Site icon News Continuous Bureau | Mumbai

Sara Ali Khan Kedarnath: શું સારા અલી ખાન હવે કેદારનાથમાં દર્શન નહીં કરી શકે? મંદિર પ્રશાસને મૂકી આકરી શરત.

Sara Ali Khan Kedarnath: બિન-હિન્દુઓના પ્રવેશ પર પ્રતિબંધ: BKTC અધ્યક્ષ હેમંત દ્વિવેદીનું મોટું નિવેદન; સારા અલી ખાને કેદારનાથ દર્શન કરવા માટે સનાતન ધર્મમાં આસ્થા હોવાનું સોગંદનામું આપવું પડશે.

Kedarnath Entry Row: BKTC Mandates Affidavit for Sara Ali Khan to Prove Faith in Sanatan Dharma for Temple Entry

Kedarnath Entry Row: BKTC Mandates Affidavit for Sara Ali Khan to Prove Faith in Sanatan Dharma for Temple Entry

News Continuous Bureau | Mumbai

Sara Ali Khan Kedarnath: બોલિવૂડ અભિનેત્રી સારા અલી ખાનની કેદારનાથ ધામ પ્રત્યેની અતૂટ શ્રદ્ધા જગજાહેર છે. વર્ષ ૨૦૧૮માં પોતાની ડેબ્યૂ ફિલ્મ ‘કેદારનાથ’ ના શૂટિંગ સમયથી જ સારા દર વર્ષે અચૂક બાબા ભોલેનાથના દર્શને જાય છે. જોકે, બદ્રીનાથ કેદારનાથ મંદિર સમિતિ (BKTC) ના નવા આદેશ બાદ હવે તેની મુશ્કેલીઓ વધી શકે છે. ચારધામ યાત્રા અંગે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં મંદિર સમિતિએ સ્પષ્ટ કર્યું છે કે બિન-સનાતનીઓને મંદિરમાં પ્રવેશ આપવામાં આવશે નહીં.મંદિર સમિતિના આ નિર્ણયથી સોશિયલ મીડિયા પર નવી ચર્ચા છેડાઈ છે, ખાસ કરીને સારા અલી ખાન જેવી સેલિબ્રિટીઓ માટે જેઓ વારંવાર દર્શને જાય છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : TMKOC: ભવ્ય ગાંધી નહીં પણ આ એક્ટરનો ભાઈ હતો શોનો પહેલો ‘ટપ્પુ’! મોહસીન ખાને વર્ષો જૂના રહસ્ય પરથી ઉંચક્યો પડદો

શું છે BKTC નો નવો આદેશ?

BKTC ના અધ્યક્ષ હેમંત દ્વિવેદીએ જણાવ્યું હતું કે જેઓ સનાતનમાં આસ્થા ધરાવે છે તે જ સનાતની છે. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન તેમણે સારા અલી ખાનનો ઉલ્લેખ કરતા કહ્યું કે, જો તે દર્શન કરવા માંગતી હોય તો તેણે એફિડેવિટ (સોગંદનામું) આપવું પડશે અને જણાવવું પડશે કે તેની સનાતન ધર્મમાં આસ્થા છે. દ્વિવેદીએ ઉમેર્યું, “જો સારા અલી ખાન અમને એફિડેવિટ આપશે કે તેનો સનાતન ધર્મમાં ભાવ છે, તો અમે ચોક્કસ તેમને પણ દર્શન કરાવીશું.”


સારા અલી ખાને તેના કરિયરની શરૂઆત જ સુશાંત સિંહ રાજપૂત સાથેની ફિલ્મ ‘કેદારનાથ’ થી કરી હતી. આ ફિલ્મનું શૂટિંગ પણ ધામમાં જ થયું હતું. ત્યારથી સારાએ એક નિયમ બનાવ્યો હતો કે તે વર્ષમાં એકવાર તો બાબાના દર્શન કરશે જ. તે અવારનવાર તેની કેદારનાથ યાત્રાના ફોટા સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. જોકે, પિતા સૈફ અલી ખાન મુસ્લિમ હોવાને કારણે હવે તેને આ નવા નિયમનો સામનો કરવો પડશે.મંદિર સમિતિના આ કડક વલણ બાદ હવે સારા અલી ખાન શું નિર્ણય લે છે તેના પર સૌની નજર છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.) 

Ramleela Mahasangh Opposes Ranbir Kapoor Ramayana Casting રણબીર કપૂરના ‘રામ’ બનવા સામે શ્રી રામલીલા મહાસંઘનો તીવ્ર વિરોધ, ફિલ્મમાંથી હટાવવાની કરી માગણી
Dipika Chikhlia Supports Ranbir Kapoor Ramayana Casting રણબીર કપૂરના ‘રામ’ બનવાના વિવાદ વચ્ચે સીતા માતા ફેમ દીપિકા ચિખલિયાનું સમર્થન, કહ્યું ‘તે એક ઉત્તમ કલાકાર છે’
Salman Khan Alliance Show ‘અલાયન્સ’ શોમાં સલમાન ખાનની સરપ્રાઈઝ એન્ટ્રી ભાઈ સોહેલ ખાનને ભેટીને ભાવુક થયા દબંગ સ્ટાર, નવો પ્રોમો વાયરલ
Love and War Promotion Sanjay Leela Bhansali સંજય લીલા ભંસાલીની ફિલ્મ ‘લવ એન્ડ વોર’ માટે નહીં બને કોઈ ટીઝર કે મોશન પોસ્ટર, મેકર્સે બનાવ્યો ખાસ પ્લાન
Exit mobile version