Site icon

લાહોરમાં બેસીને જાવેદ અખ્તરે પાકિસ્તાનને બતાવ્યો અરીસો, કહ્યું- મુંબઈ બોમ્બ હુમલાના આરોપીઓ અહીં ખુલ્લેઆમ… જુઓ વિડિયો..

બોલિવુડના ફેમસ ગીતકાર અને પટકથા લેખક જાવેદ અખ્તર પાકિસ્તાનમાં જઈને જે બોલી આવ્યા છે તેની હાલ આપણા દેશમાં ખૂબ જ ચર્ચા થઈ રહી છે. સોશિયલ મીડિયા પર તેમનો વીડિયો શેર કરવામાં આવ્યો છે.

Javed Akhtar attacks Pakistan in Pakistan: Saw how Mumbai was attacked, 26/11 terrorists still roaming freely

લાહોરમાં બેસીને જાવેદ અખ્તરે પાકિસ્તાનને બતાવ્યો અરીસો, કહ્યું- મુંબઈ બોમ્બ હુમલાના આરોપીઓ અહીં ખુલ્લેઆમ… જુઓ વિડિયો..

News Continuous Bureau | Mumbai

બોલિવુડના ફેમસ ગીતકાર અને પટકથા લેખક જાવેદ અખ્તર પાકિસ્તાનમાં જઈને જે બોલી આવ્યા છે તેની હાલ આપણા દેશમાં ખૂબ જ ચર્ચા થઈ રહી છે. સોશિયલ મીડિયા પર તેમનો વીડિયો શેર કરવામાં આવ્યો છે.

Join Our WhatsApp Community

હકીકતે ફેઝ ફેસ્ટિવલ 2023ના અવસર પર લાહોરમાં જાવેદ અખ્તરે એવું નિવેદન આપ્યું છે જે સાંભળ્યા બાદ તે ચર્ચાનો વિષય બન્યો છે. જાવેદ અખ્તરે કહ્યું કે, “આપણે એકબીજાને દોષ દેવાનું હવે બંધ કરીએ. એનાથી પ્રશ્નનો ઉકેલ નહીં આવે. જો ગરમ હૈ ફિઝા, વો કમ હોની ચાહિયે. હમ તો બમ્બૈયા લોગ હૈં. હમને દેખા વહાં કૈસે હમલા હુઆ થા. વો લોગ નોર્વે સે તો નહીં આયે થે, ના ઈજિપ્ત સે આયે થે. વો લોગ અભી ભી આપકે મુલ્ક મેં ઘૂમ રહે હૈં. તો યે શિકાયત અગર હિન્દુસ્તાની કે દિલ મેં હો તો આપકો બુરા નહીં માનના ચાહિયે.”

આ સમાચાર પણ વાંચો :  સોના ચાંદીની ચમક નરમ પડી, મુંબઈમાં ઘટીને આટલા થયા 24 કેરેટ સોનાના ભાવ, જુઓ લેટેસ્ટ રેટ

આ દરમિયાન તેમણે એ પણ ધ્યાન દોર્યું કે જે રીતે ભારતે પાકિસ્તાની દિગ્ગજોનું આયોજન કર્યું હતું તે રીતે ભારતીય કલાકારોનું પાકિસ્તાનમાં સ્વાગત કરવામાં આવ્યું નથી. “અમે નુસરત ફતેહ અલી ખાન અને મેહદી હસનના મોટા સમારોહનું આયોજન કર્યું હતું. તમે (પાકિસ્તાન) ક્યારેય લતા મંગેશકર માટે કોઈ કાર્યક્રમનું આયોજન કર્યું નથી”

પાકિસ્તાનમાં આપવામાં આવેલા આ નિવેદનથી જાવેદ અખ્તરના સોશિયલ મીડિયા પર છાયા છવાઈ ગયા છે. લોકોએ ગીતકારના નિવેદનના ખુબ વખાણ કર્યા છે.

Donald Trump: મોટો ખુલાસો: જો વિદેશી વિદ્યાર્થીઓ નહીં આવે તો અમેરિકાની યુનિવર્સિટીઓ તૂટી પડશે! ટ્રમ્પનું ચોંકાવનારું નિવેદન
Delhi Car Blast:પોલીસની ચાલ કે આતંકવાદીનો ડર? દિલ્હી બ્લાસ્ટ: કાર પર લખેલા એક શબ્દથી ડૉ. ઉમર ગભરાઈ ગયો અને વિસ્ફોટ થયો.
Attack Red Fort: ચોંકાવનારો ખુલાસો! ૨૬મી જાન્યુઆરીએ લાલ કિલ્લા પર હુમલાનું હતું આયોજન, ડૉ. મુઝમ્મિલની પૂછપરછમાં કાવતરું થયું છતું!
Dharmendra Discharged: ધર્મેન્દ્ર હોસ્પિટલમાંથી ઘરે પહોંચ્યા, પરિવારનું પહેલું નિવેદન, મીડિયાકર્મીઓને કરી આવી વિનંતી
Exit mobile version