Site icon News Continuous Bureau | Mumbai

કાર્તિકને ટીમ ‘શેહજાદા’નો મળ્યો ટેકો, ‘આલા વૈકુંઠપુરામુલુ’ની હિન્દી રીમેક માં અભિનય કરવાની ના ને લઈ ને ભૂષણ કુમારે કહી આ વાત; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 26 જાન્યુઆરી 2022          

Join Our WhatsApp Channel

બુધવાર

અલ્લુ અર્જુનની બે વર્ષ જૂની ફિલ્મ "આલાવૈકુંઠપુરામુલુ"હિન્દી ડબિંગમાં થિયેટરો માં રિલીઝ કરવાના નિર્ણય પર તેની હિન્દી રિમેક "શહેજાદા"માં અભિનય કરવાનો ઇનકાર કરવાની અભિનેતા કાર્તિક આર્યનની કથિત ધમકીને ફિલ્મ "શહેજાદા"ના નિર્માતાઓએ નકારી કાઢી છે અને તેને  ડિરેક્ટરે એક અફવા કહી છે. આ મુદ્દે ફિલ્મની આખી ટીમ કાર્તિક આર્યનની પાછળ પુરી તાકાત સાથે ઉભી છે.'શહેજાદા' નામની આ રિમેકના નિર્માતાઓમાં અલ્લુ અર્જુનના પિતા અલ્લુ અરવિંદનું નામ પણ સામેલ છે. આ દિવસોમાં સાઉથના દરેક નિર્માતા પ્રોફિટ લેવા માટે પ્રોડ્યુસર તરીકે પોતાની ફિલ્મની હિન્દી રિમેકમાં પણ સામેલ છે, જોકે કેટલાક અન્ય પ્રોડ્યુસર ફિલ્મમાં પૈસા લગાવી રહ્યા છે. અને, 'શહેઝાદા' નામની 'આલા વૈકુંઠપુરરામુલુ'ની રિમેકમાં નંબર વન મ્યુઝિક કંપની ટી-સિરીઝ દ્વારા પૈસા ખર્ચવામાં આવી રહ્યા છે.

આ અંગે ટી-સીરીઝના મેનેજિંગ ડિરેક્ટર અને ફિલ્મ 'શહેજાદા'ના નિર્માતા ભૂષણ કુમારનું કહેવું છે કે કાર્તિક આર્યનને આ સમગ્ર મામલામાં કોઈ લેવાદેવા નથી. ફિલ્મ નિર્માણની કોઈપણ પ્રક્રિયામાં તેણે ક્યારેય હસ્તક્ષેપ કર્યો નથી. કાર્તિકે તેની કારકિર્દીની શરૂઆતથી જ અમારી સાથે કામ કર્યું છે. અમે બધી ફિલ્મો સાથે કરી છે. તે ખૂબ જ પ્રોફેશનલ એક્ટર છે અને તેના પર આવા આરોપ લગાવવા યોગ્ય નથી.ભૂષણ કુમાર એમ પણ કહે છે કે જ્યારે 'આલા વૈકુંઠપુરામુલુ'ને હિન્દીમાં ડબ કરીને  થિયેટરોમાં રિલીઝ કરવાના સમાચાર આવ્યા ત્યારે અમે 'શહેજાદા' ફિલ્મના નિર્માતા મનીષ શાહની કંપની ગોલ્ડમાઈન્સને વિનંતી કરી હતી. ફિલ્મ રિલીઝ કરવી કે ન કરવી એ નિર્માતાનો નિર્ણય છે, અભિનેતા કેવી રીતે દખલ કરી શકે.ફિલ્મના દિગ્દર્શક રોહિત ધવનના જણાવ્યા અનુસાર, કાર્તિક આર્યનનો ફિલ્મ 'શહેજાદા' માટેનો ઉત્સાહ અને ઈરાદો અમૂલ્ય છે. તેમની સાથે કામ કરવું શાનદાર રહ્યું છે. અમે એક દિગ્દર્શક અને અભિનેતા તરીકે ખૂબ જ મજબૂત બોન્ડ શેર કરીએ છીએ અને આ ફિલ્મ માટે અમને જે પ્રેમ છે તેની વચ્ચે કંઈ જ ન આવી શકે.

અક્ષય કુમારે મુંબઈમાં ખરીદ્યું નવું લક્ઝુરિયસ એપાર્ટમેન્ટ, કિંમત જાણી ને ચોંકી જશો

ફિલ્મ 'શહેઝાદા'ના અન્ય નિર્માતા અમન ગિલ કહે છે કે જ્યારે અમને ફિલ્મ 'આલા વૈકુંઠપુરામુલુ'ને હિન્દીમાં ડબ કરીને સિનેમાઘરોમાં રિલીઝ કરવાની જાણ થઈ ત્યારે અમે તેની હિન્દી રિમેકના નિર્માતા તરીકે મનીષ શાહને અપીલ કરી. આમ ન કરવું. રિમેકની શરૂઆતથી જ કાર્તિક ખૂબ જ સમર્પિત અભિનેતા રહ્યો છે અને તે હંમેશા પૂછતો રહે છે કે આપણે ફિલ્મની સુધારણા માટે શું કરી શકીએ. હિન્દી સિનેમામાં તેમના જેવા સમર્પિત અને જુસ્સાદાર કલાકારો ઓછા છે.

Shehzada Dhami Rajan Shahi Controversy ટીવી જગતમાં મોટો હોબાળો શહઝાદા ધામીએ પ્રોડ્યુસર સામે ખોલ્યો મોરચો; બાકી પેમેન્ટના મુદ્દે શિલ્પા શિંદેએ પણ આપ્યો સાથ
Ranveer Singh Media Ban Interview ‘ડૉન ૩’ ના વિવાદ વચ્ચે રણવીર સિંહનો મોટો માસ્ટરપ્લાન; ૧૮ મહિના સુધી કેમ ગાયબ રહેશે સુપરસ્ટાર?
Akashdeep Saigal Kyunki 2 Exit Lock Upp 2 ‘ક્યોંકિ ૨’ માં મોટો ઉલટફેર; એકતા કપૂરના ફેમસ રિયાલિટી શોમાં આ સુપરસ્ટાર મચાવશે ધમાલ
Shakti Shalini Leaked Video સોશિયલ મીડિયા પર ધમાકો ‘શક્તિ શાલિની’ના શૂટિંગ દરમિયાન કેમેરામાં કેદ થઈ અનીતવિશાલની રોમેન્ટિક કેમિસ્ટ્રી; વીડિયો વાયરલ
Exit mobile version