Site icon News Continuous Bureau | Mumbai

Jawan nayanthara: જવાન માં પોતાના રોલ ને લઇ ને નાખુશ છે નયનતારા, આ અભિનેત્રી ને કારણે નિર્દેશક એટલી થી નારાજ છે સાઉથ અભિનેત્રી

Jawan nayanthara: શાહરૂખ ખાનની ફિલ્મ જવાન બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. આ ફિલ્મમાં શાહરુખ કાહ્ન અને નયનતારા ની કેમેસ્ટ્રી ને ઘણી પસંદ કરવામાં આવી હતી. હવે એવા સમાચાર સામે આવી રહ્યા છે કે નયનતારા દીપિકાના કેમિયોથી ખુશ નથી.

Jawan souce claimed nayanthara is not happy for her role in film and upset with director atlee for this actress

Jawan souce claimed nayanthara is not happy for her role in film and upset with director atlee for this actress

News Continuous Bureau | Mumbai

Jawan nayanthara: એટલી દ્વારા નિર્દેશિત ફિલ્મ ‘જવાન’ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે.. આ ફિલ્મમાં શાહરૂખ ખાન લીડ રોલમાં છે. ઉપરાંત, નયનતારા એ દર્શકો ના દિલ માં એક ખાસ જગ્યા બનાવી છે. અભિનેત્રીના શાનદાર અભિનયને જોયા બાદ એ સ્પષ્ટ થઈ ગયું છે કે આગામી દિવસોમાં સાઉથના સ્ટાર્સને બોલિવૂડની ફિલ્મોમાં વધુ પ્રાધાન્ય આપવામાં આવશે. ‘જવાન’ની શાનદાર સફળતા વચ્ચે ચાહકો માટે એક નિરાશાજનક સમાચાર સામે આવ્યા છે. એવા અહેવાલો છે કે નયનતારા અને ફિલ્મના નિર્દેશક એટલી વચ્ચે દીપિકા પાદુકોણ ને કારણે મતભેદ સર્જાયો છે.

Join Our WhatsApp Channel

 

જવાન માં પોતાના રોલ થી નાખુશ છે નયનતારા 

એક મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ‘જવાન’ રિલીઝ થયા બાદ નયનતારા ખુશ નથી. રિપોર્ટમાં સૂત્રને ટાંકીને કહેવામાં આવ્યું છે કે, ‘તે એટલીથી ખૂબ જ ગુસ્સે હતી કારણ કે ફિલ્મમાં તેનો રોલ કાપવામાં આવ્યો હતો. ઉપરાંત, દીપિકા પાદુકોણના પાત્રને વધુ મહત્વ આપવામાં આવ્યું હતું, તેમજ નયનતારાના પાત્રને મોટાભાગે સાઈડલાઈન કરવામાં આવ્યું હતું.’ ફિલ્મમાં દીપિકાના રોલને કેમિયો તરીકે વર્ણવવામાં આવ્યો છે, પરંતુ ઘણા લોકો માને છે કે વાસ્તવમાં એવું બન્યું ન હતું.રિપોર્ટ અનુસાર, ‘તે બિલકુલ કેમિયો નહોતો. જવાનને લગભગ શાહરૂખ-દીપિકાની ફિલ્મ જેવો લુક આપવામાં આવ્યો હતો. 

આ સમાચાર પણ વાંચો : Dev anand: 100મા જન્મદિવસ પહેલા જ વેચાયો દેવ આનંદ નો ઐતિહાસિક બંગલો, અધધ આટલા કરોડમાં થયો સોદો

જવાન ની કોઈપણ ઇવેન્ટ માં નયનતારા એ હાજરી નહોતી આપી 

નયનતારા સાઉથની ટોચની અભિનેત્રી છે અને તેથી તે જવાન સાથેના વર્તનથી ખુશ નહોતી. રિપોર્ટમાં એ પણ સંભવિત કારણ માનવામાં આવે છે કે આ કારણે તે ફિલ્મની રિલીઝ પહેલા કે પછી કોઈ પ્રમોશનમાં હાજરી નહોતી આપી. હાલમાં મુંબઈમાં યોજાયેલી જવાન ની સક્સેસ મીટમાં પણ નયનતારા હાજર ન હતી. જોકે, સૂત્રો સ્પષ્ટતા કરે છે કે વાસ્તવમાં આવું નથી. રિપોર્ટ અનુસાર, ‘નયનતારા ક્યારેય ફિલ્મી કાર્યક્રમોમાં નથી જતી. તેણી તેની ફિલ્મો માટે નો પ્રમોશન નીતિને અનુસરે છે કારણ કે તેણીને ભૂતકાળમાં ખરાબ અનુભવો થયા છે, જ્યારે તેણીનું ખોટું અવતરણ કરવામાં આવ્યું હતું. નયનથારા માને છે કે તેનું કામ અભિનય કરવાનું છે નહીં કે  પ્રમોશનલ પ્રવૃત્તિઓમાં સામેલ થવાનું.’

TMKOC vs Yeh Duniya Hai Rangeen શું ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ કોઈ શોની કોપી છે? ૨૭ વર્ષ પહેલાના આ શોની સમાનતા જાણીને તમે ચોંકી જશો
Real Estate Acquisition દિલ્હીના પંચશીલ પાર્કમાં શાહરૂખ ખાને ખરીદી પ્રોપર્ટી, ૨ ફ્લોર માટે ચૂકવ્યા ૩૭ કરોડ
Shailesh Lodha Daughter Swara Wedding કોણ છે ‘તારક મહેતા’ ના જમાઈ? લાઈમલાઈટથી દૂર રહે છે શૈલેષ લોઢાની સુંદર દીકરી, પિતાની જેમ જ કલમથી ચલાવે છે જાદુ
Ramayana Movie Trailer Update રણબીર કપૂરની ‘રામાયણ’ ના ટ્રેલર રિલીઝ ડેટનો થયો મોટો ખુલાસો, ગ્લોબલ સ્ટાન્ડર્ડ્સ ફોલો કરશે મેકર્સ
Exit mobile version