News Continuous Bureau | Mumbai
Karishma Kapoor: બોલીવૂડ એક્ટ્રેસ કરિશ્મા કપૂર (Karishma Kapoor)ના પૂર્વ પતિ સંજય કપૂર (Sunjay Kapur)નું 12 જૂન 2025ના રોજ નિધન થયું હતું. તેમના નિધન બાદ તેમની કંપની ‘સોના કોમસ્ટાર’ (Sona Comstar), જેની કિંમત અંદાજે 30,000 કરોડ છે, તેના માલિકી હક્કને લઈને વિવાદ ચાલી રહ્યો છે. સંજયની ત્રીજી પત્ની અને માતા વચ્ચે આ વિવાદ છે. આ દરમિયાન ચર્ચા થઈ રહી છે કે કરિશ્માના બાળકોનો આ મિલકતમાં કેટલો હક્ક છે?
આ સમાચાર પણ વાંચો : Aamir Khan: ફૈસલ ખાને ભાઈ આમિર ખાન ને ચોંકાવનારો ખુલાસો, અભિનેતા ના અફેર વિશે કહી આવી વાત
મંધીરા કપૂરનું નિવેદન
સંજય કપૂરની બહેન મંધીરા કપૂરે એક ઇન્ટરવ્યુમાં કરિશ્માની પ્રશંસા કરતા કહ્યું, “કરિશ્મા એક ઉત્તમ માતા છે. તેમણે પરિવારને એક રાખવામાં ખૂબ મહેનત કરી છે. તેમના બાળકો અમારા માટે ખૂબ મહત્વના છે. મારા પિતા અને માતા બંને તેમને ખૂબ પ્રેમ કરતા હતા. તેઓ હંમેશા અમારા પરિવારનો ભાગ રહેશે.”
મંધીરાએ સ્પષ્ટ કર્યું કે કરિશ્માના બાળકો — સમાયરા અને કિયાન — તેમના પિતાની મિલકતમાં કાનૂની હક્કદાર છે. તેઓ કપૂર પરિવારના સભ્ય છે અને તેમના માટે પરિવારમાં પ્રેમ અને સન્માન છે. અગાઉ એવી અફવા હતી કે કરિશ્માએ બાળકોના હક્ક માટે દાવો કર્યો છે, પણ આ વાતને ખોટી સાબિત કરવામાં આવી હતી.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)