Site icon News Continuous Bureau | Mumbai

જાવેદ અખ્તર બર્થડે સ્પેશિયલ: ન તો માથા પર છત હતી કે ન તો ભૂખ સંતોષવા માટે ખોરાક… આવો જાણીએ જાવેદ અખ્તર ના જીવન ના સંઘર્ષ વિશે

પ્રખ્યાત કવિ, ગીતકાર અને પટકથા લેખક જાવેદ અખ્તર આજે તેમનો જન્મદિવસ ઉજવી રહ્યા છે. આવો જાણીએ તેમના જીવન વિશે કેટલીક રસપ્રદ વાતો

javed akhtar birthday unknown facts about famous poet lyricist screenwriter life struggle

જાવેદ અખ્તર બર્થડે સ્પેશિયલ: ન તો માથા પર છત હતી કે ન તો ભૂખ સંતોષવા માટે ખોરાક… આવો જાણીએ જાવેદ અખ્તર ના જીવન ના સંઘર્ષ વિશે

 

News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Channel

પ્રખ્યાત કવિ, ગીતકાર અને પટકથા લેખક જાવેદ ( javed akhtar ) અખ્તર આજે 78 વર્ષના ( birthday ) થયા છે. જાવેદ અખ્તરનું નામ સિનેમા, કલા અને સાહિત્યની દુનિયામાં ખૂબ જ આદરથી લેવામાં આવે છે. તેની પાછળનું કારણ તેની પ્રતિભા, જ્ઞાન અને તેનું નામ છે. સંઘર્ષના કપરા તબક્કામાંથી પસાર થઈને તેણે જે નામ બનાવ્યું છે. જણાવી દઈએ કે જાવેદ સાહબનો જન્મ 17 જાન્યુઆરી, 1945ના રોજ ગ્વાલિયરમાં પ્રખ્યાત કવિ જાનીસર અખ્તરના ઘરે થયો હતો. આટલા મોટા વ્યક્તિત્વના પુત્ર હોવા છતાં પણ જાવેદ અખ્તરને ઈન્ડસ્ટ્રીમાં પગ જમાવવા માટે ઘણો સંઘર્ષ કરવો પડ્યો હતો. ઘણી વખત એવું બન્યું કે તેમને ઝાડ નીચે સૂઈને રાત પસાર કરવી પડી. આવો જાણીએ જાવેદ અખ્તરના જીવન ( unknown facts )  વિશે.

જાવેદ અખ્તર ના પરિવાર નો ઇતિહાસ

જાવેદ અખ્તર જન્નીસાર અખ્તર અને પ્રખ્યાત લેખિકા સફિયા અખ્તરના પુત્ર છે. વિખ્યાત કવિ મુઝતાર ખૈરાબાદી જાવેદના દાદા હતા અને મુઝતારના પિતા સૈયદ અહેમદ હુસૈન કવિ હતા, મુઝતારની માતા હીરામન ઓગણીસમી સદીની કેટલીક કવિઓમાંની એક હતી અને તેમના પિતા ફઝલે-એહક ખૈરાબાદી અરબી કવિ હતા.જાવેદ અખ્તરે પણ પોતાના પરિવારની લેખન પરંપરા જાળવી રાખી હતી. તે ગ્વાલિયર, લખનૌ, અલીગઢ અને ભોપાલ વચ્ચે મુસાફરી કરતા રહ્યા. આ પછી, માયાનગરી આવ્યા અને તમામ સંઘર્ષમાંથી પસાર થયા પછી, તેમણે પોતાને એક સફળ ગીતકાર અને પટકથા લેખક તરીકે સ્થાપિત કર્યા. આટલા મોટા અને પ્રખ્યાત પરિવારમાંથી હોવા છતાં પણ તેમનો રસ્તો મુશ્કેલ હતો. અહેવાલો અનુસાર, જાવેદ અખ્તરને મુંબઈ આવ્યા ના છ દિવસ પછી જ પિતાનું ઘર છોડવું પડ્યું અને બે વર્ષ સુધી તે જગ્યા માટે પરેશાન રહ્યા. દરમિયાન, તેમણે મહિને 100 રૂપિયામાં સંવાદો લખ્યા અને અન્ય કેટલીક વિચિત્ર નોકરીઓ કરી. એવી સ્થિતિ પણ આવી કે તેમણે ચણા ખાઈને પેટ ભર્યું અને પગપાળા પ્રવાસ કર્યો.

આ સમાચાર પણ વાંચો:  OTT પર રિલીઝ થતા પહેલા ‘પઠાણ’ માં થશે મોટા ફેરફારો, દિલ્હી હાઈકોર્ટે આપ્યો આ નિર્દેશ

જાવેદ અખ્તર ના કરિયર ના શરૂઆતી દિવસો

જણાવી દઈએ કે જાવેદ અખ્તર વર્ષ 1964માં મુંબઈ આવ્યા હતા. અહીં તે લાંબા સમય સુધી બેઘર ની જેમ રહેતા હતા. અહેવાલો અનુસાર, જાવેદ અખ્તરે ઝાડ નીચે ઘણી રાત વિતાવી હતી. બાદમાં તેમને જોગેશ્વરી માં કમાલ અમરોહી ના સ્ટુડિયોમાં રહેવાની જગ્યા મળી. જાવેદ અખ્તરને 1969માં પહેલો સફળ બ્રેક મળ્યો. જણાવી દઈએ કે જાવેદ અખ્તરનું સાચું નામ જાદુ હતું. તેમનું નામ તેમના પિતા જન્નીસાર અખ્તરની કવિતા ‘લમ્હા કિસી જાદુ કા ફસાના હોગા’ પરથી રાખવામાં આવ્યું હતું. જાવેદ સાહબના કરિયરની વાત કરીએ તો સલીમ ખાન સાથે ની તેમની જુગલબંધી ખુબ જ સારી હતી. સલીમ-જાવેદની જોડીએ લગભગ 24 ફિલ્મોના ડાયલોગ્સ લખ્યા છે. પરંતુ, કેટલાક વૈચારિક મતભેદો પછી, તેઓઅલગ થઈ ગયા. આ પછી, જાવેદ સાહેબે ગીતકાર તરીકે ની કારકિર્દી આગળ ધપાવી.

Shaan Bandra Apartment સિંગર શાન અને પત્ની બન્યા કરોડોની પ્રોપર્ટીના માલિક બાંદ્રામાં ખરીદ્યું અધધ ૪૮ કરોડનું લક્ઝુરિયસ ઘર.
Siddharth and Kiara Producers અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી બન્યા ફિલ્મ નિર્માતા, ટૂંક સમયમાં કરશે નવા પ્રોજેક્ટની જાહેરાત
Madhubala Biopic Shooting સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ, સારા અર્જુન સાથે આ મહિના માં શરૂ થશે ‘મધુબાલા’ ની બાયોપિકનું શૂટિંગ
Aryan Khan Web Series આર્યન ખાનની વેબ સિરીઝ ‘ધ બેડ્સ ઓફ બોલિવૂડ’ ની બીજી સિઝનને લઈને આવ્યા મોટા સમાચાર, રાઇટરે કર્યો ખુલાસો
Exit mobile version