Site icon

અનુપમ ખેર ની પહેલી પત્ની વ્યવસાયે છે અભિનેત્રી, ઘણા ટીવી શો માં કરી ચુકી છે કામ

શું તમે અનુપમ ખેર ની પહેલી પત્ની મધુમાલતી કપૂર વિશે જાણો છો? તો આજે અમે તમને જણાવીએ તે અભિનેત્રી વિશે જેને અનુપમ ખેર સાથે વર્ષ 1979 માં લગ્ન કર્યા હતા.તો ચાલો જાણીયે અનુપમ ખેર ની પ્રથમ અને બીજી પત્ની વિશે

know about anupam kher first wife madhumalti and second wife kirron kher

અનુપમ ખેર ની પહેલી પત્ની વ્યવસાયે છે અભિનેત્રી, ઘણા ટીવી શો માં કરી ચુકી છે કામ

News Continuous Bureau | Mumbai

બોલિવૂડના દિગ્ગજ અભિનેતા અનુપમ ખેરે ( anupam kher )  બોલિવૂડમાં લગભગ 40 વર્ષ પૂર્ણ કર્યા છે. તેણે તેની કારકિર્દીમાં અત્યાર સુધી એક કરતાં વધુ ફિલ્મો આપી છે, જેમાં ‘સારંશ’, ‘શોલા ઔર શબનમ’, ‘ત્રિનેત્ર’, ‘રામ લખન’, ‘કર્મા’, ‘મિસાલ’, ‘ધ કાશ્મીર ફાઇલ્સ’નો સમાવેશ થાય છે. આ સિવાય તેણે નાના પડદા પર ઘણા શો પણ હોસ્ટ કર્યા છે.અનુપમ ખેરનું વ્યાવસાયિક જીવન પુરસ્કારો અને પ્રશંસાથી ભરેલું છે, ત્યારે તેમનું અંગત જીવન પણ ચર્ચામાં રહ્યું છે. વેલ, દરેકને ખબર નથી કે ( second wife ) કિરણ ખેર ( kirron kher ) સાથે લગ્ન કરતા પહેલા ( first wife ) અનુપમે પ્રખ્યાત અભિનેત્રી મધુમાલતી કપૂર ( madhumalti  Kapoor) સાથે લગ્ન કર્યા હતા. આજે અમે અહીં અભિનેતાના અંગત જીવન અને તેના લગ્ન વિશે જણાવવા જઈ રહ્યા છીએ. તો ચાલો અભિનેતાની મધુમાલતી કપૂર સાથેના કોલેજ રોમાંસથી લઈને કિરણ ખેર સાથેના લગ્ન સુધીની સફર પર એક નજર કરીએ.

Join Our WhatsApp Community

આવી રીતે થયા હતા અનુપમ ખેર ના મધુમાલતી સાથે લગ્ન

અનુપમ ખેર અને મધુમાલતીના લગ્ન વર્ષ 1979માં થયા હતા, તે એક એરેન્જ મેરેજ હતા અને તેઓ તેમના લગ્નથી ખુશ ન હતા. આવી સ્થિતિમાં, અભિનેતાએ લગ્ન પછી તરત જ મધુમાલતીથી છૂટાછેડા લઈ લીધા. મધુમાલતી વ્યવસાયે અભિનેત્રી છે. તે 2018ની ફિલ્મ ‘સોનુ કે ટીટુ કી સ્વીટી’ માટે જાણીતી છે. આ સિવાય મધુમાલતીએ પંજાબી ફિલ્મો અને ટીવી શોમાં પણ કામ કર્યું છે.એવું કહેવાય છે કે ,મધુમાલતી ‘નેશનલ સ્કૂલ ઑફ ડ્રામા’માં અભિનયના અભ્યાસ દરમિયાન અનુપમને પહેલી વાર મળી હતી, પરંતુ અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે અનુપમ ખેરે વર્ષ 1979માં અભિનેત્રી મધુમાલતી કપૂર સાથે એરેન્જ મેરેજ કર્યા હતા. અનુપમે એક વખત કબૂલ્યું હતું કે તેઓ તેમના એરેન્જ્ડ મેરેજથી ખુશ નથી. તેમના લગ્ન પછી તરત જ અનુપમ ખેર અને મધુમાલતીએ છૂટાછેડા માટે અરજી કરી હતી. જો કે, અનુપમ ખેરથી છૂટાછેડા લીધા પછી, મધુમાલતી કપૂરે લેખક અને દિગ્દર્શક રણજીત કપૂર સાથે લગ્ન કર્યા, પરંતુ તેઓ પણ થોડા સમય પછી અલગ થઈ ગયા. રણજીત કપૂર એક્ટર અનુ કપૂરના ભાઈ છે. તેના બીજા છૂટાછેડા પછી, મધુમાલતી હજી પણ એકલી રહે છે.

