Site icon News Continuous Bureau | Mumbai

ઓલ ઇન વન હતી સંજય દત્તની નાની અને નરગીસ ની માતા જદ્દનબાઈ, જાણો શા માટે થયા હતા તેમના ત્રણ લગ્ન

જદ્દનબાઈનો જન્મ અલ્હાબાદના એક વેશ્યાલયમાં ગણિકા દિલીપા બાઈને ત્યાં થયો હતો. તે એવી જગ્યાએ ઉછરી હતી જ્યાં રાત-દિવસ રાગ, ઠુમરી અને સંગીતનો માહોલ હતો, તેથી તે બાળપણથી જ સંગીત સાથે જોડાઈ ગઈ.

jaddanbai nani of sanjay dutta nargis mother multitalented artist of film industry

ઓલ ઇન વન હતી સંજય દત્તની નાની અને નરગીસ ની માતા જદ્દનબાઈ, જાણો શા માટે થયા હતા તેમના ત્રણ લગ્ન

News Continuous Bureau | Mumbai

ભારતીય ફિલ્મ ઉદ્યોગમાં ઘણા કલાકારોએ તેમના ટેલેન્ટ ના આધારે ઘણું નામ બનાવ્યું. જદ્દનબાઈ પણ તેમની એક હતી. જો કે ફિલ્મી દુનિયામાં તમામ પડકારોનો સામનો કરીને જદ્દનબાઈએ તેમની પુત્રીને લોન્ચ કરીને તેમને મોટી અભિનેત્રી બનાવવામાં પણ મહત્વની ભૂમિકા ભજવી હતી.જદ્દનબાઈ, જેમને હિન્દી સિનેમાની પ્રથમ મહિલા સંગીતકાર કહેવામાં આવે છે તે ખોટું નહીં હોય.

Join Our WhatsApp Channel

 

નરગીસ ની માતા હતી જદ્દનબાઈ 

જદ્દનબાઈ મલ્ટીટેલેન્ટેડ હતી. અભિનેત્રી હોવા ઉપરાંત, તે સંગીતકાર અને ફિલ્મ નિર્માતા પણ હતી. જદ્દનબાઈ નરગીસની માતા અને સંજય દત્ત ની નાની હતી. જદ્દનબાઈનો જન્મ અલ્હાબાદના એક વેશ્યાલયમાં ગણિકા દિલીપા બાઈને ત્યાં થયો હતો.મીડિયા રિપોર્ટ્સ અનુસાર, દિલીપા બાઈનું બાળપણમાં ગણિકાઓના એક જૂથે અપહરણ કર્યું હતું, જેના કારણે તેમને આ કામ અલ્હાબાદમાં કરવું પડ્યું હતું. જદ્દનબાઈ ખૂબ જ નાની ઉંમરે તેમના પરિવાર સાથે કોલકાતા શિફ્ટ થઈ ગયા. તેમનું સંગીત શિક્ષણ અહીંથી શરૂ થયું. તેણે તેની શરૂઆત ઠુમરી ગાયક મોઇનુદ્દીન સાથે કરી હતી. આ પછી જદ્દનબાઈએ બડે ગુલામ અલી ખાનના નાના ભાઈ બરકત અલી પાસેથી પણ સંગીતની તાલીમ લીધી.

 

