Site icon News Continuous Bureau | Mumbai

નાસિક બાદ મુંબઈમાં પણ થયું લતા મંગેશકરની અસ્થિઓ નું વિસર્જન , આ 2 જગ્યાએ પણ થશે વિસર્જન; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 15 ફેબ્રુઆરી 2022

Join Our WhatsApp Channel

મંગળવાર

લેજન્ડ સિંગર લતા મંગેશકરની અસ્થિઓનું તાજેતરમાં જ નાશિકના ગોદાવરીમાં વિસર્જન કરવામાં આવ્યું હતું. લતાજીના પરિવારે ગોદાવરી ઘાટ પર અસ્થિ વિસર્જન કર્યું હતું. આ દરમિયાન તેમના ભત્રીજા આદિનાથે ધાર્મિક રીત-રિવાજો અનુસાર કળશ માંથી રાખને નદીમાં વિસર્જિત કરી હતી. સોમવારે ફરી એકવાર લતાજીની અસ્થિને મુંબઈના અરબી સમુદ્રમાં વહાવી દેવામાં આવી .અહેવાલો અનુસાર, તેના પરિવારના સભ્યોએ આ કર્યું કારણ કે તે મુંબઈને પ્રેમ કરતી હતી  અને તેણે તેના જીવનના ઘણા વર્ષો અહીં વિતાવ્યા હતા. આ દરમિયાન તેનો ભાઈ, તેની ભત્રીજી અને ભત્રીજો પણ તેની સાથે હતા. જણાવી દઈએ કે લતાજીનું 6 ફેબ્રુઆરીએ 92 વર્ષની વયે અવસાન થયું હતું. શિવાજી પાર્કમાં લતાજીના સંપૂર્ણ રાજ્ય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.

લતાજીની અસ્થિઓનું વિસર્જન નાશિકના રામકુંડમાં કરવામાં આવ્યું હતું. તેમજ  અહેવાલો અનુસાર તેમની અસ્થિઓના એક કળશ નું વિસર્જન , કાશી સ્થિત  ગંગામાં કરવામાં આવશે. આ દરમિયાન યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ હાજર રહી શકે છે. આ ઉપરાંત હરિદ્વારમાં પણ લતા મંગેશકરની અસ્થિ પધરાવવામાં આવશે. જણાવી દઈએ કે લતાજીને તેમના ભાઈ હૃદયનાથ મંગેશકરે મુખાગ્નિ આપી  હતી.તે 5 ભાઈ-બહેનોમાં સૌથી મોટી હતી. તેમના પરિવારના તમામ લોકો સંગીતની દુનિયા સાથે જોડાયેલા છે. તેમના પિતા દીનાનાથ મંગેશકર મરાઠી થિયેટરના કુશળ કલાકાર અને ગાયક હતા. દીનાનાથની પત્નીનું નામ સેવંતી હતું. તેમને 5 બાળકો હતા, જેમાંથી સૌથી મોટા લતા મંગેશકર હતા. તેમના પછી મીના ખાડીકર, આશા ભોસલે, ઉષા મંગેશકર અને સૌથી નાના હૃદયનાથ મંગેશકર છે.

રાખી સાવંતે પતિ રિતેશથી અલગ થવાની કરી જાહેરાત, ઈન્સ્ટાગ્રામ પર એક લાંબી પોસ્ટ શેર કરી આપી આ માહિતી; જાણો વિગત

લતાજીએ 28 સપ્ટેમ્બરે તેમનો 92મો જન્મદિવસ ઉજવ્યો હતો. 2001માં તેમને ભારતનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર 'ભારત રત્ન' આપવામાં આવ્યો હતો. તેમણે 36 ભારતીય ભાષાઓમાં ગીતો રેકોર્ડ કર્યા છે.લતાજી ને અનેક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પુરસ્કારો ઉપરાંત દાદાસાહેબ ફાળકે એવોર્ડ અને ફ્રાન્સના સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર, ઓફિસર ઓફ ધ લીજન ઓફ ઓનરથી પણ સન્માનિત કરવામાં આવ્યા છે. તેમણે 1948 થી 1974 દરમિયાન 25 હજારથી વધુ ગીતો ગાયા. 1974 માં, ગિનિસ બુક ઑફ રેકોર્ડ્સે તેમને ઇતિહાસમાં સૌથી વધુ સંખ્યામાં ગીતો રેકોર્ડ કરનાર પ્રથમ કલાકાર તરીકે સ્થાન આપ્યું હતું.

Allu Arjun Raka Movie Villain અલ્લુ અર્જુનની ‘રાકા’ ફિલ્મમાં ધમાકો આ ખુંખાર હોલીવુડ એક્ટર બની શકે છે ફિલ્મનો મેઈન વિલન!
Salman Khan vs Prabhas Clash Eid 2027 શું ઈદ ૨૦૨૭ પર નહીં થાય સલમાન ખાન અને પ્રભાસ વચ્ચે ટક્કર? શું ટળશે ફિલ્મ ‘સ્પિરિટ’ ની રિલીઝ ડેટ?
Bollywood Actresses from Army Families દેશસેવા સાથે ગ્લેમરનું કનેક્શન આ જાણીતી અભિનેત્રીઓનો છે મજબૂત આર્મી બેકગ્રાઉન્ડ, જાણો કોણકોણ છે લિસ્ટમાં?
Govinda Sunita Ahuja Divorce Rumors શું ગોવિંદા સાથેના છૂટાછેડાની ચર્ચાઓ સાચી છે? પત્ની સુનિતા આહુજા પુત્ર સાથે પહોંચી ફેમિલી કોર્ટ
Exit mobile version