Site icon News Continuous Bureau | Mumbai

Kapil sharma: કપિલ શર્મા શો માં જવા વાળા ચાહકો થઇ જાઓ સાવધાન! દર્શકોને લૂંટી રહી છે આ ખતરનાક જાહેરાત, કોમેડિયન એ કર્યો આ વિશે ખુલાસો

Kapil sharma: તાજેતરમાં કપિલ શર્માના શો ધ કપિલ શર્મા શોની ટિકિટને લઈને ચોંકાવનારા સમાચાર આવી રહ્યા છે. જેમાં લાઈવ ઓડિયન્સ માટે ટિકિટના ભાવનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

Kapil sharma shocking hoax has been revealed about the kapil sharma show

Kapil sharma shocking hoax has been revealed about the kapil sharma show

News Continuous Bureau | Mumbai 

 Kapil sharma: કોમેડિયન કપિલ શર્મા તેના કોમેડી શો ‘ધ કપિલ શર્મા શો’ માટે દરરોજ હેડલાઇન્સમાં રહે છે. આ શોમાં દરરોજ અનેક સેલિબ્રિટીઓ ગેસ્ટ તરીકે આવે છે અને શોના હાસ્ય કલાકારો તેમની સાથે મજાક કરે છે અને દર્શકોને હસાવે છે. આ શો ટીવી પર ચોક્કસ આવે છે પરંતુ લાઈવ ઓડિયન્સ પણ તેમાં બેઠેલા જોવા મળે છે. તાજેતરમાં એવા અહેવાલો આવ્યા હતા કે કપિલ શર્મા આ શોને લાઈવ જોવા માટે મુંબઈ જવા માટે ટિકિટ આપે છે અને તેના માટે 5,000 રૂપિયા ચૂકવવા પડે છે. હાલમાં જ કપિલ શર્માએ આ અફવાઓ પર ખુલીને વાત કરી છે.

Join Our WhatsApp Channel

 

કપિલ શર્મા એ કર્યો ખુલાસો 

વાસ્તવ માં ટ્વીટર પર એક પોસ્ટ વાયરલ થઈ રહી છે આ પોસ્ટની તસવીરમાં સોનીનો લોગો અને કપિલ શર્માની તસવીર છે અને લખવામાં આવ્યું છે કે જે કોઈ પણ કપિલનો શો લાઈવ જોવા માંગે છે તેણે 5000 રૂપિયા ચૂકવીને ટિકિટ ખરીદવી પડશે. આ ફોટામાં ટિકિટ બુક કરવા માટે એક નંબર પણ આપવામાં આવ્યો છે અને કહેવામાં આવ્યું છે કે ખરીદનારને ફ્રી ડ્રિંક અને પોપકોર્ન આપવામાં આવશે.


જ્યારે આ પોસ્ટ કોમેડિયનના ધ્યાન પર આવી તો કપિલે તરત જ તેના પર પોસ્ટ કરી અને સત્ય જણાવ્યું. તેણે કહ્યું કે આ ખરેખર એક કૌભાંડ છે. કપિલના શોમાં લાઈવ બેઠેલા લોકો પાસેથી એક પૈસો પણ લેવામાં આવતો નથી. કપિલે પોતાની પોસ્ટમાં લખ્યું- ‘સર, આ છેતરપિંડી છે. લાઇવ શૂટ જોવા માટે અમે અમારા પ્રેક્ષકો પાસેથી એક પૈસો પણ વસૂલતા નથી. મહેરબાની કરીને આવા ફ્રોડ લોકોથી સાવધ રહો. આભાર’. કપિલે આ પોસ્ટ ત્યારે કરી જ્યારે સોશિયલ મીડિયા પર તેના એક ચાહકે ટિકિટ બુકિંગને લઈને પ્રશ્ન ઉઠાવ્યો. લોકો કહે છે કે આ કૌભાંડ એકદમ ખતરનાક છે કારણ કે તે સંપૂર્ણ રીતે વાસ્તવિક લાગે છે.

આ સમાચાર પણ વાંચો  : Dharmendra: શું ખરેખર ખરાબ તબિયત ને કારણે સારવાર માટે અમેરિકા ગયા છે ધર્મેન્દ્ર અને સની? ધરમ પાજી એ પોસ્ટ શેર કરી જણાવી હકીકત

Actor Pradeep Rawat Passes Away અભિનય જગત શોકમાં ખલનાયક તરીકે અમિટ છાપ છોડનાર અભિનેતા પ્રદીપ રાવતનું નિધન..
Salman Khan health rumours સોશિયલ મીડિયા પર ચાલી રહેલી અટકળો વચ્ચે સલમાન ખાનનો મોટો ખુલાસો, કહ્યું ‘મેં ૧૬ કિલો વજન ઘટાડ્યું છે’
Rashami Desai લાઇમલાઇટથી દૂર શું કરી રહી છે અભિનેત્રી રશ્મિ દેસાઈ? યુટ્યુબ પોડકાસ્ટ અને ટૉક શો દ્વારા કરી રહી છે મોટી કમાણી
Shah Rukh Khan London look શાહરૂખ ખાનના વાયરલ લંડન લુકે મચાવી ધમાલ અપકમિંગ ફિલ્મ ‘કિંગ’ના ટ્રાન્સફોર્મેશનને લઈને અટકળો શરૂ
Exit mobile version