Site icon

Barsatein mausam pyaar ka: કુશાલ ટંડન અને શિવાંગી જોશી ની સિરિયલ બરસાતેં: મૌસમ પ્યાર કા’ ઓફ એર થવા પર આવ્યું મોટું અપડેટ, આ તારીખે પ્રસારિત થશે શો નો છેલ્લો એપિસોડ!

Barsatein mausam pyaar ka: શિવાંગી જોશી અને કુશાલ ટંડન નો શો બરસાતેં: મૌસમ પ્યાર કા' સોની ટીવી પર પ્રરિત થઇ રહ્યો છે. આ શો ને દર્શકો ખુબ પસંદ કરી રહ્યા છે. આ શો માં લોકો ને શિવાંગી અને કુશાલ ની કેમેસ્ટ્રી ખુબ પસંદ આવે છે. હવે શો બરસાતેં: મૌસમ પ્યાર કા' ને લઈને એક ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે.

kushal tandon and shivangi joshi starr serial barsatein mausam pyaar ka last episode telecast in february

kushal tandon and shivangi joshi starr serial barsatein mausam pyaar ka last episode telecast in february

News Continuous Bureau | Mumbai

Barsatein mausam pyaar ka: ટીવી નો હેન્ડસમ હંક ગણાતો કુશાલ ટંડન હાલ સોની ટીવી ની પ્રખ્યાત સિરિયલ  બરસાતેં: મૌસમ પ્યાર કા’ માં જોવા મળી રહ્યો છે આ શો માં તેની સાથે શિવાંગી જોશી જોવા મળી રહી છે. લિકો ને આ સિરિરયાળ માં કુશાલ અને શિવાંગી ની કેમેસ્ટ્રી ખુબ પસંદ આવી રહી છે. કુશાલ અને શિવાંગી એ પહેલીવાર આ સિરિયલ માં સાથે કામ કર્યું છે. હવે આ સિરિયલ ને લઈને એક ચોંકવનારા સમાચાર સામે આવી રહ્યા છે. આ સમાચાર એ છે કે સિરિયલ  બરસાતેં: મૌસમ પ્યાર કા’ ટૂંક સમય માં બંધ થવાની છે.  

Join Our WhatsApp Community

 

બરસાતેં: મૌસમ પ્યાર કા’ થવાની છે ઓફ એર 

મીડિયા રિપોર્ટ અનુસાર ચેનલ અને નિર્માતાઓએ ઘણા ઉતાર-ચઢાવ પછી, શિવાંગી જોશી અને કુશાલ ટંડન સ્ટારર બરસાતેં: મૌસમ પ્યાર કા’ને બંધ કરવાનો નિર્ણય લીધો છે. મીડિયા રિપોર્ટ મુજબ આ સિરિયલ નો છેલ્લો એપિસોડ 16 ફેબ્રુઆરી એ પ્રસારિત થશે. પ્રોજેક્ટ સાથે સંકળાયેલા એક સૂત્રએ જણાવ્યું હતું કે ‘આ શો 16 ફેબ્રુઆરી અથવા તેના પછી વર્ષના બીજા મહિનામાં કોઈપણ સમયે ઑફ-એર થઈ શકે છે.’ છેલ્લા કેટલાક દિવસોથી શો ઓફ એર થવાના સમાચારો સામે આવી રહ્યા છે. શોમાં જોવા મળેલા કુશાલ  ટંડને પણ આ અંગે પ્રતિક્રિયા આપી હતી. તેણે કહ્યું હતું કે દર્શકોએ આવા સમાચારો પર ધ્યાન ન આપવું જોઈએ. આ સિવાય શોના ડિરેક્ટરે પણ પ્રતિક્રિયામાં કહ્યું હતું કે આ શો ક્યાંય નથી જવાનો..

આ સમાચાર પણ વાંચો : Ramayan: શું નીતીશ તિવારી ની ફિલ્મ માં થઇ લારા દત્તા ની એન્ટ્રી? રામાયણ માં આ રોલ માટે બોબી દેઓલ નો પણ કરવામાં આવ્યો સંપર્ક

સમાચાર તો એવા પણ સામે આવી રહ્યાછે કે, સોની ટીવી પર 2 નવી સિરિયલો ‘મહેંદી વાલા ઘર’ અને ‘કુછ રીત જગત કી ઐસી’ શરૂ થવા જઈ રહી છે. આવી સ્થિતિમાં આ બંને શોને સ્લોટ આપવા માટે જૂના શો બંધ કરવામાં આવી રહ્યા છે. જો કે આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી.તો હવે જોવાનું એ રહેશે કે શો ઓફ એર થવાના અહેવાલ કેટલા સાચા અને કેટલા ખોટા છે.

Smriti Irani : સેલિબ્રિટી હોવાના નુકસાન વિશે સ્મૃતિ ઈરાની એ કર્યો ખુલાસો, સોહા અલી ખાનના પોડકાસ્ટમાં કરી દિલ ખોલી ને વાત
Farah Khan Cook: ફરાહ ખાનના કુક દિલીપની કમાણીમાં થયો મોટો ફેરફાર, પહેલા કમાતા હતા માત્ર આટલા રૂપિયા
Naagin 7: શું નાગિન 7 માટે ફાઈનલ થઈ ગઈ નવી નાગિન? એકતા કપૂરની પસંદ બની બિગ બોસ ફેમ આ અભિનેત્રી
Disha Patani Bareilly Home: દિશા પટની ના બરેલી સ્થિત ઘરના બહાર થયું ફાયરિંગ, ધમકી આપનાર ગેંગે કહ્યું – “આ તો ટ્રેલર છે”, જાણો સમગ્ર મામલો
Exit mobile version