આ સમાચાર પણ વાંચો: MUMBAI : રવિવારે લોકલ ટ્રેનમાં મુસાફરી કરવાના છો? તો સમાચાર જરૂર વાંચો.. મધ્ય રેલવે આવતીકાલે આ સ્ટેશન પર ખાસ ટ્રાફિક અને પાવર બ્લોકનું સંચાલન કરશે.. ટ્રેનોને થશે અસર

 કિરણ ખેર નો અનુપમ ખેર ના જીવન માં પ્રવેશ

અનુપમ ખેર અને કિરણ ખેર શરૂઆતમાં ખૂબ સારા મિત્રો હતા. જોકે, બંને વચ્ચે પ્રેમની કોઈ વાત થઈ ન હતી. વાસ્તવમાં, અનુપમ ખેર પણ એ જ થિયેટર ગ્રુપમાં હતા જેની સાથે કિરણ ખેર ચંદીગઢમાં સંકળાયેલા હતા. બંનેએ અનેક નાટકોમાં સાથે કામ કર્યું હતું. કદાચ તે સમયે બંનેને ખબર નહીં હોય કે પછીથી તેઓ પતિ-પત્ની બનશે, કારણ કે બંને પહેલેથી જ પરિણીત હતા. અનુપમ ખેરે 1979માં મધુમાલતી કપૂર સાથે એરેન્જ્ડ મેરેજ કર્યા હતા, પરંતુ તેઓ આ સંબંધમાં ખુશ ન હતા. કિરણના લગ્ન 1980માં મુંબઈ સ્થિત બિઝનેસમેન ગૌતમ બેરી સાથે થયા હતા, જે માત્ર પાંચ વર્ષ ચાલ્યા હતા.અનુપમ ખેરે તેમની પત્નીથી છૂટાછેડા લીધા હતા. આ પછી કિરણ ખેર અને તેના પતિ પણ સમજી ગયા કે હવે તેમના લગ્ન નહીં ચાલે અને બંનેએ છૂટાછેડા લઈ લીધા. આ પછી કિરણે વર્ષ 1985માં અનુપમ સાથે લગ્ન કર્યા.

Anupamaa Spoiler: પ્રેરણાના રોલમાં ભાવના અજવાનીની જગ્યાએ આ એક્ટ્રેસની એન્ટ્રી, સિરિયલની સૌથી ખતરનાક વિલન બનવા તૈયાર; વાંચો લેટેસ્ટ અપડેટ
Dhurandhar 2 Advance Booking: રણવીર સિંહની ફિલ્મની ટિકિટો માટે પડાપડી! 20 કરોડનું પ્રી-રિલીઝ કલેક્શન; જાણો તમારા શહેરમાં શું છે ટિકિટના ભાવ
Kalki 2898 AD: પ્રભાસ કે બિગ બી નહીં, પણ આ દિગ્ગજ એક્ટરે લીધી સૌથી વધુ ફી! ‘કલ્કિ’ માટે કમલ હાસને વસૂલી અધધ રકમ; આંકડો જાણીને ચોંકી જશો
Shakira India Tour 2026: શકીરાના ઈન્ડિયા ટૂર પર લાગશે ‘પંજાબી તડકો’! દિલજીત દોસાંઝ સાથે ગ્લોબલ પોપ સ્ટાર મચાવશે ધૂમ; મુંબઈમાં વધુ એક શોની જાહેરાત
Exit mobile version