Site icon News Continuous Bureau | Mumbai

Aishwarya rai: શું વિદેશ માં ભારતીયો ને સમજવામાં આવે છે અભણ? પોતાના અંગ્રેજી બોલવા ને લઇ ને ઐશ્વર્યા રાયે શેર કર્યો કિસ્સો

ઐશ્વર્યા રાયે કહ્યું કે વિદેશમાં લોકો તેનું અંગ્રેજી સાંભળીને આશ્ચર્યચકિત થઈ ગયા. લોકો વિચારતા હતા કે તે ભારતની હોવાથી આટલું સારું અંગ્રેજી કેવી રીતે બોલી શકે છે.

indians are considered illiterate in foreign countries aishwarya rai shared a shocking incident

Aishwarya rai: શું વિદેશ માં ભારતીયો ને સમજવામાં આવે છે અભણ? પોતાના અંગ્રેજી બોલવા ને લઇ ને ઐશ્વર્યા રાયે શેર કર્યો કિસ્સો

News Continuous Bureau | Mumbai 

ઐશ્વર્યા રાય તેના અભિનય અને સુંદરતા ઉપરાંત તેના વિચારો માટે પણ જાણીતી છે. એક થ્રોબેક ઇન્ટરવ્યુમાં, ઐશ્વર્યાએ ભારત અને ભારતીયો વિશે વિદેશમાં જે ‘અવિશ્વસનીય ગેરસમજો’ નો સામનો કરવો પડતો હતો તે વિશે વાત કરી હતી અને તે સમયે તે કેટલી આશ્ચર્યચકિત થઈ ગઈ હતી. તેણીના જણાવ્યા મુજબ, તે વિશ્વના ઘણા ભાગોમાં વર્તમાન ભારત વિશે ખોટી માહિતી ના પ્રમાણથી આશ્ચર્યચકિત થઈ ગઈ હતી.એક  ટોક શોમાં તેના એક જવાબે ઘણી હેડલાઈન્સ બનાવી હતી. જ્યાં તેને પૂછવામાં આવ્યું કે શું ભારતમાં બાળકો માટે તેમના માતા-પિતા સાથે રહેવું સામાન્ય છે. ઐશ્વર્યાના જવાબ પર ત્યાં બેઠેલા તમામ ભારતીયોએ તાળીઓ પાડી હતી. અભિનેત્રીએ કહ્યું હતું કે ભારતીયો પોતાના માતા-પિતાને મળવા માટે એપોઇન્ટમેન્ટ લેતા નથી.

Join Our WhatsApp Channel

 

ઐશ્વર્યા ની અંગ્રેજી બોલવા પર ઉઠતા હતા સવાલ 

અભિનેત્રીએ એમ પણ કહ્યું કે મારા દૃષ્ટિકોણથી, એક દેશ તરીકે આપણા વિશેની કેટલીક અવિશ્વસનીય ગેરસમજોને દૂર કરવાની તક મળી તે માટે તે પોતાની જાત ને ભાગ્યશાળી માને છે. વધુ વિગત આપતાં, તેણીએ શેર કર્યું કે લોકો આશ્ચર્યચકિત થયા કે તે આટલું ફ્લુઅન્ટ લી અંગ્રેજી કેવી રીતે બોલી શકે છે. તેઓ કહેશે, ‘તમે ભારતમાં ભણ્યા છો? તમે ખરેખર ખૂબ સારું અંગ્રેજી બોલો છો.અને હું કહેતી, ‘સારું,અમે ભારતમાં પણ અંગ્રેજી શીખીએ છીએ.’ઐશ્વર્યાએ એમ પણ કહ્યું કે જ્યારે તે વિશ્વના મંચ પર હોય છે, ત્યારે તે વધુ સ્પષ્ટ સ્વરમાં બોલે છે. અભિનેત્રીના મતે, તેણીનો ઉચ્ચાર થોડો વધુ પશ્ચિમી બને છે. તેનું અંગ્રેજી સીધું અને સરળ છે. તેણે ભારતમાં અભ્યાસ કર્યો છે અને બસ, ઐશ્વર્યાએ 2012માં આપેલા ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું. 

આ સમાચાર પણ વાંચો : Amitabh Bachchan : અભિષેક બચ્ચન ની આ ફિલ્મ જોઈને અમિતાભ બચ્ચન થઈ ગયા ભાવુક, જણાવ્યું આંસુ વહેવા પાછળ નું કારણ

ઐશ્વર્યા એ અભિષેક વિશે પણ કરી હતી વાત 

ઐશ્વર્યાએ ઇન્ટરવ્યુ દરમિયાન અભિષેક અને તેના સંબંધો વિશે વાત કરતા કહ્યું કે તે અને અભિષેક ‘સાથે નિયમિત જીવન જીવે છે’ અને તેણે આનો શ્રેય તેને તેના માતા-પિતા પાસેથી મળેલા ઉછેરને આપવો જોઈએ. “હું એવા પરિવારમાંથી આવું છું જે લોકોની નજરમાં નહોતું, અને જ્યારે હું લોકોની નજરમાં આવી ત્યારે પણ હું ખૂબ જ સામાન્ય જીવન જીવતી હતી. બીજી તરફ, અભિષેકનો જન્મ ખૂબ જ મોટા પરિવારમાં થયો છે… તેના માતા-પિતા બંને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી છે.’

 

Bollywood Reactions On Pradhan Resignation ‘અચ્છા ચલતા હું દુઆઓ મેં યાદ રખના…’ ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર બોલિવૂડ સ્ટાર્સની કટાક્ષભરી પ્રતિક્રિયાઓ વાયરલ
Apara Mehta On Separation Darshan Jariwala દર્શન જરીવાલા સાથે અલગ રહેવા પર અપરા મહેતાનો મોટો ખુલાસો, વિવાહિત જીવનના વિવાદો પર તોડી ચુપકી
Shabana Azmi Swine Flu Health Update બોલિવૂડ અભિનેત્રી શબાના આઝમીની તબિયત બગડી, આ બીમારી થતાં આંદોલનો અને પ્રદર્શનમાં નહીં લઈ શકે ભાગ
Narayani Shastri TV Industry Drug Abuse Claims ટીવી જગતમાં નશાનો કાળો કારોબાર? ટીવી ઈન્ડસ્ટ્રીની આ જાણીતી અભિનેત્રીએ પાર્ટીઓમાં ડ્રગ્સના ભારે બજેટનો કર્યો પર્દાફાશ
Exit mobile version