Site icon News Continuous Bureau | Mumbai

કૃષ્ણા અભિષેક પર ટીકા થયા બાદ આ અભિનેત્રીએ ગોવિંદાની બૈરીને ખરીખોટી સંભળાવી

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 21, સપ્ટેમ્બર, 2021

Join Our WhatsApp Channel

મંગળવાર

 

ગોવિંદા અને ક્રિષ્ણા અભિષેકના પરિવાર વચ્ચેનો વિવાદ અટકતો નથી. ધ કપિલ શર્મા શોમાં દેખાયા બાદ ક્રિષ્ના અભિષેકે નિવેદન આપ્યું હતું કે તે એપિસોડનો ભાગ નહીં બને, જેમાં ગોવિંદા આવી રહ્યા છે. આ સાથે તેમણે કહ્યું હતું કે બંને પક્ષો આ ઇચ્છે છે. ક્રિષ્ણાના આ શબ્દોનો જવાબ આપતાં  ગોવિંદાની પત્ની સુનીતાએ ક્રિષ્ણાને ઘણુંબધું કહ્યું અને સાથે જ કહ્યું કે તે તેનો ચહેરો જોવા માગતી નથી. સુનીતા આહુજા આટલેથી અટક્યાં નહીં. તેમણે કહ્યું કે ક્રિષ્ણાની પ્રતિભા ગોવિંદાનું નામ લેવા સુધી મર્યાદિત છે.

ગોવિંદાની પત્ની સુનીતાએ મીડિયામાં આપેલા નિવેદન બાદ હવે આ સમગ્ર વિવાદ પર ક્રિષ્ણાની પત્ની કાશ્મીરાની પ્રતિક્રિયા સામે આવી છે. એક મીડિયા ચૅનલ સાથેની ખાસ વાતચીતમાં જ્યારે કાશ્મીરાને સુનીતા આહુજાના નિવેદન વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે જવાબ આપ્યો કે મને આ આખા હુલ્લડમાં બે પૈસાનો રસ નથી. છેલ્લાં પાંચ વર્ષથી આ લોકોને મારા માટે કોઈ વાંધો નથી. તમે જુઓ, મેં લાંબા સમયથી તેમના વિશે વાત કરી નથી અને ન તો હું ઇચ્છું છું. કાશ્મીરાએ વધુમાં મીડિયા ચૅનલ સાથેની ખાસ વાતચીતમાં કહ્યું, 'મારી પાસે તેમને આપવા માટે યોગ્ય જવાબ છે, પણ હું આપવા માગતી નથી. સોશિયલ મીડિયા પર ચાહકો તેમને જાતે જ જવાબ આપી રહ્યા છે. તે ખરાબ રીતે ટ્રૉલ થઈ રહી છે. તેમણે કહ્યું હતું કે ક્રિષ્ના પાસે પ્રતિભા નથી. ફક્ત આ લોકો જ બોલી શકે છે જે પ્રતિભાને ઓળખતા નથી અને તેમની પોતાની પાસે કોઈ પ્રતિભા નથી. આવા લોકો બીજાને ઓછો અંદાજ આપે છે અને જેઓએ દુનિયામાં કશું જ કર્યું નથી તેમના વિશે ખરાબ બોલે છે.

કાશ્મીરા શાહે પણ સુનીતા આહુજાના તેમના અંગત મામલાના નિવેદન પર પ્રતિક્રિયા આપતાં કહ્યું હતું કે અભિનેતા કે અભિનેત્રીનું જીવન ખાનગી નથી. તેણે કહ્યું, 'જ્યારે તમે અભિનેતા બનો છો, ત્યારે તમારું જીવન ખાનગી રહેતું નથી, તે સાર્વજનિક બની જાય છે. તમારે તમારા જીવનમાં દરેક વસ્તુ માટે તૈયાર રહેવું પડશે. જો લોકો તમારા નામે મજાક લખે છે અથવા કરે છે, તો તમે બધા એમ કહેશો કે કારકિર્દી તેમના કારણે જ બની છે.

શું તમને ખબર છે 260 કરોડના પ્રાઇવેટ ઍરક્રાફ્ટમાં સફર કરે છે ધોની? અને કોહલીની તો વાત જ શું કરવી? જાણો વિગત

પોતાની નારાજગી વ્યક્ત કરતાં કાશ્મીરા શાહે પૂછ્યું કે સુનીતા કોણ છે? તેણે કહ્યું, 'શું તમે જાણો છો કે ક્રિષ્નાની તે એપિસોડમાં જરૂર નથી, તેમના વિશે બકવાસ વાતો કરે છે. પણ હવે તેમને આ કોણ  સમજાવી શકે? જો તમે મને પૂછવા માગતા હો, તો કેટરીના – પ્રિયંકા વિશે પૂછો, સુનિતા કોણ છે? મારી પોતાની ઓળખ છે, મેં જાતે જ ફિલ્મી દુનિયામાં નામ કમાવ્યું છે. હું કોઈની પત્ની તરીકે જાણીતી નથી. તમને જણાવી દઈએ કે આ સમગ્ર વિવાદની શરૂઆત કાશ્મીરા શાહના એક ટ્વીટથી થઈ હતી. તે 3 વર્ષ પહેલાંની વાત છે જ્યારે કાશ્મીરા શાહે એક ટ્વીટ કર્યું હતું, જેમાં તેણે 'કેટલાક લોકો પૈસા માટે નાચતા' વિશે ટ્વિટ કર્યું હતું. સુનીતાએ વિચાર્યું કે આ ટ્વિટ તેના પતિ ગોવિંદા માટે છે.

Salman Khan Bigg Boss 20 Fee બિગ બોસ ૨૦ માટે સલમાન ખાનને મળશે તગડી ફી, આંકડો જાણીને આંખો થઈ જશે પહોળી
Box Office Collection સોમવારે ‘હનુમાન અંશ’ ફિલ્મે બાજી પલટી, ‘ટોક્સિક’નું બગડ્યું ગણિત; જાણો ‘આવારાપન ૨’ અને ‘ઈરુમુડી’નું કલેક્શન
Rapper Badshah Divorce “અમારી વચ્ચે બધું પૂરું…” ઈશા રીખી સાથેના છૂટાછેડા પર બાદશાહે કરી ખુલ્લી વાત
Anupam Kher 555th Movie બોલિવૂડના દિગ્ગજ અભિનેતા અનુપમ ખેરે 42 વર્ષની કારકિર્દીમાં 555મી ફિલ્મ સાઇન કરી, ટૂંક સમયમાં કરશે મોટી જાહેરાત
Exit mobile version