Site icon News Continuous Bureau | Mumbai

200થી વધુ ફિલ્મોમાં કામ કરી ચૂકેલા બૉલિવુડના ‘શહેનશાહ’ અમિતાભ બચ્ચન છે કરોડોની સંપત્તિના માલિક; જાણો તેમની નેટવર્થ કેટલી છે

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 11 ઑક્ટોબર, 2021

Join Our WhatsApp Channel

સોમવાર

બૉલિવુડના શહેનશાહ અમિતાભ બચ્ચનનો આજે જન્મદિવસ છે. 1942માં જન્મેલા અમિતાભ બચ્ચન આજે  79 વર્ષના થયા. અમિતાભ બચ્ચન, જેમણે ફિલ્મ 'ભુવન શોમ'માં અવાજ કથાકાર તરીકે પદાર્પણ કર્યું હતું, તેમને ફિલ્મ ઇન્ડસ્ટ્રીના 'બિગ બી' કહેવામાં આવે છે. અમિતાભ બચ્ચનની પહેલી ફિલ્મ, ‘સાત હિન્દુસ્તાનીહતી. આ પછી તેમણે આનંદ’, ‘જંજીર’, ‘અભિમાન’, ‘સૌદાગર’, ‘ચુપકે ચુપકે’, ‘દીવાર’, ‘શોલે’, ‘કભી કભી’, ‘અમર અકબર એન્થોની’, ‘ત્રિશૂલ’, ‘ડૉન’, ‘મુકદ્દર કા સિકંદર’, ‘મિ. નટવરલાલ’, ‘સિલસિલા’, ‘કાલિયા’, ‘સત્તે પે સત્તા’, ‘નમક હલાલ’, ‘શક્તિ’,’ કૂલી’, ‘શરાબી’, ‘શહેનશાહ’, ‘અગ્નિપથ’, જેવી ફિલ્મોમાં તેમના મજબૂત અભિનયને કારણે, તેમણે ફિલ્મ ઉદ્યોગમાં એક અલગ સ્થાન પ્રાપ્ત કર્યું. 

અભિનયથી રાજકારણ સુધી અમિતાભ બચ્ચન ભારતીય સિનેમાના સૌથી પ્રભાવશાળી અભિનેતાઓમાંના એક છે. તેમણે 1970થી 1980 સુધી ભારતીય સિનેમા પર પ્રભુત્વ જમાવ્યું હતું. એના કારણે તેમને 'વન મૅન ઇન્ડસ્ટ્રી' જેવું બિરુદ પણ આપવામાં આવ્યું હતું. આ ટાઇટલ ફ્રેન્ચ ડિરેક્ટર ફ્રાન્કોઇસ ટ્રુફોટાએ અમિતાભને આપ્યું હતું. તેઓ છેલ્લા પાંચ દાયકાથી હિન્દી ફિલ્મોમાં સક્રિય છે. તેમણે 200થી વધુ ફિલ્મો કરી છે. તેમની અભિનય કારકિર્દીમાં તેમને અસંખ્ય પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા છે. તેમને દાદાસાહેબ ફાળકે ઍવૉર્ડથી લઈને પદ્મ શ્રી અને પદ્મ ભૂષણ સુધીનાં સર્વોચ્ચ સન્માન પ્રાપ્ત થયાં છે. ત્રણ વખત રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર અને 16 વખત ફિલ્મફેર પુરસ્કાર જીતનાર અમિતાભ બચ્ચન માત્ર અભિનેતા જ નહીં પણ પાર્શ્વગાયક અને ફિલ્મ નિર્માતા પણ છે. ફિલ્મોમાં તેમના યોગદાનને જોતાં વર્ષ 2015માં, ફ્રેન્ચ સરકારે તેમને સર્વોચ્ચ નાગરિક સન્માન નાઇટ ઑફ ધ લીજન ઑફ ઓનરથી પણ સન્માનિત કર્યા.

ફિલ્મોની સાથે સોશિયલ મીડિયા પર સક્રિય રહેલા અમિતાભ બચ્ચન કરોડોની સંપત્તિના માલિક છે. એક રિપૉર્ટ અનુસાર તેમની કુલ સંપત્તિ 2,950 કરોડ છે. જો આપણે તેમની વાર્ષિક આવક વિશે વાત કરીએ, તો તે 60 કરોડ રૂપિયાથી વધુ હોવાનું કહેવાય છે. દર મહિનાની કમાણીની વાત કરીએ તો 5 કરોડ રૂપિયાથી વધુ છે.

આર્યનની ધરપકડથી શાહરૂખ ખાનના કામ પર અસર પડી, આ મોટી બ્રાન્ડે તમામ જાહેરાતો બંધ કરી, કરોડો ગુમાવ્યા!

ફિલ્મ 'જંજીર' સાથે સિનેપ્રેમીઓના દિલમાં વસી જનાર અમિતાભ બચ્ચનની ફિલ્મોમાં બોલાયેલા સંવાદો આજે પણ તેમના ચાહકોની જીભ પર છે. અમિતાભે ફિલ્મ ઉદ્યોગમાં સારા અને ખરાબ બંને તબક્કાઓ જોયા છે. 26 જુલાઈ, 1982ના કૂલીફિલ્મના શૂટિંગ દરમિયાન તેમને ગંભીર ઈજા થઈ હતી. એ એવો સમય હતો જ્યારે તેમણે મૃત્યુને નજીકથી જોયું. લોકોની દુઆઓને કારણે જ અમિતાભ આ મુશ્કેલ સમયમાંથી બહાર આવ્યા બાદ પણ સ્વસ્થ છે અને ફિલ્મો કરી રહ્યા છે.

The India Story Kajal Shreyas ફિલ્મ ‘ધ ઇન્ડિયા સ્ટોરી’ માટે કાજલ અગ્રવાલ અને શ્રેયસ તલપડેએ IAS તુકારામ મુંઢે સાથે કરી મુલાકાત
Salman Khan Maatrubhumi Release ‘માતૃભૂમિ’ પર મેકર્સનો મોટો ખુલાસો ૨૦૨૭માં નહીં પરંતુ મે ૨૦૨૬માં જ સલમાન ખાન મોટા પડદે મચાવશે ધમાલ
Ranbir Kapoor Ramayan Release Date રણબીર કપૂરની મચઅવેટેડ ફિલ્મ ‘રામાયણ’ની રિલીઝ ડેટ સામે આવી, બોક્સ ઓફિસ પર ‘ગોડઝિલા’ સાથે થશે મહાટક્કર
Lock Upp 2 Hina Khan Shilpa Shinde ‘લોક અપ ૨’માં હિના ખાન્ ની ધમાકેદાર એન્ટ્રી શિલ્પા શિંદે સાથે થશે આમને સામને ટક્કર
Exit mobile version