Site icon News Continuous Bureau | Mumbai

બોલિવૂડ ના આ સુપરસ્ટાર ની પૂર્વ પત્ની થઈ ઓમિક્રોનથી સંક્રમિત, સોશિયલ મીડિયા પર આપી માહિતી; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ,12 જાન્યુઆરી 2022

Join Our WhatsApp Channel

બુધવાર

કોરોના વાયરસના નવા પ્રકાર ઓમિક્રોનને કારણે સમગ્ર વિશ્વમાં ગભરાટનો માહોલ છે. કોરોનાની ત્રીજી લહેર  છેલ્લી  બે લહેર  કરતાં વધુ ઝડપથી લોકોને પકડી રહી છે. એવી આશા છે કે ત્રીજી  લહેર માં  દરરોજ કોરોનાના 10 લાખથી વધુ કેસ આવી શકે છે. જ્યારથી દેશમાં ઓમિક્રોને દસ્તક આપી છે, ત્યારથી ઘણા બોલિવૂડ સ્ટાર્સ રોગચાળાનો ભોગ બન્યા છે. હવે હૃતિક રોશનની પૂર્વ પત્ની સુઝેન ખાન પણ કોરોના વાયરસથી સંક્રમિત થઈ ગઈ છે.સુઝૈન ખાને સોશિયલ મીડિયા દ્વારા તેના ફેન્સ અને ફોલોઅર્સને આ જાણકારી આપી છે. સુઝૈન ખાને ઈન્સ્ટાગ્રામ પર પોતાનો એક ફોટો શેર કર્યો છે, જેમાં તે તેના બાઈસેપ્સને ફ્લોન્ટ કરી રહી છે. ફોટો શેર કરતી વખતે સુઝૈન ખાને કહ્યું છે કે તે પણ કોરોના વાયરસની ઝપેટમાં છે.

સુઝેને તેની પોસ્ટમાં લખ્યું છે- બે વર્ષ સુધી કોરોના વાયરસથી બચ્યા પછી, ત્રીજા વર્ષ  2022 માં, આખરે તેના ઓમિક્રોન વેરિઅન્ટે મારી રોગપ્રતિકારક શક્તિ પર હુમલો કર્યો. મારો કોવિડ ટેસ્ટનો રિપોર્ટ ગઈકાલે જ પોઝિટિવ આવ્યો છે. કૃપા કરીને બધા સુરક્ષિત રહો અને તમારી સંભાળ રાખો. તે ખૂબ જ ચેપી છે.

સુઝૈન ખાનની તબિયત સારી ન હોવાની માહિતી મળતાં જ તેના ફેન્સ અને સેલેબ્સ તેના ઝડપથી સાજા થવા માટે સતત પોસ્ટ કરી રહ્યાં છે અને પ્રાર્થના કરી રહ્યાં છે.ફરાહ અલી ખાન, બિપાશા બાસુ, નીલમ કોઠારી, જ્યોર્જિયા એન્ડ્રિયાની, સંજય કપૂર સહિતના અન્ય સ્ટાર્સે સુઝેનની પોસ્ટ પર ટિપ્પણી કરી છે અને તેના ઝડપી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી છે. સુઝેને એક દિવસ પહેલા જ તેના પૂર્વ પતિ રિતિક રોશનને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી.

ભારત રત્ન અને સ્વર કોકિલા લતાજી થયા કોરોનાથી સંક્રમિત, મુંબઇની આ હોસ્પિટલમાં થયા દાખલ; જાણો હાલ કેવું છે તેમનું સ્વાસ્થય

સુઝેને તેના બે પુત્રો હૃદાન અને રેહાન સાથે હૃતિક રોશનનો એક સુંદર વીડિયો શેર કર્યો છે. જેની સાથે તેણે અભિનેતાને વિશ્વનો 'શ્રેષ્ઠ પિતા' ગણાવ્યો હતો. સુઝેન અને હૃતિકે 2014માં એકબીજાથી છૂટાછેડા લીધા હતા, પરંતુ આજે પણ બંને વચ્ચે સારું બોન્ડિંગ છે. બંને ઘણીવાર ખાસ પ્રસંગોએ પોતાના બાળકો સાથે જોવા મળે છે.

Hanuman Ansh Tax Free Announcement હવે આ રાજ્યમાં પણ ટેક્સ ફ્રી થઈ ‘હનુમાન અંશ’ બોક્સ ઓફિસ પર ₹૨૩૦ કરોડથી વધુ કમાણી કરનારી ફિલ્મને મોટો સરકારી ટેકો
Amitabh Bachchan Ayodhya Dharamshala બિગ બીની રામનગરીને અનોખી ભેટ! પિતાની સ્મૃતિમાં અયોધ્યામાં આલીશાન ધર્મશાળાનું નિર્માણ કરશે અમિતાભ બચ્ચન
Sridevi Property Dispute Supreme Court અબજોની પ્રોપર્ટી પર કાનૂની ખેંચતાણ, શ્રીદેવીના પારિવારિક વિવાદમાં સુપ્રીમ કોર્ટે આ માર્ગ બતાવ્યો
Mirzapur The Movie Box Office Collection બોક્સ ઓફિસ પર પંકજ ત્રિપાઠીઅલી ફઝલનો દબદબો ‘મિર્ઝાપુર ધ મૂવી’ ₹૨૦૦ કરોડની ક્લબમાં પહોંચવાની નજીક
Exit mobile version