News Continuous Bureau | Mumbai
Krishnavataram Part 1 Box Office| કોઈ મોટા સુપરસ્ટાર વગર પણ જો વાર્તામાં દમ હોય તો ફિલ્મ બોક્સ ઓફિસ પર કમાલ કરી શકે છે, જેનું ઉત્તમ ઉદાહરણ ‘ક્રિષ્નાવતારમ પાર્ટ 1 ધ હાર્ટ’ એ પૂરું પાડ્યું છે. હાર્દિક ગજ્જર દ્વારા લિખિત અને દિગ્દર્શિત આ ફિલ્મ બોક્સ ઓફિસ પર શાનદાર પ્રદર્શન કરી રહી છે. રિલીઝના ૫ દિવસમાં જ આ ફિલ્મે કરોડોની કમાણી કરીને ટ્રેડ એક્સપર્ટ્સને ચોંકાવી દીધા છે. સિદ્ધાર્થ ગુપ્તા સ્ટારર આ ફિલ્મ ‘ક્રિષ્નાવતારમ ટ્રિલોજી’નો પ્રથમ ભાગ છે.
૫ દિવસનું બોક્સ ઓફિસ કલેક્શન
ફિલ્મની શરૂઆત ધીમી રહી હતી, પરંતુ માઉથ પબ્લિસિટીના કારણે કલેક્શનમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે. પ્રથમ દિવસે ફિલ્મે માત્ર ૪૨ લાખ રૂપિયાની કમાણી કરી હતી, પરંતુ ત્યારબાદ બીજા દિવસે ૧.૧૫ કરોડ, ત્રીજા દિવસે ૨.૨૫ કરોડ અને ચોથા દિવસે ૩.૫૫ કરોડનું કલેક્શન કર્યું હતું. ૫મા દિવસે ફિલ્મે ૧.૩૫ કરોડની કમાણી કરતા ભારતભરમાં કુલ નેટ કલેક્શન ૮.૭૨ કરોડ અને ગ્રોસ કલેક્શન ૧૦.૪૬ કરોડ રૂપિયા થઈ ગયું છે.
રામ મોરીની નવલકથા પર આધારિત વાર્તા
‘ક્રિષ્નાવતારમ પાર્ટ 1: ધ હાર્ટ’ ની વાર્તા જાણીતા લેખક રામ મોરીની નવલકથા ‘સત્યભામા’ પર આધારિત છે. આ ફિલ્મ ભગવાન કૃષ્ણના જીવનના એક એવા પાસાને દર્શાવે છે જે પ્રેમ અને ભક્તિથી ભરપૂર છે. રાધાથી અલગ થયા બાદ કૃષ્ણના રુક્મિણી અને ખાસ કરીને સત્યભામા સાથેના સંબંધોને સત્યભામાના દ્રષ્ટિકોણથી રજૂ કરવામાં આવ્યા છે. ગ્રાન્ડ વિઝ્યુઅલ એડેપ્ટેશન હોવાને કારણે દર્શકોને આ પૌરાણિક વાર્તા ખૂબ પસંદ પડી રહી છે.
‘શ્રી રાધા રામનામ’ થી ‘ક્રિષ્નાવતારમ’ સુધીની સફર
આ પ્રોજેક્ટની સત્તાવાર જાહેરાત ૯ ઓગસ્ટ, ૨૦૨૪ ના રોજ કરવામાં આવી હતી. શરૂઆતમાં આ ફિલ્મનું નામ ‘શ્રી રાધા રામનામ’ રાખવામાં આવ્યું હતું, પરંતુ રિલીઝના થોડા સમય પહેલા જ મેકર્સ દ્વારા તેને બદલીને ‘ક્રિષ્નાવતારમ પાર્ટ 1: ધ હાર્ટ’ કરી દેવામાં આવ્યું હતું. અત્યારે સિનેમાઘરોમાં ‘રાજા શિવાજી’ અને ‘ધુરંધર 2’ જેવી મોટી ફિલ્મો હોવા છતાં, આ ફિલ્મે પોતાની આગવી જગ્યા બનાવી લીધી છે.
👉 આ સમાચાર વાચો:
Cannes 2026| ઐશ્વર્યા આઉટ, આલિયા ઈન! ગ્લોબલ બ્રાન્ડના ફેસ તરીકે આલિયા ભટ્ટે લીધી ઐશ્વર્યા રાયની જગ્યા? વાયરલ વીડિયોએ મચાવ્યો ખળભળાટ
