Site icon News Continuous Bureau | Mumbai

કાજોલને અજય દેવગન પર નહિ પરંતુ આ એક્ટર પર હતો ક્રશ, આજે છે બોલિવૂડ નો સુપરસ્ટાર; જાણો તે અભિનેતા વિશે

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ,18 જાન્યુઆરી 2022 

Join Our WhatsApp Channel

મંગળવાર 

બોલિવૂડની બબલી એક્ટ્રેસ કાજોલ અને અજય દેવગણના લગ્નને 23 વર્ષ થઈ ગયા છે. તેને બે સુંદર બાળકો છે. પારિવારિક જીવનને વધુ મહત્વ આપનારી કાજોલની પહેલી પસંદ અજય દેવગન નહોતો. તેનો ક્રશ કોઈ અન્ય હતો.તેણી તેની એક ઝલક મેળવવા માટે આતુર હતી. આટલું જ નહીં, આ ક્રશના કારણે તેની કરણ જોહર સાથે મિત્રતા પણ થઈ ગઈ. તેઓ સાથે મળીને તે વ્યક્તિને પાર્ટીમાં શોધતા હતા. આવો જાણીએ, બહુ ઓછા મિત્રો બનાવનાર કાજોલનું દિલ આખરે કોના પર આવ્યું હતું. 

કાજોલનું દિલ બોલિવૂડના ખિલાડી કુમાર એટલે કે અક્ષય કુમાર પર આવ્યું હતું. નિર્માતા-નિર્દેશક કરણ જોહરે પોતે કપિલ શર્મા શોમાં આ વાતનો ઉલ્લેખ કર્યો હતો.જેના માટે કાજોલે શો માં હા પાડી હતી.કરણે કહ્યું કે કાજોલ બહુ ઓછા મિત્રો બનાવે છે. કાજોલ ને ગણતરીના માત્ર  પાંચથી સાત સારા મિત્રો હશે. કરણે કહ્યું કે જ્યારે હું કાજોલને પહેલીવાર મળ્યો હતો ત્યારે તે મારા પર એટલી હસી હતી કે મારે ત્યાંથી જવું પડ્યું હતું.પછી કાજોલ કહે છે કે કરણ એક પાર્ટીમાં સૂટ-બૂટ પહેરીને આવ્યો હતો. તેમને જોઈને મને આશ્ચર્ય થયું કે આ રીતે પાર્ટીમાં કોણ આવે. તેને જોઈને હું હસવાનું રોકી શક્યો નહીં. કાજોલ કરણ પર એટલી હસી પડી કે કરણને પાર્ટી છોડવી પડી.આ પછી કરણે કહ્યું કે મને કોઈએ કહ્યું કે કાજોલ અક્ષયથી પ્રભાવિત છે. બીજી વાર અમે ફરી એક પાર્ટીમાં મળ્યા. તે સમયે અક્ષય કુમાર સ્ટાર બની ગયો હતો. તેઓ પણ પાર્ટીમાં આવ્યો હતો.

શાહરૂખ ખાનની એક્શનથી ભરપૂર ફિલ્મ પઠાણમાં આ અભિનેત્રી કરશે પોતે પોતાના ખતરનાક સ્ટંટ ; જાણો વિગત

કાજોલ અક્ષય કુમારને શોધી રહી હતી અને હું પણ તેને જ શોધી રહ્યો હતો. પછી કાજોલ અને અમે બંનેએ સાથે મળીને અક્ષય કુમારને શોધવાનું શરૂ કર્યું. અક્ષય કુમાર  તો પાર્ટીમાં ન મળ્યો , પરંતુ અમારી મિત્રતા ત્યાંથી શરૂ થઈ.આ પછી તેમની મિત્રતા આજ સુધી ચાલુ છે. જણાવી દઈએ કે કાજોલ અને અક્ષય કુમાર ફિલ્મ 'યે દિલ્લગી'માં સાથે જોવા મળ્યા હતા. તેમાં સૈફ અલી ખાને પણ મહત્વની ભૂમિકા ભજવી હતી.
 

Narayani Shastri TV Industry Drug Abuse Claims ટીવી જગતમાં નશાનો કાળો કારોબાર? ટીવી ઈન્ડસ્ટ્રીની આ જાણીતી અભિનેત્રીએ પાર્ટીઓમાં ડ્રગ્સના ભારે બજેટનો કર્યો પર્દાફાશ
Ramayana Trailer Postponed Namit Malhotra રામાયણનું ટ્રેલર થયું મોકૂફ પ્રોડ્યુસર નમિત મલ્હોત્રાએ કરી જાહેરાત, વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શન વચ્ચે લીધો નિર્ણય?
Adarsh Baal Vidyalaya Web Series Review ‘આદર્શ બાલ વિદ્યાલય’ રિવ્યૂ, શાળાઓના વાતાવરણ અને માનવ સંબંધોની આસપાસ વણાયેલી વાર્તા, જાણો કેવી છે આ નવી વેબ સિરીઝ
Deepika Chikhalia On Sai Pallavi Sita Role ‘રામાયણ’માં સાઈ પલ્લવી નિભાવશે સીતાનું પાત્ર રામાનંદ સાગરના ‘સીતા’ દીપિકા ચિખલિયાએ આપી પ્રતિક્રિયા
Exit mobile version