જદ્દનબાઈ નું અંગત જીવન 

જદ્દનબાઈના અંગત જીવનની વાત કરીએ તો તેણે ત્રણ લગ્ન કર્યા હતા. તેમના પ્રથમ લગ્ન નરોત્તમ દાસ સાથે થયા હતા. આ લગ્નથી તેમને એક પુત્ર હતો, જેનું નામ અખ્તર હુસૈન હતું. બાદમાં તેમના પુત્રએ પણ અભિનયમાં હાથ અજમાવ્યો. થોડા વર્ષો પછી નરોત્તમ તેમને છોડીને ગયો અને ક્યારેય પાછો ફર્યો નહીં. આ પછી જદ્દનબાઈએ હાર્મોનિયમ વાદક ઈર્શાદ મીર સાથે લગ્ન કર્યા. આ લગ્નથી તેમને એક પુત્ર પણ થયો, જેનું નામ તેમણે અનવર ખાન રાખ્યું. જો કે આ લગ્ન પણ ટકી શક્યા નહીં. આ પછી લખનૌના મોહન બાબુએ જદ્દનબાઈના જીવનમાં પ્રવેશ કર્યો., લગ્ન માટે જદ્દનબાઈએ એક શરત મૂકી. તેણે મોહનબાબુને કહ્યું કે જો તે ઇસ્લામ ધર્મ સ્વીકારશે તો જ તે તેની સાથે લગ્ન કરશે. પ્રેમમાં પડેલા મોહન બાબુએ તેની વાત માનીને ઇસ્લામ કબૂલ કરી તેની સાથે લગ્ન કર્યા. ધર્મ પરિવર્તન પછી તે અબ્દુલ રશીદ બન્યો. નરગીસના પિતા ઉંમરની દૃષ્ટિએ તેની માતા કરતાં ચાર વર્ષ નાના હતા.

 

જદ્દનબાઈ નું ફિલ્મી કરિયર 

સંજય દત્તની માતા નરગીસે ​​બાળ કલાકાર તરીકે પોતાની બોલિવૂડ કારકિર્દીની શરૂઆત ‘તલાશે ઇશ્ક’ ફિલ્મથી કરી હતી. તે સમયે નરગીસ માત્ર 7 વર્ષની હતી અને તેનું નામ ફાતિમા હતું. આ ફિલ્મમાં નરગીસે ​​‘બેબી રાની’ નામનું પાત્ર ભજવ્યું હતું. આ પછી જદ્દનબાઈએ એક પછી એક ફિલ્મો બનાવી. કલા તેમની અંદર કુટી કુટી ને ભરી હતી. તેણે ફિલ્મોનું દિગ્દર્શન કર્યું, સ્ક્રિપ્ટ લખી અને સંગીત પણ આપ્યું. ફિલ્મ ટેલેન્ટની બાબતમાં તે ઓલ ઇન વન હતી.થોડા જ સમયમાં જદ્દનબાઈ મુંબઈ ફિલ્મ ઈન્ડસ્ટ્રીનું સૌથી મોટું નામ બની ગઈ હતી. જદ્દાનનો પરિવાર મરીન ડ્રાઈવ પાસેની બિલ્ડિંગમાં 3000 ચોરસ ફૂટના ફ્લેટમાં રહેતો હતો. તે સમયના ઉભરતા સિતારા પણ જદ્દનબાઈના સંપર્કમાં હતા. જેમાં દિલીપ કુમાર, બલરાજ સાહિની, કે આસિફ અને કમલ અમરોહી જેવા નામ સામેલ હતા.8 એપ્રિલ, 1949 ના રોજ, તેમણે કેન્સર સામેની લડાઈ લડતા દુનિયા ને અલવિદા કહ્યું.

King Teaser| કિંગ ઇઝ બેક! શાહરૂખ ખાનની ‘કિંગ’ ની રિલીઝ ડેટ જાહેર, ટીઝરમાં જોવા મળ્યો ખતરનાક લુક
Ramayana Movie| “૪૦૦૦ કરોડના બજેટમાં બનતી ફિલ્મ ‘રામાયણ’ વિશે નવી માહિતી ફિલ્મની વાર્તામાં આ હશે મુખ્ય આકર્ષણ
Lawrence of Punjab| ‘લૉરેન્સ ઓફ પંજાબ’ પર મોટું સંકટ હવે ZEE5 પર નહીં રિલીઝ થાય લૉરેન્સ બિશ્નોઈ પર આધારિત સીરીઝ, સરકારનો મોટો નિર્ણય
Aakhiri Sawaal| વિવાદોમાં ‘આખરી સવાલ’! ફિલ્મના પ્રોમોમાં ૧૯૯૨ની અયોધ્યા ઘટનાનો ઉલ્લેખ થતા લોકોમાં રોષ, જાણો શું છે વિવાદ
Exit mobile version