકદમ સ્પષ્ટ થઈ જાય છે, ત્યારે જ તેઓ તેને કાગળ પર લખવાનું શરૂ કરે છે.

👉 આ સમાચાર વાચો:
Vir Hirani| બોલિવૂડમાં વધુ એક સ્ટાર કિડની એન્ટ્રી! ‘3 ઈડિયટ્સ’ના ડાયરેક્ટર રાજકુમાર હિરાણીનો પુત્ર કરશે OTT ડેબ્યુ, આ દિવસે રિલીઝ થશે ‘પ્રીતમ એન્ડ પેડ્રો’

Mumbai Rains મુંબઈમાં અનરાધાર વરસાદ અમિતાભ બચ્ચન અને અજય દેવગણના બંગલાઓમાં ભરાયા પાણી
Rajinikanth Jailer 2 Release Date સુપરસ્ટાર રજનીકાંતની ફિલ્મ ‘જેલર ૨’ ની સત્તાવાર રીલીઝ ડેટ જાહેર, બોક્સ ઓફિસ પર ફરી સર્જાશે નવો ઈતિહાસ?
Smriti Irani KSBKBT 2 Leap ટેલિવિઝનના સૌથી મોટા શો ‘ક્યોંકી સાસ ભી કભી બહુ થી ૨’ માં ૧૦ વર્ષનો મોટો લીપ, સ્મૃતિ ઈરાનીએ ખોલ્યા રહસ્યો
HrithikSussanne Alimony Rumors શું સુઝૈન ખાને રિતિક રોશન પાસેથી 400 કરોડની એલીમની માંગી હતી? બહેન ફરાહ ખાને તોડી ચુપ્પી
Exit mobile version