Site icon News Continuous Bureau | Mumbai

જાણીતા ફિલ્મ અને થિયેટર કલાકાર આશાલતાનું કોરોનાના કારણે 83 વર્ષની વયે નિધન

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Channel

22 સપ્ટેમ્બર 2020

દિગ્ગજ મરાઠી, હિન્દી ફિલ્મો અને રંગમંચના કલાકાર આશાલતા વાબગાંવકરનુ 83 વર્ષની વયે નિધન થઈ ગયુ છે. આશાલતા વાબગાંવકર કોરોના વાયરસથી સંક્રમિત હતા. કોરોના વાયરસથી સંક્રમિત મળી આવ્યા બાદ તેમને સતારાની હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા જ્યાં તેમણે આજે અંતિમ શ્વાસ લીધા. આશાલતા વાબગાંવકરના પરિવારે અધિકૃત નિવેદનમાં જણાવ્યુ છે કે આશાલતા વાબગાંવકર સતારા હોસ્પિટલમાં પોતાની મરાઠી સીરિયલ 'આઈ કલુબાઈ'નુ શૂટિંગ કરવા પહોંચ્યા હતા. જ્યાં નિયમ મુજબ તેમની કોરોના તપાસ કરવામાં આવી. જેમાં તે વાયરસથી સંક્રમિત મળી આવ્યા હતા.  

 

ઉલ્લેખનીય છે કે આશાલતા વાબગાંવકરે હિંદી અને મરાઠી બંને ફિલ્મોમાં કામ કર્યુ હતુ. આશાલતા વાબગાંવકરે 100થી વધુ ફિલ્મો કરી હતી. આશાલતા વાબગાંવકરે અમિતાભ બચ્ચનની ફિલ્મ 'જંજીર'માં પણ કામ કર્યુ હતુ જેમાં તેમણે અમિતાભની સાવકી માની ભૂમિકા નિભાવી હતી.  

Mirzapur The Movie। મિર્ઝાપુરની દુનિયામાં નવા ચહેરાઓનો દબદબો! ફિલ્મમાં નવી મહિલા પાત્રોના આગમનથી મચશે મોટો ખળભળાટ.
Aaradhya Bachchan Look Changed। એરપોર્ટ પર આરાધ્યા બચ્ચનની સ્ટાઈલિશ એન્ટ્રી નવા અંદાજમાં આરાધ્યાને જોઈને ચાહકોએ કર્યા આવા સવાલો
Harshad Chopda New Serial| ટીઆરપીમાં ભૂકંપ લાવવા હર્ષદ ચોપડા તૈયાર! નવી અભિનેત્રી સાથે જોડી જમાવતા જ ખળભળાટ, જાણો કોણ છે આ નવો ચહેરો?
Rakesh Bedi। પિતાએ દીકરીને આપી રેન્જ રોવરની ભેટ! આદિત્ય ધરની ફિલ્મ સાઈન કરવા પાછળની ખાસ વાત જાણીને તમે પણ ચોંકી જશો
Exit mobile version