News Continuous Bureau | Mumbai
Kantara Mimicry Row: રણવીર સિંહની ફિલ્મ ‘ધુરંધર 2’ બોક્સ ઓફિસ પર ધમાકેદાર કમાણી કરી રહી છે, પરંતુ બીજી તરફ અભિનેતા ‘કાંતારા’ ફિલ્મના એક સીનની મિમિક્રી કરવા બદલ મુશ્કેલીમાં છે. આ મામલે કર્ણાટક હાઈકોર્ટમાં સુનાવણી થઈ હતી, જેમાં રણવીર સિંહે ૧૦ એપ્રિલ ૨૦૨૬ના રોજ કોર્ટમાં સોગંદનામું દાખલ કરીને બિનશરતી માફી માંગવાની તૈયારી દર્શાવી છે.
આ સમાચાર પણ વાંચો : Dhurandhar 3 Release Date: ‘ધુરંધર 3’ નો શંખનાદ! બીજા ભાગના ક્લાઈમેક્સે મચાવી સનસનાટી; શું જૂન મહિનામાં જોવા મળશે ત્રીજો ભાગ?
શું હતો સમગ્ર વિવાદ?
ગયા વર્ષે ગોવામાં આયોજિત ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા (IFFI 2025) દરમિયાન રણવીર સિંહે રિષભ શેટ્ટીની ફિલ્મ ‘કાંતારા: ચેપ્ટર 1’ ની પ્રશંસા કરતી વખતે એક મહત્વના સીનની નકલ કરી હતી. આ મિમિક્રી દરમિયાન તેમણે ‘ચામુંડી દૈવ’ ને ભૂલથી સ્ત્રી ભૂત કહી દીધું હતું. આ ટિપ્પણીથી ધાર્મિક લાગણી દુભાઈ હોવાનો આક્ષેપ કરીને તેમની વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી હતી.
કોર્ટમાં સુનાવણી દરમિયાન રણવીર સિંહના વકીલે પ્રસ્તાવ મૂક્યો હતો કે અભિનેતા મૈસૂર સ્થિત ચામુંડી મંદિર જઈને વ્યક્તિગત રીતે પણ માફી માંગવા તૈયાર છે. જોકે, ફરિયાદ પક્ષના વકીલે વાંધો ઉઠાવતા કહ્યું હતું કે, રણવીરે અત્યાર સુધી માત્ર ઇન્સ્ટાગ્રામ પર માફી માંગી છે, જે માત્ર એક ઔપચારિકતા લાગે છે. તેમણે દિલથી માફી માંગી હોય તેવું જણાતું નથી.બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ કર્ણાટક હાઈકોર્ટે મામલાની આગામી સુનાવણી ૧૦ એપ્રિલ સુધી ટાળી દીધી છે. તે દિવસે રણવીર સિંહ કોર્ટમાં પોતાનું અધિકૃત માફીનામું રજૂ કરશે. અગાઉ રણવીરે સોશિયલ મીડિયા પર સ્પષ્ટતા કરી હતી કે તેમનો હેતુ કોઈની લાગણી દુભાવવાનો નહોતો, પરંતુ માત્ર રિષભ શેટ્ટીના પર્ફોર્મન્સને બતાવવાનો હતો.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)
