Site icon News Continuous Bureau | Mumbai

સિરિયલ ‘અનુપમા’ માં માયા અને બરખા ની યોજના પર ફરી વળશે પાણી , અનુજ નો માસ્ટર પ્લાન આવ્યો સામે

અનુપમા ના ફેન્સ માટે સારા સમાચાર! અનુજે અનુપમાને દગો નથી આપ્યો. તે જલ્દી જ બધાની સામે આવશે અને બધાને તેના માસ્ટર પ્લાન વિશે જણાવશે. એટલું જ નહીં તે માયા, બરખા અને વનરાજ ને પાઠ ભણાવશે.

in anupama Maya and Barkha plans will turn upside down anuj has a masterplan

સિરિયલ ‘અનુપમા’ માં માયા અને બરખા ની યોજના પર ફરી વળશે પાણી , અનુજ નો માસ્ટર પ્લાન આવ્યો સામે

News Continuous Bureau | Mumbai

ટીવી સિરિયલ ‘અનુપમા’ના આગામી એપિસોડમાં જબરદસ્ત ટ્વિસ્ટ આવવાનો છે.અગાઉના એપિસોડમાં બતાવવામાં આવ્યું હતું કે અનુજ માયા ને છોડીને એરપોર્ટ જવા નીકળી જાય છે.પરંતુ, તે પછી અનુજ અમદાવાદ કેમ નથી આવતો?આ પ્રશ્નનો જવાબ હજુ સુધી મળ્યો નથી.એ પણ સમજાતું નથી કે અનુજે અનુપમાને ખોટું કેમ કહ્યું કે તે માયા અને છોટી અનુ સાથે મુંબઈમાં રહેવા માંગે છે.તમને જણાવી દઈએ કે, આવનારા એપિસોડમાં મેકર્સ આ સવાલોના જવાબ આપવા જઈ રહ્યા છે.આવો જાણીએ આ આવનારા ટ્વિસ્ટ વિશે.

Join Our WhatsApp Channel

 

 વનરાજ ને આવશે હાર્ટએટેક 

અનુજની ગેરહાજરીને કારણે અનુપમા ભાંગી પડે છે.પરંતુ, તેણીએ તેના દુ:ખને પાછળ છોડીને જીવનમાં આગળ વધવાનું નક્કી કર્યું.આ જ કારણ છે કે તે બધું ભૂલીને ગુરુ માના ગુરુકુળમાં પ્રવેશ લે છે.જો કે, આ દરમિયાન વનરાજને હાર્ટ એટેક આવે છે અને અનુપમાને હંમેશની જેમ શાહ હાઉસ માંથી ફોન આવે છે અને અનુપમા ને પાછી બોલાવે છે, પરંતુ આ વખતે અનુપમા શાહ હાઉસ દોડી નથી જતી.તે વનરાજને સાવ અવગણે છે.તે ન તો વનરાજને મળવા જાય છે કે ન તો તેની હાલત પૂછે છે.

 

અનુજ ભણાવશે માયા અને બરખા ને પાઠ 

મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો આગામી એપિસોડમાં બતાવવામાં આવશે કે અનુજ માયાના કારણે અમદાવાદમાં છુપાયો છે.વાસ્તવમાં, જ્યારે તે એરપોર્ટ જઈ રહ્યો હતો, ત્યારે માયા તેને છોટી અનુ દ્વારા બ્લેકમેલ કરીને રોકે છે.અનુજ કોઈક રીતે ત્યાંથી નીકળી જાય છે પણ માયાને કારણે અનુપમા પાસે જતો નથી.આગામી એપિસોડ્સ માં એ પણ બતાવવામાં આવશે કે અનુજ થોડા દિવસો માટે અમદાવાદમાં રહી ને માસ્ટર પ્લાન બનાવશે અને માયા બરખા સાથે વનરાજ ને પણ પાઠ ભણાવશે.

 

Khatron Ke Khiladi 15 Winner Leak ‘ખતરોં કે ખિલાડી ૧૫’ ના વિજેતાનું નામ લીક! કરણ વાહીને પછાડીને ‘આ’ પોપ્યુલર અભિનેત્રીએ જીતી ટ્રોફી?
Meena Kumari Biopic Script Ready ટ્રેજેડી ક્વીન મીના કુમારીની બાયોપિકનું કામ પૂરું! અસલી લવ લેટર્સ અને ડાયરીના આધારે લખાણી અદભુત વાર્તા
Dhamaal 4 Screenplay Balwinder Singh Suri ‘તારક મહેતા’ ના આ કલાકાર એ લખી અજય દેવગનની ફિલ્મ ‘ધમાલ ૪’ ની સ્ક્રીનપ્લે, શાહરૂખ ખાન સાથે પણ કરી ચૂક્યા છે ફિલ્મ
Welcome To The Jungle First Review ‘થિયેટરોમાં ગૂંજશે હાસ્યના ફુવારા! અક્ષય કુમારની ‘વેલકમ ટુ ધ જંગલ’નો ધાંસુ રિવ્યૂ આવ્યો સામે
Exit mobile version