Site icon News Continuous Bureau | Mumbai

‘તારક મહેતા કા..’ના જેઠાલાલનો આવ્યો ખરાબ સમય, ગડા ઈલેકટ્રોનિક ને લાગી જશે તાળા, છોડવી પડશે ગોકુલ ધામ સોસાયટી. પણ શું કામ?? જાણો અહીં…

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Channel

23 ફેબ્રુઆરી 2021

વર્ષ 2020 એ આખા વિશ્વ માટે ખૂબ ખરાબ વર્ષ સાબિત થયું છે. કોરોના મહામારીના પગલે સરકાર દ્વારા લાદવામાં આવેલા દેશવ્યાપી લોકડાઉનને કારણે, ઘણા લોકોએ પોતાની નોકરી ગુમાવી દીધી હતી, તો ઘણા લોકોનો વ્યવસાય સંપૂર્ણપણે બંધ થઈ ગયો હતો. પરંતુ કોઈએ વિચાર્યું પણ ન હતું કે ટેલિવઝન જગતના પ્રખ્યાત શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના જેઠાલાલ ચંપકલાલ ગડા પણ આમાં આવી જશે. વાતાવરણ એવું બની ગયું છે કે હવે જેઠાલાલની 12 વર્ષ જૂની દુકાનને તાળાબંધી થવા જઇ રહી છે. એટલું જ નહીં, દેવામાં ડૂબેલ જેઠાલાલ હવે મુંબઈ છોડીને ગામ જવાની વિચારણા કરી રહ્યા છે.

હકીકતમાં, જેઠાલાલ લોકડાઉન પહેલા ભોગીલાલ નામના એક વેપારીને ક્રેડિટ પર મોટો ઓર્ડર ડિલીવર કરે છે. પરંતુ કોરોનાને કારણે, લોકડાઉનમાં એમની દુકાન બંધ રહેવાના કારણે બધા વ્યવહાર થંભી જાય છે અને તેમની ચુકવણી અટકી જાય છે. લોકડાઉન ખુલ્યાના થોડા દિવસો પછી, જ્યારે જેઠાલાલ વેપારીને ચુકવણી માટે બોલાવે છે, ત્યારે વેપારી જેઠાલાલને ચુકવણી કરવાનો ઇનકાર કરે છે. આમ ક્રેડિટ પર આપેલા સામાનનું પેમેન્ટ ન મળતાં જેઠાલાલ આર્થિક ભીંસમાં આવી ગયા છે. 

જેઠાલાલ પેમેન્ટ મેળવવા માટે ઘણા પ્રયત્ન કરે છે, પરંતુ તેમાં સફળ ન થતાં આખરે દુકાન વેચવાનો નિર્ણય કરે છે. જેઠાલાલે આ કારણે ગોકુલધામ સોસાયટી પણ છોડવી પડશે તે વાતને લઇને પણ દુ:ખી છે. હવે એ જોવું ખૂબ જ રસપ્રદ હશે કે, તે કેવી રીતે આ મુશ્કેલીમાંથી બહાર આવે છે.

Dhurandhar 2| ‘ધુરંધર 2’ નો એક એવો અંત જે ફિલ્મના ડાયરેક્ટરે પણ નહીં વિચાર્યો હોય! ફેન્સના AI વીડિયોએ ખોલ્યા રહસ્યો
Shah Rukh Khan Oscar Post| કિંગ ખાન ભાવુક! ઓસ્કર ટીમનો આભાર માનતા શાહરૂખે લખ્યું ‘આજે મને ગર્વ છે’, જાણો શું છે આખી વાત
Prakash Raj Controversy Ramayana| પ્રકાશ રાજે વટાવી હદ! રામલક્ષ્મણ વિશે એવું તે શું બોલ્યા કે મચ્યો ખળભળાટ
Sukesh Chandrashekhar| મહાઠગ સુકેશ ચંદ્રશેખરને જેકલીન આપશે સૌથી મોટો ફટકો! 200 કરોડના કેસમાં સરકારી સાક્ષી બનીને ખોલશે ઠગના રહસ્યો
Exit mobile version